jain education, jain library, jain literature - ૈન દર્શન અન ... · 2016. 6....

138

Upload: others

Post on 21-Jan-2021

10 views

Category:

Documents


0 download

TRANSCRIPT

Page 1: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન
Page 2: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

જૈન દર્શન અન ેઆચારની સરળ સમજ

દરેક પ્રાણી પ્રત્યે સમાદર

ખામેમમ સવ્વજીવે, સવ્વે જીવા ખમતં ુમે | મમત્તી મે સવ્વ ભએૂસ,ુ વેરમ ્મજ્ઝ ંન કેણઈ ||

સવવ જીવોને હંુ ખમાવુ ંછં, સવવ જીવો મને ક્ષમા આપે, સવવ જીવો સાથે મારે મૈત્રી છે, કોઈની સાથે મને વેર નથી.

JAINA Education Committee

Federation of Jain Associations in North America

Page 3: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

2 જૈન દર્શન અને આચારની સરળ સમજ

જૈન દર્વન અને આચારની સરળ સમજ

(JAINA Education Series – JES 902 - Gujarati) પાાંચમી આવતૃ્તિન ુગજુરાત્તિ – મે ૨૦૧૬ ISBN (10 digit) 1-59406-068-1

ISBN (13 digit) 978-1-59406-068-7

This book has no copyright

Use the religious material respectfully

લેખક પ્રવીણ કે ર્ાહ

જૈના એજ્યકેુર્ન કત્તમટી

અનવુાદક

કુમદુ પાલખીવાલા

પ્રકાર્ક અને ડીસ્ટ્રીબ્યટુર

જૈના એજ્યકેુર્ન કત્તમટી ફેડરેર્ન ઑફ જૈન એસોત્તસએર્ન ઈન નૉર્શ અમેરરકા

જૈન એજ્યકેુર્ન ઇંટનેર્નલ 509, Carriage Wood Circle,

Raleigh N. C. USA – 27607-3969

1-919-859-4994 (USA)

E-mail – [email protected]

Website – www.jainelibrary.Org

સલાહ – સચૂન આવકાર્વ

Page 4: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

જૈન દર્શન અને આચારની સરળ સમજ 3

વૈમિક ચેતનાનુ ંપે્રમ તત્તત્તવ

દર્ા પે્રરરત જીવન જીવવા વચનબદ્ધ થરે્લા મવિના તમામ લોકને અપવણ

કે જેઓ અરહિંસા, પયાશવરણ સરુક્ષા અને અન્યોન્યાશ્રયી િમામ જીવો િર્ા વનસ્ટ્પત્તિ પ્રત્યે દયાભાવ રાખી િે પ્રમાણે જીવન જીવવાનુાં પ્રોત્સાહન સિિ આપી રહ્યા છે.

જેઓ આચરણ-વ્યવહારમાાં ચસુ્ટ્િ અને સાંપણૂશ ર્ાકાહારી (દૂધ કે િેમાાંર્ી બનિી વસ્ટ્તઓુ ન વાપરનાર ત્તવગન) છે. અને આલ્કોહોલ કે નર્ીલા પદાર્ો વગરની જીવન પદ્ધત્તિ અપનાવી અરહિંસા ના ત્તસદ્ધાાંિને અપનાવવાની આપણને પે્રરણા આપી રહ્યા છે.

નૈત્તિક અને ચારરત્ર્ય યકુ્િ જીવન રૈ્લી માટે ત્તવગન અને નર્ા મકુ્િ જીવન રૈ્લી અત્તનવાયશ છે. િે સભાન પણે કોઈપણ પ્રાણીને દુુઃખ ન પહોંચાડવાના પ્રયત્નો કરે છે અને િેઓને ર્રીર, વાણી અને મનર્ી પણ ઈજા પહોંચાડિા નર્ી. પરરણામે િે બધી પ્રાણીજન્ય પેદાર્ો વાપરવાનુાં ટાળે છે જેમ કે:

ખોરાક - ખોરાક માટે પાળેલાાં મરઘાાં, દરરયાઈ જીવો, માાંસ, ડેરી પેદાર્નો (દૂધ, દહીં, ચીઝ, માખણ, ઘી, આઈસક્રીમ વગેરે) અને બધા પ્રકારના નર્ીલા પદાર્ોનો ત્યાગ.

કપડાાં - ત્તસલ્ક, રુાંવાવાળા ઊનના અને ચામડાનાાં કપડા નો ત્યાગ.

દાગીના - મોિીનો ત્યાગ.

Page 5: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

4 જૈન દર્શન અને આચારની સરળ સમજ

પ્રસ્તાવના જય જજનેન્ર,

જૈનધમશનાાં કરોડરજ્જુ સમાન ત્રણ મળૂભિૂ ત્તસદ્ધાાંિો છે; અરહિંસા, અનેકાાંિવાદ,

અપરરગ્રહ.

અરહિંસા – દરેક વ્યક્ક્િના સારા આચરણ/વિશનને મજબિૂ બનાવે છે.

અનેકાાંિવાદ – દરેક મનષુ્યની િટસ્ટ્ર્ ત્તવચાર ર્ક્ક્િને મજબિૂ કરે છે.

અપરરગ્રહ – દરેક માનવીનાાં અક્સ્ટ્િત્વના અભભગમને મજબિૂ બનાવે છે.

જો આપણે આ ત્રણ ત્તસદ્ધાાંિો સમજપવૂશક સાચી રીિે જીવનમાાં ઉિારીએ િો આપણા પોિાનામાાં અને ત્તવશ્વમાાં ર્ાાંત્તિ િર્ા સમેુળ પ્રાપ્િ કરી ર્કીએ.

જૈન ધમશના પ્રાર્ત્તમક ત્તસદ્ધાાંિો વૈજ્ઞાત્તનક છે અને જૈન ધમશગ્રાંર્ોનાાં ‘સત્યો ’

ત્તવશ્વવ્યાપક છે. પરાંત ુિેનુાં અર્શઘટન જે સમયે અને સ્ટ્ર્ળે આપણે હોઇએ િે પ્રમાણે કરવુાં પડે.

અંગે્રજી ભાષા બોલાિી હોય િેવા દેર્ો (જેમકે અમેરરકા, કેનેડા, યકેુ, આરિકા) જ્યાાં ઘણાાં જૈનો કાયમ માટે વસવાટ કરે છે, ત્યાાં બાળકોને જૈનધમશનાાં જ્ઞાનનાાં પસુ્ટ્િકો સહજ રીિે ઉપલબ્ધ નર્ી. જૈન ત્તસદ્ધાાંિોને વૈત્તશ્વક સ્ટ્િરે જાણીિા કરવા માટે જૈન પસુ્ટ્િકો અંગે્રજી ભાષામાાં સરળિાર્ી મળવા જોઈએ. સારે્ સારે્ જૈન ધમશગ્રાંર્ો જુદી જુદી રીિે જેમકે ચોપડીઓ, કેસેટ, વીરડયો, ડીવીડી, સીડી, ઇન્ટરનેટ ત્તવગેરે પર સહલેાઈર્ી ઉપલબ્ધ ર્વા જોઈએ. ફેડરેર્ન ઓફ જૈન એસોત્તસએર્ન ઇન નોર્શ અમેરરકાની જૈના એજ્યકેુર્ન કત્તમટીએ આ કાયશની શભુ ર્રૂઆિ કરી છે.

જૈન ધમશને સમજવા માટે, જાણવા માટે, જૈના એજ્યકેુર્ન કત્તમટીએ જૈન પાઠર્ાળા એજ્યકેુર્ન ની ત્તવત્તવધ ચોપડીઓ પ્રકાત્તર્િ કરેલ છે. આ ચોપડીઓ ઉંમર પ્રમાણે ચાર ત્તવભાગમાાં વહેંચાયેલી છે અને પાાંચમા ભાગમાાં સાંદભશ ત્તવભાગના પસુ્ટ્િકો છે. આ પસુ્ટ્િકો ની pdf file - www.jaineLibrary.org

વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

Page 6: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

જૈન દર્શન અને આચારની સરળ સમજ 5

આ ચોપડીઓની હારમાળા િૈયાર કરવામાાં ત્તવત્તવધ પાઠર્ાળાનાાં ત્તર્ક્ષકો, કેળવણીકારો અને ત્તવદ્યાર્ીઓનાાં ત્તવચાર, સચૂનો સામેલ છે. જૈના એજ્યકેુર્ન કત્તમટીનાાં સભ્યો જુદાાં જુદાાં કેન્રોની પાઠર્ાળાનાાં ત્તર્ક્ષકો છે, જેમણે અગભણિ કલાકો આપી ખબૂજ કાળજીર્ી અને ખાંિપવૂશક આ ચોપડીઓ િૈયાર કરેલ છે. આ પાઠર્ાળાનાાં ત્તર્ક્ષકો જૈન ત્તવદ્વાનો નર્ી. િેર્ી કદાચ આ પસુ્ટ્િકોનાાં લખાણ (જૈન ત્તસદ્ધાાંિ અને આચાર) ની રજૂઆિમાાં કોઈ ખામી કે ક્ષત્તિ જણાય િો કૃપા કરી માફ કરર્ો. ખાસ ત્તવનાંત્તિ કરીએ કે આપ આ લખાણને વાાંચો, પરીક્ષણ કરો, ઉપયોગ કરો અને કોઈ સચૂન હોય િો જરૂરર્ી જણાવર્ો.

આ પસુ્ટ્િક ‘જૈન દર્શન અને આચારની સરળ સમજ’ મળૂ અંગે્રજી પસુ્ટ્િકનુાં ગજુરિી છાયાનવુાદ છે. િેમાાં લેખકે બે નવા પ્રકરણ ઉમેયાશ છે અને અમકુ પ્રકરણોનો ત્તવસ્ટ્િાર કરેલ છે.

અહીં પ્રસ્ટ્તિુ ર્યેલ અનવુાદનુાં કાયશ સહલે ુાં નર્ી હોત ુાં. પરાંત ુ આ કાયશ કુમદુબેન પાલખીવાલા (અમદાવાદ) એ ઘણા જ ઉત્સાહર્ી પરુુાં કયુું િે બદલ િેમનો અને િેમને સહાયક ર્નારા દરેક વ્યક્ક્િઓનો ઘણો જ આભાર માનુાં છાં.

જો કોઈ છપાયેલ લખાણ, િીર્ુંકરનાાં ત્તસદ્ધાાંિો કે માગશદર્શન ત્તવરુદ્ધ હોય િો અમે ક્ષમા માાંગીએ છીએ.

ત્તમચ્છાત્તમ દુક્કડાંમ

પ્રવીણ કે. ર્ાહ, અધ્યક્ષ

જૈના એજ્યકેુર્ન કત્તમટી ૧૦ મે ૨૦૧૬

Page 7: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

6 જૈન દર્શન અને આચારની સરળ સમજ

પ્રાક્-કથન

જૈના એજ્યકેુર્ન કત્તમટી દ્વારા પ્રકાત્તર્િ Jainism 901 - Reverence for Life

પસુ્ટ્િકનો આ ગજુરાિી અનવુાદ છે.

આ પસુ્ટ્િકમાાં જૈન અધ્યાત્મના ત્તસદ્ધાાંિો, કમશ ત્તવજ્ઞાન - િેના નવ િત્ત્વો િર્ા મકુ્ક્િનો માગશ - સમ્યગ ્દર્શન, સમ્યગ ્જ્ઞાન, અને સમ્યક્ ચારરત્રની સરળ સમજ, આચાર, પત્તવત્ર ગ્રાંર્ો, ધાત્તમિક િહવેારો, પ્રાર્શનાઓ, જૈન પ્રિીકો અને ભગવાન મહાવીરના જીવનને ટૂાંકમાાં સરળ રીિે સમાવી લેવામાાં આવ્યા છે. અંગે્રજી ભાષાનો ઊંડો અભ્યાસ કે ઉપયોગ ન હોય િેવી ગજુરાિી પ્રજાને આ પસુ્ટ્િક ઉપયોગી ર્ઈ ર્કરે્.

જૈન ધમશની પ્રાર્ત્તમક મારહિી આપતુાં આ પસુ્ટ્િક ગજુરાિી ભાષામાાં આપની સમક્ષ મકૂિાાં મને ગવશ ર્ાય છે. અને િે કામની િક આપવા બદલ જૈના એજ્યકેુર્ન કત્તમટીની આભારી છાં.

અહીં પ્રસ્ટ્તિુ ર્યેલ અનવુાદનુાં કાયશ સહલે ુાં નર્ી હોત ુાં. આવા સૈદ્ધાાંત્તિક રષ્ષ્ટએ મહત્વના અનવુાદમાાં ર્ાસ્ત્રીયિા, નૈત્તિક્િા અને આધ્યાજત્મકિા જળવાઈ રહ,ે

િેમજ જૈન ધમશ અને જૈન દર્શનને લગિા પારરભાત્તષક ર્બ્દોનો યોગ્ય ઉપયોગ પણ ર્ાય િે માટે િેમજ અનવુાદ અંગેના યોગ્ય સચુનો માટે હુ ાં પજૂ્ય આચાયશ શ્રી ત્તવજયનાંદીઘોષસરૂીશ્વરજી મહારાજ સાહબે અને પજૂ્ય આચાયશ શ્રી અજયસાગરસરૂીશ્વરજી મહારાજ સાહબે (કોબા-અમદાવાદ) ની ખબૂ ખબૂ આભારી છાં.

શ્રી મહેંરભાઇ અને ઇંદીરાબેન દોર્ી (Raleigh, NC, USA ) એ આ લેખન ને જોઇને િેમાાં રહલેી ક્ષત્તિઓને સધુારવાન ુ કામ કરી આપ્યુાં છે િેમ જ સદેુર્ભાઇ ર્ાહ (અમદાવાદ) કમ્પ્યટુરમાાં મકૂવા બદલ અને અનીિાબેન પરરખ (Connecticut, USA) ને બકૂની ડીઝાઇન માટે હુ ાં સવેનો ઘણો જ આભાર વ્યક્િ કરૂ છાં.

કુમદુ પાલખીવાલા

અનવુાદક

Page 8: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

જૈન દર્શન અને આચારની સરળ સમજ 7

અનકુ્રમણણકા ત્તવભાગ-૧ જૈન દર્શન.......................................................................10

0૧. જૈન પ્રાર્શના .........................................................................11

0૨. ભગવાન અને િીર્ુંકર ...........................................................16

0૩. ભગવાન મહાવીર .................................................................20

ત્તવભાગ-૨ િત્વજ્ઞાન .........................................................................24

0૪. જૈન ધમશની મળૂભિૂ માન્યિાઓ .............................................25

0૫. સષૃ્ષ્ટના મળૂભિૂ છ રવ્યો ......................................................27

૦૬. નવ િત્ત્વ અને કમશ ત્તસધ્ધાાંિ .................................................37

૦૭. કમોનુાં વગીકરણ - પ્રકૃત્તિબાંધના પ્રકારો ...................................44

૦૮. સાંવર - નવા કમશબ ાંધને રોકવાના પ્રકારો .................................51

૦૯. ત્તનર્જરા - બાાંધેલા કમોનો નાર્ કરવાના ઉપાયો .......................59

૧૦. પણુ્ય અને પાપ કમશ ..............................................................63

૧૧. ગણુસ્ટ્ર્ાન અર્વા ગણુશે્રણી ...................................................70

૧૨. જૈન ધમશમાાં મકુ્ક્િનો માગશ ......................................................77

ત્તવભાગ-૩ જૈન આચાર .....................................................................82

૧૩. આચારના પાયાના ત્તસદ્ધાાંિો અને વ્રિો .....................................83

૧૪. સાધ ુઅને શ્રાવકના આચારો ..................................................88

૧૫. જૈન રષ્ષ્ટએ નૈત્તિક જીવન પદ્ધત્તિ ............................................94

૧૬. છ આવશ્યક અનષુ્ઠાનો .......................................................106

૧૭. જૈન યોગ ...........................................................................108

ત્તવભાગ-4 જૈન સાંપ્રદાયો અને ધમશગ્રાંર્ો .............................................117

૧૮. જૈન માંરદરો.........................................................................118

૧૯. જૈન પ્રિીકો ........................................................................121

૨૦. ધાત્તમિક િહવેારો ..................................................................124

૨૧. મખુ્ય સાંપ્રદાયો ...................................................................126

૨૨. જૈન ધમશગ્રાંર્ો અને સારહત્ય ..................................................130

Page 9: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

8 જૈન દર્શન અને આચારની સરળ સમજ

ઉપોદ્ઘાત

ભારિના ઉપખાંડમાાં ત્તવશ્વની ત્રણ મહાન પ્રાચીન ધમશ સાંસ્ટ્કૃત્તિનુાં ઉદ્ગમ છે. ત્યાાં ત્તવકસેલી એ સાંસ્ટ્કૃત્તિ - રહિંદુ ધમશ (સનાિન ધમશ અર્વા વૈરદક ધમશ), બૌદ્ધ ધમશ અને જૈન ધમશ. િેમાાં જૈન ધમશ અને િેનુાં િત્ત્વજ્ઞાન આધ્યાજત્મક પરાંપરામાાં મહત્ત્વનાાં સ્ટ્ર્ાન ધરાવે છે.

જૈન ધમશની જીવન પદ્ધત્તિ અરહિંસા, દયાભાવ અને સાદા (સાંયમી) જીવન પર આધારરિ છે. જેમાાં આત્મા ક્રોધ, માન, માયા, અને લોભ જેવા કષાયો દૂર કરી, રાગ દ્વષેમાાંર્ી બહાર નીકળી આત્માને શદુ્ધ કરી, ભગવાનની સવોપરરિા િરફ લઈ જાય છે. જૈન િત્ત્વજ્ઞાન સમર્શનકારી અને આર્ાવાદી છે. આ પ્રરક્રયા િે કમશના ત્તસદ્ધાાંિો (કમશવાદ) ને નામે જૈનધમશમાાં સમજાવામાાં આવી છે.

જૈન ધમશની પ્રાચીન પરાંપરા અને િત્ત્વજ્ઞાન “જજન” દ્વારા આપણા સધુી પહોંચાડાઈ છે. આ જજન, અરરહાંિ કે િીર્ુંકર િરીકે ઓળખાય છે. િેવા જૈન ધમશમાાં મખુ્ય ૨૪ િીર્ુંકરો છે. િેનુાં અનસુ ાંધાન અનારદ કાળર્ી ચાલ્યુાં આવે છે. ભગવાન મહાવીર સૌર્ી છેલ્લા (599 BCE ર્ી 527 BCE) અને આરદનાર્ ભગવાન સૌર્ી પહલેા િીર્ુંકર ગણાય છે.

જૈનો કમશવાદ, પનુર્જન્મ અને કમશ અનસુારે સ્ટ્વગશ, નરક, મનષુ્ય કે પશપુણુાં પામી ચાર ગત્તિમાાં ફરે છે. કાળક્રમે જીવનમાાં સાંયમ પાળી અને મહાપરુુષાર્શ વડે કષાયોને દૂર કરી વીિરાગ ર્ઈ જન્મ-મરણના ફેરામાાંર્ી મકુ્ક્િ મેળવે છે.

અરહિંસા એ જૈન ધમશનો મળૂભિૂ ત્તસદ્ધાાંિ છે. જૈનો માને છે કે જીવ માત્ર પોિે જ પોિાના ભાગ્યનો ત્તવધાિા (ઘડનાર) છે. જૈન ધમશ આત્મ-જાગતૃ્તિ અને સ્ટ્વ પ્રયત્ન દ્વારા જ મોક્ષ પર ત્તનભશર છે. જૈન ધમશગ્રાંર્ો જણાવે છે કે આ બ્રહ્ાાંડ (ચૌદ રાજ લોક) અને િેમાાં રહલેા જડ અને ચેિન રવ્યો સનાિન છે અને િેઓ સ્ટ્વયાં સાંચાભલિ છે આ જડ અને ચેિન રવ્યો સિિ પરરવિશનર્ીલ છે. કોઈ િેનો નાર્ નહીં કરી ર્કે.

Page 10: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

જૈન દર્શન અને આચારની સરળ સમજ 9

જૈન ધમશ માને છે કે અનારદ કાળર્ી આત્મા િેના સાચા સ્ટ્વરૂપર્ી અજ્ઞાન છે અને િે કમશના આવરણર્ી બાંધાયેલો છે. કમશને કારણે આત્મા એક જન્મમાાંર્ી બીજા જન્મમાાં જાય છે અને અજ્ઞાન આત્મા પોિાના રાગ અને દ્વષે દ્વારા સખુ કે દુુઃખ ભોગવે છે અને નવા કમો બાાંધે છે. આ કમશમાાંર્ી મકુ્ક્િ મેળવવા માટે જૈન ધમશમાાં સમ્યગ્ દર્શન, સમ્યગ ્જ્ઞાન, અને સમ્યક્ ચારરત્ર - આ રત્નત્રયી માગશ સચૂવ્યો છે.

મોક્ષના માગશમાાં આગળ વધવા માટે દરેક વ્યક્ક્િમાાં આ રત્નત્રયીનુાં સમાાંિર (અભેદ) સ્ટ્ર્ાન હોવુાં જોઈએ.

ર્રૂઆિમાાં દરેક વ્યક્ક્િએ આત્માનુાં અને પદુ્ગલ રવ્યોન ુિર્ા કમશ અંગેનુાં સાચુાં જ્ઞાન મેળવવુાં જોઈએ. આ જ્ઞાનર્ી િેને આત્માના સાચા સ્ટ્વરૂપનુાં ભાન ર્ાય છે. અને પછી જ્યારે િેને િે જ્ઞાન ઉપર અતટૂ શ્રદ્ધા ર્ાય િે સમયે િે આધ્યાજત્મક ક્સ્ટ્ર્ત્તિને સમ્યક્ત્વ અર્વા આત્મજાગતૃ્તિ કહવેાય છે.

આ આત્માની આત્મજાગતૃ્તિ એટલે કે સમ્યક્ત્વ, િેને સમ્યક્ ચારરત્ર િરફ લઈ જાય છે. સમ્યક્ ચારરત્રમાાં નીચેના મદુ્દાઓનો સમાવેર્ ર્ાય છે.

જીવ માત્ર માટે દયા ભાવ અને અરહિંસાન ુ આચરણ. ગ્રહૃસ્ટ્ર્ જીવન જીવવામાાં ઓછામા ઓછી રહિંસાર્ી જીવન જીવવુાં.

અન્ય ધમોની અને વ્યક્ક્િઓની માન્યિા અને ત્તવચારોને સાપેક્ષ પણે સ્ટ્વીકારવા જેને અનેકાન્િવાદ કે સ્ટ્યાદ્વાદ કહ ેછે.

ગહૃસ્ટ્ર્ જીવન જીવવામાાં મયાશરદિ પરરગ્રહની જરૂર છે પરાંત ુપરરગ્રહ પ્રત્યે સહજે પણ મછૂાશ ન હોવી જોઇએ.

આત્મશદુ્ધદ્ધ કરવા સાંયમ, િપ, અને ધ્યાનમય જીવન જીવવુાં.

ટૂાંકમાાં, જૈન ધમશ પ્રમાણે આત્માનુાં અંત્તિમ લક્ષ્ય મોક્ષપ્રાપ્પ્િનુાં છે. જીવન પ્રત્યેનો ઊંડો આદર, અરહિંસા, દયાભાવ, અપરરગ્રહ અને ઈષ્ન્રયોને જીિવાર્ી િે પ્રાપ્િ ર્ઈ ર્કે છે. આ બધા ગણુો વૈત્તશ્વક પે્રમ અને જીવ માત્ર માટેની અનકુાંપા દ્વારા વ્યક્િ ર્ાય છે.

Page 11: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૧ જૈન દર્શન

10 જૈન દર્શન અને આચારની સરળ સમજ

મવભાગ-૧

જૈન દર્વન

Page 12: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૦૧ જૈન પ્રાર્શના

જૈન દર્શન અને આચારની સરળ સમજ 11

0૧. જૈન પ્રાથવના નમસ્કાર મહામગંલ સતૂ્રનો પરરચર્

નમસ્ટ્કાર મહામાંગલ સતૂ્ર, નમસ્ટ્કાર માંત્ર, નવકાર માંત્ર અર્વા નમોક્કાર માંત્રર્ી પણ જાણીત ુાં છે. જૈન ધમશમાાં ઊંડો આદરભાવ સચૂવિા આ સતૂ્રમાાં પાાંચ મહાન ત્તવભતૂ્તિઓના ગણુોને પ્રાર્શના દ્વારા વાંદન કરવામાાં આવે છે. અરરહાંિ (અંિરાંગ ર્ત્ર ુને નાર્ કરનાર અને માનવ જાિને બોધ આપનાર), ત્તસદ્ધ (મકુ્િ આત્મા), આચાયશ (જૈન ચતતુ્તવિધ સાંઘના વડા), ઉપાધ્યાય (સાંયમી િત્ત્વજ્ઞ અને ત્તર્ક્ષક), િર્ા જગિના સવશ સાધઓુ િર્ા સાધ્વીઓ, જેઓ પાાંચ મહાવ્રિો - અરહિંસા, સત્ય, અચૌયશ, બ્રહ્ચયશ અને અપરરગ્રહ પાળે છે. િેઓ િેમની આચારરક્રયા આ પાાંચે વ્રિો જળવાય એ લક્ષમાાં રાખીને કરે છે. િેમના ત્તવચારમાાં અનેકાાંિવાદ વિે છે. આ મહાન ત્તવભતૂ્તિઓ િેમના સદ્ગુણોને લીધે ઓળખાય છે અને પજૂાય છે, નહીં કે િેમની વ્યક્ક્િગિ ઓળખને લીધે. આમ જગિના િમામ સાચા આધ્યાજત્મક માગે આગળ વધેલા સાધ ુમહાત્માઓ ને અહીં વાંદન કરવામાાં આવે છે.

જેવી રીિે પ્રકાર્ ચારે બાજુનો અંધકાર દૂર કરે છે િેવી રીિે આ નમસ્ટ્કાર મહામાંગલ સતૂ્ર દ્વારા કરેલ વાંદન આત્માના રદવ્ય ગણુોને જાગિૃ કરે છે,

પ્રકાત્તર્િ કરે છે. આ જૈન ધમશની સનાિન અભભવ્યક્ક્િની પરાકાષ્ઠા છે. િે આપણી અંદરના જીવ ત્તવજ્ઞાનને પ્રગટ કરે છે. િે જ્ઞાનનાાં રદવ્ય ખજાનાની ચાવી છે.

આ પાાંચ સવોપરી સદ્ગુણોના ૧૦૮ ગણુો - ત્તવરે્ષિાઓ આ પ્રમાણે છે.

અરરહાંિના ૧૨ ગણુો, ત્તસદ્ધના ૮ ગણુો, આચાયશનાાં ૩૬ ગણુો, ઉપાધ્યાયના ૨૫ અને સાધનુા ૨૭ ગણુો એમ કુલ ૧૦૮ ગણુો.

જૈન નવકારવાળીના ૧૦૮ મણકા પાાંચ મહાન પદોના ગણુોનુાં પ્રિીક છે. નમસ્ટ્કાર મહામાંગલના નવ પદો છે, પહલેા પાાંચ પદોમાાં પાાંચ પજૂનીય વ્યક્ક્િઓને પ્રણામ કરવામાાં આવે છે અને બાકીના ચાર પદો પ્રણામનુાં મહત્વ સમજાવે છે.

Page 13: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૧ જૈન દર્શન

12 જૈન દર્શન અને આચારની સરળ સમજ

નમો અરરહંતાણ॥ં નમો મસદ્ધાણ॥ં

નમો આર્રરર્ાણ॥ં નમો ઉવજ્ઝાર્ાણ॥ં

નમો લોએ સવ્વ સાહણૂ॥ં એસો પચં નમકુ્કારો॥

સવ્વ પાવપ્પણાસણો ॥ મગંલાણ ંચ સવ્વેમસિં॥ પઢમ ંહવઈ મગંલ ં॥

નમો અરરહંતાણ ં|| હુાં અરરહાંિને વાંદન કરુાં છાં, કે જેમણે અંિરાંગ ર્ત્રઓુ જેવા કે ક્રોધ, માન,

માયા, લોભ ઉપર ત્તવજય પ્રાપ્િ કરી પણૂશ જ્ઞાન, પારલૌરકક રષ્ષ્ટ, અનાંિ ર્ક્ક્િ અને શદુ્ધ આચરણ પ્રાપ્િ કયાશ. આ રીિે િેમણે આત્માના બધા ગણુોનો ઢાાંકનારા ચાર ઘાિી કમોનો નાર્ કરી આત્માના અનાંિ ગણુોને પ્રગટ કયાશ. િેઓ સાંપણૂશ આધ્યાજત્મક માનવ છે અને િેમણે માનવજાિને આધ્યાજત્મક ર્વાનો બોધ આપ્યો. જે જન્મ-મરણના ચકરાવાનો અંિ લાવે છે અને મકુ્ક્િ અપાવે છે.

આ મહાત્માઓ આયષુ્ય પરુૂાં ર્યે બાકી રહલેા ચાર અઘાત્તિ કમોનો ક્ષય કરી, સમ્પણૂશ શદુ્ધ આત્માને પ્રગટ કરી ત્તનવાશણ અને ત્તસદ્ધપદ પામે છે.

નમો મસદ્ધાણ ં|| હુાં ત્તસદ્ધ આત્માઓને વાંદન કરુાં છાં. જેમણે પણૂશિા અને ત્તસદ્ધત્વ મેળવ્યુાં છે. િેઓ શદુ્ધ ચૈિન્યપણૂશ છે. િેઓને કોઈ કમશ રહ્યા નર્ી િેર્ી િેમને ર્રીર નર્ી. બધા અરરહાંિ ભગવાન અને કેવળજ્ઞાની વ્યક્ક્િઓ ત્તનવાશણ (મતૃ્ય)ુ પછી ત્તસદ્ધ બને છે.

Page 14: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૦૧ જૈન પ્રાર્શના

જૈન દર્શન અને આચારની સરળ સમજ 13

નમો આર્રરર્ાણ ં|| હુાં બધા આચાયોને વાંદન કરુાં છાં જેઓ શદુ્ધ આચારનુાં પાલન કરે છે. જેઓ જૈન સાંઘના વડા છે. િેઓ અરરહાંિ ભગવાનની ગેરહાજરી માાં મકુ્ક્િનો માગશ સમજાવે છે. જે સમ્યગ ્દર્શન, સમ્યગ ્જ્ઞાન અને સમ્યક્ ચારરત્રને એકબીજા સારે્ સાાંકળે છે. િેઓ ભૌત્તિક જીવન કરિાાં આધ્યાજત્મક જીવનનુાં મહત્વ સમજાવે છે અને દયા િર્ા કરુણા ર્ી ભરેલી અને કષાય વગરની સરળ જજિંદગી જીવવાનો દરેકને બોધ આપે છે.

નમો ઉવજ્ઝાર્ાણ ં|| હુાં ઉપાધ્યાયોને વાંદન કરુાં છાં કે જેઓ જૈન ધમશગ્રાંર્ોનો અભ્યાસ કરી િેની યોગ્ય સમજૂિી આપનાર િત્વજ્ઞ ત્તવદ્વાન છે. િેઓ જૈન ધમશના ત્તસદ્ધાાંિો ર્ીખવે છે અને િે ત્તસદ્ધાાંિોનુાં આપણા રોજજિંદા જીવનમાાં કેવી રીિે પાલન કરી ર્કાય િે સમજાવે છે.

નમો લોએ સવ્વ સાહણૂ ં||

હુાં જગિના દરેક સાધ ુઅને સાધ્વીને પ્રણામ કરુાં છાં. જેઓ અરહિંસા, સત્ય,

અચૌયશ, બ્રહ્ચયશ અને અપરરગ્રહ એ પાાંચ મહાવ્રિને પ્રત્તિજ્ઞાપવૂશક આચરે છે અને એ રીિે આપણને પણ સાચુાં સરળ જીવન જીવવાની પે્રરણા આપે છે.

એસો પચં નમકુ્કારો || આ પાાંચ મહાન આત્માઓને હુાં પ્રાર્ુશ છાં, પ્રણામ કરુાં છાં.

સવ્વ પાવપ્પણાસણો || પાંચ પરમેષ્ઠીને કરેલા નમસ્ટ્કાર, મારા બધા પાપ અને નકારાત્મક ત્તવચારોને નાર્ કરવામાાં સહાય કરે છે.

મગંલાણ ંચ સવ્વેમસિં | પઢમ ંહવઈ મગંલમ ્||

આ પ્રાર્શના બધી કલ્યાણકારી પ્રાર્શનાઓમાાં પ્રર્મ માંગલ પ્રાર્શના ગણાય છે.

Page 15: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૧ જૈન દર્શન

14 જૈન દર્શન અને આચારની સરળ સમજ

ચાર ર્રણા ંચત્તારર ર્રણ ંપવજ્જામમ, અરરહંતે ર્રણ ંપવજ્જામમ |

મસદે્ધ ર્રણ ંપવજ્જામમ, સાહ ૂર્રણ ંપવજ્જામમ | કેવલી પન્નત્ત ંધમ્મ ંર્રણ ંપવજ્જામમ ||

હુાં અરરહાંિ ભગવાનનુાં ર્રણુાં સ્ટ્વીકારુાં છાં. હુ ાં ત્તસદ્ધ ભગવાંિનુાં ર્રણ સ્ટ્વીકારુાં છાં. હુ ાં સાધ ુભગવાંિનુાં ર્રણ સ્ટ્વીકારુાં છાં. અને કેવલી ભગવાંિે પ્રરૂપેલ ધમશનુાં ર્રણુાં સ્ટ્વીકારુાં છાં. આ ચારેનુાં ર્રણ સ્ટ્વીકારુાં છાં.

ગરુુ કૃતજ્ઞતાની (ઉપકારવર્તા) પ્રાથવના અજ્ઞાનમતમમરાન્ધાના,ં જ્ઞાનાજંન ર્લાકર્ા | નેત્ર ઉન્મીણલત ંરે્ન, તસ્મૈ શ્રી ગરુવે નમઃ ||

જેમણે મારી અંધકારમય અજ્ઞાનિાને દૂર કરવા જ્ઞાનરૂપી સળીર્ી અંજન કરી મારી અંિર રષ્ષ્ટ ખોલી છે, િે ગરુુને હુ ાં નમુાં છાં. હવે મારા આંિર ચક્ષ ુખલૂી ગયા છે. જેમણે મારા અજ્ઞાનિાના પડો દૂર કરવામાાં અને સાચુાં જોવાને ર્ક્ક્િમાન કરવામાાં મદદ કરી, િે ગરુુને હુ ાં ત્તવનમ્રભાવે કૃિજ્ઞિા પવૂશક પ્રણામ કરુાં છાં.

મવિવ્ર્ાપક ક્ષમાપના ખામેમમ સવ્વજીવે, સવ્વે જીવા ખમતં ુમે |

મમત્તી મે સવ્વ ભએૂસ,ુ વેરમ ્મજ્ઝ ંન કેણઈ || સવશ જીવોને હુાં ખમાવુાં છાં, સવશ જીવો મને ક્ષમા આપે, સવશ જીવો સારે્ મારી મૈત્રી છે, કોઈની સારે્ મને વેર નર્ી.

Page 16: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૦૧ જૈન પ્રાર્શના

જૈન દર્શન અને આચારની સરળ સમજ 15

મવિવ્ર્ાપી ર્ામંતની પ્રાથવના ઉપસગાવઃક્ષર્ ંર્ાન્ન્ત, મછદ્યન્તે મવઘ્નવલ્લર્: | મનઃ પ્રસન્નતામેમત, પજૂ્ર્માને જજનેિરે ||

અરરહાંિની પ્રાર્શના દ્વારા સવશ ના ઉપસગો દૂર ર્ાઓ, સવશ ત્તવઘ્નો દૂર ર્ાઓ,

સવશનુાં મન અને હૃદય આનાંદર્ી ભરપરૂ રહો.

મવિવ્ર્ાપી મમત્રતાનુ ંપ્રમતણબિંબ

મર્વમસ્ત ુસવવજગતઃ પરરહતમનરતા ભવન્ત ુભતૂગણાઃ | દોષા: પ્રર્ાન્ત ુનાર્,ં સવવત્ર સખુી ભવત ુલોકઃ ||

જગિના સવશ જીવોન ુકલ્યાણ ર્ાઓ, સવશ જીવો પરોપકારમાાં િત્પર બનો, સવશ ના દોષો (પાપ) નાર્ પામો, સવશત્ર બધા જીવો સખુી ર્ાઓ.

શદુ્ધ આત્તમાની ભાવના દર્ા, ર્ામંત, સમતા, ક્ષમા, સત્તર્, ત્તર્ાગ, વૈરાગ્ર્ |

હોર્ મમુકુ્ષ ુઘટ મવષે, એહ સદાર્ સાુગ્ર્ || આત્માનભુતૂ્તિની ર્ોધમાાં નીકળેલામાાં આ સાિ મળૂભિૂ ગણુો જેવા કે – દયા, ર્ાાંત્તિ, સમિા, ક્ષમા, સત્ય, ત્યાગ અને વૈરાગ્ય જોવા મળે છે જે ગણુો િેમને સિિ જાગિૃ રાખે છે.

રાગ દ્વષે અજ્ઞાન એ મખુ્ર્ કમવની ગ્રથં | થાર્ મનવમૃત્ત જેહથી, તે જ મોક્ષનો પથં ||

રાગ, દ્વષે અને અજ્ઞાન – આ ત્રણ મખુ્ય કારણોર્ી આત્મા કમશના બાંધનર્ી બાંધાય છે. રાગ, દ્વષે અને અજ્ઞાનની મરુકિ એ જ માગશ મકુ્ક્િનો છે.

Page 17: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૧ જૈન દર્શન

16 જૈન દર્શન અને આચારની સરળ સમજ

0૨. ભગવાન અને તીથંકર

જૈન ધમશ એ સાંપણૂશિુઃ સમગ્ર સષૃ્ષ્ટના જીવોની દયારૂપ ધમશ છે.

ભગવાન અને તીથંકર: જે વ્યક્ક્િઓ સ્ટ્વયાં પરુુષાર્શર્ી સાંયમ, જ્ઞાન અને વૈરાગ્યયકુ્િ જીવન જીવીને અને કષાયોને દૂર કરીને સમ્પણુશ આત્મજ્ઞાન (સવશજ્ઞિા) પ્રાપ્િ કરી આત્માનભુતૂ્તિ વડે ધમશનો ફેલાવો કરે છે. િેઓ આસક્ક્િ,

રાગારદભાવ અને દૈરહક જીવનના બાંધનર્ી મકુ્િ છે.

જેર્ી િેમના જન્મ - મરણનાાં ચકરાવાનો અંિ ર્ાય છે. જૈન ધમશમાાં આવી વ્યક્ક્િઓને જ ભગવાન અર્વા િીર્ુંકર મનાય છે.

ભગવાન એટલે સર્જનહાર, રક્ષણકિાશ અને સષૃ્ષ્ટનો નાર્ કરનાર; એ સામાન્ય માન્યિા જૈનધમશમાાં નર્ી. વળી ભગવાન માણસનુાં રૂપ લઈ પાપનો નાર્ કરવા સષૃ્ષ્ટ પર ઉિરી આવે છે એ માન્યિા પણ જૈન દર્શનમાાં નર્ી.

જેમણે આપણને દુુઃખમાાંર્ી મકુ્ક્િ મેળવવાનો માગશ બિાવ્યો અને કરુણા પવૂશક સાધ,ુ સાધ્વી, શ્રાવક, શ્રાત્તવકા રૂપ ચતતુ્તવિધ સાંઘ સ્ટ્ર્ાપી ધમશરૂપ િીર્શ પ્રવિાશવ્ય ુિેઓને ભગવાન અર્વા િીર્ુંકર મનાય છે.

માનવજાિના ઇત્તિહાસમાાં જુદા જુદા સમયે જુદા જુદા િીર્ુંકરોએ જૈન દર્શનના િત્ત્વને પ્રચભલિ કરી, ચેિનવાંત ુબનાવ્યુાં છે. અને િેઓએ સમય અને સ્ટ્ર્ાનને અનકૂુળ આચરણવાળા જૈન સાંઘની સ્ટ્ર્ાપના કરેલ છે.

આવા ઘણા મહાત્માઓ ભિૂકાળમાાં ર્ઈ ગયા અને ઘણા આવી જ આધ્યાજત્મક પ્રગત્તિ ભત્તવષ્યમાાં કરરે્. દરેક માનવમાત્રમાાં આવી આધ્યાજત્મક પ્રગત્તિ કરવાની ર્ક્ક્િ છે. જ્યારે માણસ પોિાના દુગુશણો જેવા કે ક્રોધ, માન,

Page 18: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૦૨ ભગવાન અને િીર્ુંકર

જૈન દર્શન અને આચારની સરળ સમજ 17

માયા અને લોભને (કષાય અર્વા મોહનીય કમશને) સમ્પણૂશ નાર્ કરે ત્યારે િે વીિરાગ ક્સ્ટ્ર્ત્તિ પામે છે. આ ક્સ્ટ્ર્ત્તિ પ્રાપ્િ કયાશ પછી બાકીના ત્રણ ઘાિી કમો (દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય, અને અંિરાય કમશ) જડમળૂર્ી અંિમુશહિૂશમાાં (૪૮ ત્તમત્તનટની અંદર) નાર્ પામે છે.

આ રીિે િેઓને મોહનીય કમશનો નાર્ ર્વાર્ી શદુ્ધ ચારરત્ર્ય અને અનાંિ સખુ, દર્શનાવરણીય અને જ્ઞાનાવરણીય કમશનો નાર્ ર્વાર્ી કેવળદર્શન અને કેવળજ્ઞાન (પણૂશ સામાન્ય જ્ઞાન અને ત્તવરે્ષ જ્ઞાન), અને અંિરાય કમશનો નાર્ ર્વાર્ી અનાંિ વીયશ અનાંિ લપ્બ્ધ અને અનાંિ ર્ક્ક્િ પ્રાપ્િ ર્ાય છે.

આ કેવળજ્ઞાનવાળી વ્યક્ક્િને બે માાંર્ી એક કક્ષામાાં મકૂી ર્કાય.

(૧) અરરહાંિ, િીર્ુંકર અર્વા જજન (૨) સામાન્ય કેવલી

તીથંકર કે અરરહંત

િીર્ુંકર કે અરરહાંિ ધમશ િીર્શને (ચતતુ્તવિધ સાંઘને) સ્ટ્ર્ાત્તપિ કરે છે અને િેર્ી િેઓને ભગવાન િરીકે માનવામા આવે છે. આ અરરહાંિ કે િીર્ુંકરો સષૃ્ષ્ટના સર્જનહાર ભગવાન નર્ી પણ િેઓએ વ્યક્ક્િગિ પ્રયત્નો દ્વારા ઇચ્છા અને દુુઃખમાાંર્ી મકુ્ક્િ પામવાનુાં અંત્તિમ લક્ષ્ય પાર પાડ્ુાં છે.

સામાન્ર્ કેવલી સામાન્ય કેવલી સ્ટ્ર્ાત્તપિ ર્યેલા ધાત્તમિક િીર્શમાાં ધ્યાનસ્ટ્ર્ અવસ્ટ્ર્ામાાં રહ ેછે અને િીર્ુંકરે જે ધમશ બિાવ્યો છે િેનો બોધ આપે છે. કોઈપણ એક સમયે અને એક ક્ષેત્રમાાં માત્ર એક જ િીર્ુંકર પ્રવિે છે. જ્યારે સામાન્ય કેવલી ઘણા બધા હોય છે.

આ ભરિક્ષેત્રમાાં આ કાળનાાં બધા િીર્ુંકરો ત્રીજા આરાના અંિમાાં અને ચોર્ા આરાના સમયમાાં જન્મે છે. અત્યારે આપણે પાાંચમાાં આરાના ઊિરિા અડધા ચક્રમાાં છીએ જે દુુઃખી આરો ગણાય છે. િેના કુલ ૨૧૦૦૦ વષશના ગાળામાાંર્ી ૨૫૦૦ વષશ પસાર ર્ઈ ગયા છે. આ સમયે ભરિક્ષેત્રમાાં િીર્ુંકર ભગવાન અને કેવળજ્ઞાની વ્યરકિઓનો અભાવ છે. આગળ આવનારુાં કાળ ચક્ર ઊંધા એટલે કે ચડિા ક્રમે છે.

Page 19: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૧ જૈન દર્શન

18 જૈન દર્શન અને આચારની સરળ સમજ

અરરહંત, તીથંકર અને સામાન્ર્ કેવલીના જુદા જુદા નામો: જૂના સમયમાાં જૈન ધમશ જુદા જુદા નામોર્ી જાણીિો હિો. િે ત્તનગ્રુંર્નો ધમશ અર્વા જજનધમશ અર્વા શ્રમણ પરાંપરાનો ધમશ નામર્ી ઓળખાિો હિો વળી િેનો ફેલાવો કરનારા પણ જુદા જુદા નામર્ી ઓળખાિા હિા જેમ કે – અરરહાંિ, અહશિ, િીર્ુંકર, જજન, ત્તનગ્રુંર્, કેવલી. આ બધા ર્બ્દો માનવ ર્રીરમાાં રહલેા જૈન ભગવાન આત્મા (િીર્ુંકર) ના જુદા જુદા ગણુોને રજૂ કરે છે. દરેક અડધા કાળ ચક્રમાાં ચોવીસ જ િીર્ુંકર કે અરરહાંિ હોય છે.

કેવળજ્ઞાની: કેવળજ્ઞાની (કેવલી) વ્યક્ક્િઓએ પણૂશ જ્ઞાન, અસીમ ગ્રહણ ર્ક્ક્િ, શદુ્ધ આચાર અને અમાપ ર્ક્ક્િ દ્વારા આત્માના ગણુોનો ઘાિ કરનારા સવશ કમોનો નાર્ કયો. (જે ચાર ઘાિી કમોર્ી ઓળખાય છે). જેનાર્ી આત્માનુાં મળૂ સ્ટ્વરુપ પ્રાપ્િ ર્યુાં છે.

મનગં્રથ: જેમણે જીવનમાાં રાગારદ પવૂશગ્રહ યકુ્િ ગ્રુંત્તર્ને કે બ ાંધનને દૂર કયાશ છે.

નોંધ: ત્તનગ્રુંર્ કે સામાન્ય કેવલીને અરરહાંિ કે ત્તિર્ુંકર ન કહવેાય કારણ કે અરરહાંિને ૩૪ અત્તિર્ય – ત્તિર્ુંકર નામકમશ હોય છે. જે ત્તનગ્રુંર્ કે કેવલીને નર્ી હોિા.

તીથંકર: જૈન દર્શનના ર્ાશ્વિ ત્તસદ્ધાાંિોને કેવળજ્ઞાની વ્યક્ક્િઓએ જુદા જુદા સમયમાાં લોકોની આચારસાંરહિા, પરાંપરા અને વ્યવહારને લક્ષમાાં રાખી સ્ટ્ર્ળ, સમય અને સાંજોગો પ્રમાણે સિિ બોધ દ્વારા જેમણે િે સમયે ચતતુ્તવિધ; સાધ,ુ

સાધ્વી, શ્રાવક અને શ્રાત્તવકાના જૈન સાંઘની સ્ટ્ર્ાપના કરી

અરરહંત: જેમણે આંિરરક ર્ત્રઓુ; ક્રોધ, માન, માયા, લોભનો સાંપણૂશ નાર્ કયો છે.

અહવત ્અથવા અરહંત: જેઓ સન્માન, સત્કાર કે પજૂા આરદ ને યોગ્ય છે.

Page 20: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૦૨ ભગવાન અને િીર્ુંકર

જૈન દર્શન અને આચારની સરળ સમજ 19

જજન:

જેમણે આંિરરક ર્ત્રઓુ જેવા કે ક્રોધ, માન, માયા, અને લોભને સાંપણૂશ પણે જીિેલા છે.

મસદ્ધ: બને્ન અરરહાંિ અને સામાન્ય કેવલી િેમના બાકી રહલેા ચાર અઘાિી કમો; નામ, ર્રીર અને િેની વેદના, ગોત્ર,

અને આયષુ્ય ખપાવી ન દે ત્યાાં સધુી માનવ જીવન જીવે છે. અને મતૃ્ય ુસમયે આ કમો નાર્ પામે છે.

જીવનના અંિે બને્ન અરરહાંિ અને સામાન્ય કેવલી મકુ્ક્િ અર્વા ત્તનવાશણ

પ્રાપ્િ કરે છે. િે બધા આત્માઓ ત્તસદ્ધોના નામે ઓળખાય છે.

બધા જ ત્તસદ્ધો અનન્ય અને વ્યક્ક્િગિ આત્માઓ છે. િેઓ અનાંિદર્શન,

અનાંિજ્ઞાન, સમ્પણૂશ શદુ્ધ ચારરત્ર્યવાળા, અનાંિવીયશવાન, પણૂશ આનાંદવાળા પત્તવત્ર આત્માઓ છે. િેઓ ર્રીર ધારણ કરિાાં નર્ી. િેઓના ગણુો અને ત્તવરે્ષિાઓને લક્ષમાાં લેિા બધા ત્તસદ્ધો સમાન છે.

બધા અરરહાંિો (ર્રીરધારી શદુ્ધાત્મા મનષુ્યો) અને ત્તસદ્ધો (ર્રીર વગરના શદુ્ધ આત્માઓ) જૈનધમશમાાં ભગવાનને નામે ઓળખાય છે.

સારારં્: જૈન ભગવાન વ્યક્ક્િગિ શદુ્ધ આત્મા છે અને પણૂશ આનાંદમાાં હોય છે. િેમના આત્માનુાં કદ અને આકાર િેમના છેલ્લા માનવ ભવ ઉપર આધાર રાખે છે. બ્રાહ્ણ અને રહિંદુધમશની જેમ િેમનો આત્મા સમગ્ર ત્તવશ્વમાાં મળીને એકરૂપ ર્િો નર્ી.

Page 21: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૧ જૈન દર્શન

20 જૈન દર્શન અને આચારની સરળ સમજ

0૩. ભગવાન મહાવીર

જૈન ધમવના ચતમુવિધ સઘં સ્થાપક

જૈન દર્શન ર્ાશ્વિ છે, પણ જુદા જુદા િીર્ુંકરોએ જુદા જુદા સમયમાાં લોકોની આચારસાંરહિા, પરાંપરા અને વ્યવહારને લક્ષમાાં રાખી સ્ટ્ર્ળ, સમય અને સાંજોગો પ્રમાણે સિિ બોધ આપ્યો છે.

આર્રે ૨૫૦૦ વષશ પહલેાાં આ યગુના ચોવીસમા અને છેલ્લા િીર્ુંકર ભગવાન મહાવીર અર્વા વધશમાને (૫૯૯ બી સી ર્ી ૫૨૭ બી સી) જૈન ધમશના ત્તસદ્ધાાંિો અને િત્વજ્ઞાનનો ઉપદેર્ િેમના પરુોગામી

િીર્ુંકર પાશ્વશનાર્ (૯૫૦ બી સી ર્ી ૮૫૦ બી સી) અને િેમની પહલેાાં ર્ઈ ગયેલા બધા િીર્ુંકરોના ઉપદેર્ પ્રમાણે આપ્યો.

પરાંત ુ િેમણે િે વખિના સ્ટ્ર્ાન, સમય અને સાંજોગોને અનકૂુળ ધમશના આચાર અને ધાત્તમિક રક્રયાઓમાાં ફેરફાર કયો અને નવા જૈન સાંઘની સ્ટ્ર્ાપના કરી. આજના જૈન ધમશગ્રાંર્ો ભગવાન મહાવીરે સમજાવેલ જૈન ધમશના ત્તસદ્ધાાંિો િર્ા િેમણે આપેલા બોધનુાં અને આચારનુાં સ ાંકલન છે

ભગવાન મહાવીરનુ ંજીવન

ભગવાન મહાવીર રાજકુમાર હિા. િેમનાાં જન્મ સમયનુાં નામ વધશમાન હત ુાં. રાજા ત્તસદ્ધાર્શના િર્ા માિા ત્તત્રર્લાના પતુ્ર હોવાને લીધે િેમને િમામ દુન્યવી સખુ અને સતુ્તવધા હિી. છિાાં ત્રીર્ વષશની ઉંમરે િેમણે પોિાનુાં કુટુાંબ,

Page 22: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૦૩ ભગવાન મહાવીર

જૈન દર્શન અને આચારની સરળ સમજ 21

રાજ દરબાર અને પરરગ્રહનો ત્યાગ કયો અને પોિાના અને જીવમાત્રના જીવનમાાંર્ી કષ્ટ, પીડા અને દુુઃખને નાર્ કરવાનો માગશ ર્ોધવા સાધ ુબન્યા.

આ રીિે સાધ ુબની ઉઘાડા પગે િેઓ ત્તવચયાશ. િેઓ મનષુ્ય, પશ,ુ પક્ષી, જીવ-જ ાંત ુ અને વનસ્ટ્પત્તિ કે જીવમાત્રને દુુઃખ ન પડે િેની ખાસ કાળજી રાખિા. કરુણાર્ી પે્રરાઈને િેમણે રાખેલ એક જ વસ્ત્રનુાં દાન પણ એક ગરીબ વ્યક્ક્િને કયુું અને પછી આખી જજિંદગી વસ્ત્ર વગર રહ્યા.

આંિરરક બળ મેળવવા િેઓએ સાડા બાર વષશ સિિ આત્માનુાં ધ્યાન કયુું. અને િે દરમ્યાન

આહાર પણ ભાગ્યે જ લેિા. િેમના જીવનમાાં આવેલ ઉપસગો અને પરરષહોને િેઓ સ્ટ્વસ્ટ્ર્ અને ર્ાાંિ રહીને પસાર કરિા હિા. ઉપરાાંિ પોિાની ઇચ્છા અને આસક્ક્િને જીિવા િેઓ સાંપણૂશ મૌન રાખિા અને મધ્યસ્ટ્ર્ ભાવે જ રહિેા. ધીમે ધીમે િેમની આજત્મક ર્ક્ક્િ ત્તવકસી અને િેમને પ્રત્યક્ષ અને પરરપણૂશ જ્ઞાન, અમાપ ર્ક્ક્િ અને શદુ્ધ આચાર જે માનત્તસક પીડા કે સાંિાપર્ી મકુ્િ હોય િેનો સાક્ષાત્કાર ર્યો (અનભુવ ર્યો). એટલે કે ધ્યાનની ર્ક્ક્િર્ી આત્માના સવશ મળૂ ગણુો પ્રગટ ર્યા અને િે ગણુોને રોકનાર ચારેય ઘાિી કમોનો નાર્ ર્યો. આ સાક્ષાત્કારને કેવળજ્ઞાન કહવેાય છે. િેઓ સવશજ્ઞ વીિરાગ ર્યા.

પછીના ત્રીસ વષશ ભગવાન મહાવીર આખા ભારિમાાં ફયાશ અને જે સનાિન સત્યનો અનભુવ કયો િેનો ઉપદેર્ આપ્યો. િેમણે જૈન દર્શન પ્રમાણે િેમની પહલેાાં ર્ઈ ગયેલા ભગવાન પાશ્વશનાર્ અને બીજા બધા િીર્ુંકરોએ જે બોધ આપ્યો હિો િેની પરાંપરા જાળવી નવા જૈન સાંઘની સ્ટ્ર્ાપના કરી.

ભગવાન મહાવીરે બ્રહ્ચયશ વ્રિને જુદુાં જ મહત્વ આપી ભગવાન પાશ્વશનાર્ના ચાર વ્રિને બદલે પાાંચ મહાવ્રિર્ી િેના આચારમાાં વધારો કયો. િેમણે સામાત્તયક, પ્રત્તિક્રમણ ત્તવગેરે ૬ આવશ્યક રક્રયા દરરોજ પાલન કરવાનુાં

Page 23: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૧ જૈન દર્શન

22 જૈન દર્શન અને આચારની સરળ સમજ

િેમના ત્તર્ષ્યોને સમજાવ્યુાં. િેમણે કરેલા ફેરફારો આધ્યાજત્મક પ્રગત્તિ માટે િે સમયે જરૂરી હિા. આમ ભગવાન મહાવીરે સમય અનકૂુળ ધમશના આચારમાાં મહાન સધુારા કરીને િેને વ્યવક્સ્ટ્ર્િ કયો.

જીવમાત્ર જન્મ-મરણના ફેરાર્ી દુુઃખર્ી અને પીડાર્ી કેવી રીિે મકુ્િ ર્ાય અને કાયમી ર્ાશ્વિ સખુ પ્રાપ્િ કરી ર્કે એ જ એમના બોધનો અંત્તિમ હતે ુ હિો. આ અવસ્ટ્ર્ા મકુ્ક્િ, ત્તનવાશણ કે મોક્ષના નામર્ી ઓળખાય છે.

૭૨ વષશની ઉંમરે (૫૨૭ બી સી) ભગવાન મહાવીર પાવાપરુીમાાં ત્તનવાશણ પામ્યા. એમના શદુ્ધ આત્માએ અંત્તિમ દેહ છોડી દીધો અને સાંપણૂશ મકુ્ક્િ પામ્યા.

િેઓ ત્તસદ્ધ બન્યા. િેઓ શદુ્ધ ચૈિન્યપણૂશ અને કમશ રરહિ શદુ્ધ આત્માની કાયમી ત્તસદ્ધ અવસ્ટ્ર્ા પામ્યા. િેમના ત્તનવાશણની સાંધ્યાએ, િેમની આધ્યાજત્મક ઉન્નત્તિને માન આપવા લોકોએ દીપ પ્રગટાવી દીપાવલીનો િહવેાર ઉજવ્યો. હાલના જૈન કેલેન્ડર પ્રમાણે વષશનો એ અંત્તિમ રદવસ છે.

ભગવાન મહાવીરનો ઉપદેર્

ભગવાન મહાવીરે સવશને કરુણા અને સરળ જજિંદગી માટે અરહિંસા, સત્ય,

અચૌયશ, બ્રહ્ચયશ અને અપરરગ્રહનુાં પાલન કરવાનો બોધ આપ્યો.

ભગવાન મહાવીરે ભારપવૂશક કહ્ુાં કે પ્રત્યેક જીવમાત્રનો આકાર, રૂપ, દેખાવ,

પાંર્ કે આધ્યાજત્મક મોભો ધ્યાનમાાં રાખ્યા ત્તવના બધા સમાન છે અને આપણે િેમને માન અને પે્રમ આપવા જોઈએ અને કરુણા રાખવી જોઇએ. આ રીિે િેમણે ત્તવશ્વપે્રમનો બોધ આપ્યો.

િેમના બોધ પ્રમાણે, આપણે આપણી જરૂરરયાિો ઓછી કરવી જોઈએ,

ઇચ્છાઓ ઘટાડવી જોઈએ, અને વપરાર્ને મયાશરદિ કરવી જોઈએ. કુદરિની

Page 24: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૦૩ ભગવાન મહાવીર

જૈન દર્શન અને આચારની સરળ સમજ 23

કોઈપણ સાધન-સામગ્રીનો દુરુપયોગ અર્વા જરૂરરયાિ કરિાાં વધારે ઉપયોગ કરવો િે ચોરી અને રહિંસા જ છે.

ભગવાન મહાવીરે કહ્ુાં કે જીવાંિ ર્રીર એ લોહી માાંસનુાં એકલુાં માળખુાં (કલેવર) નર્ી પણ અનાંિ દર્શન, અનાંિ જ્ઞાન, અનાંિ વીયશ અને અનાંિ સખુવાળા આત્માનુાં ઘર છે. ભગવાન મહાવીરના આ સાંદેર્ામાાં વ્યક્ક્િની સ્ટ્વિાંત્રિા અને આધ્યાજત્મક આનાંદનુાં પ્રત્તિભબિંબ જોવા મળે છે.

ભગવાન મહાવીરે સમજાવ્યુાં કે ત્તવશ્વનો અને િેમાાં રહલેા િત્ત્વોનો કોઈ આરાંભ કે અંિ નર્ી. િેર્ી િેમણે ભગવાન સષૃ્ષ્ટના સર્જક, રક્ષક કે ભક્ષક છે એ વાિને સ્ટ્વીકારી નર્ી.

સાંપણૂશ સત્ય કોઈ એક ચોક્કસ ત્તવચારર્ી ગ્રહણ કરી ર્કાય નહીં. સાંપણૂશ સત્ય િો વ્યક્ક્િગિ જુદા જુદા ત્તવચારો ભલે િે ત્તવરોધાભાસી લાગે છિાાં િે બધાનો સરવાળો છે, માટે બધી પરરક્સ્ટ્ર્ત્તિઓને સમાન રષ્ષ્ટર્ી જોવી જોઈએ. ગમો-અણગમો રાખ્યા વગર િેમણે જીવન પ્રત્યેનો ત્તવધેયાત્મક અનેકાાંિ અભભગમ અને સ્ટ્વપરુુષાર્શન ુાં મહત્વ સમજાવ્યુાં.

ધમશનુાં આચરણ લોભ કે અંદરના ભય વગર કરવાનુાં િેમણે સચૂવ્યુાં. ભૌત્તિક સખુ અને અંગિ લાભ માટે કોઇ પણ દેવ-દેવીઓને ભજવા િે સાચા આધ્યાજત્મક માગશર્ી ત્તવરુદ્ધ છે.

ભગવાન મહાવીરનો બોધ આત્માની આંિરરક સુાંદરિા અને સમેુળને પ્રત્તિભબિંભબિ કરે છે. િેમણે ધમશને જરટલ રક્રયાકાાંડર્ી મકુ્િ કરી સરળ અને સહજ બનાવી દીધો.

નોંધ – અત્યારના સમયમાાં અંગિ લાભ માટે કે ભયને દૂર કરવા આપણે દેવ-દેવીઓની પજુા,પ્રાર્શના અને પજૂન કરીએ છીએ િેમ જ કેટલીક જરટલ ધાત્તમિક ત્તવત્તધ જૈન ધમશમાાં જોવા મળે છે િે ત્તવત્તધઓ છેલ્લા સો બસો વષશ માાં દાખલ ર્યેલ છે જેને કારણે ધાત્તમિક ત્તવત્તધઓમાાંર્ી સાદગી જિી રહી છે અને ધમશનો મહદ્ અંરે્ દેખાવ વધી ગયો છે જે ભગવાન મહાવીરના ઉપદેર્ર્ી િદ્દન ત્તવરૂધ્ધ છે.

Page 25: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૨ િત્વજ્ઞાન

24 જૈન દર્શન અને આચારની સરળ સમજ

મવભાગ-૨

તત્તવજ્ઞાન

Page 26: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૦૪ જૈન ધમશની મળૂભિૂ માન્યિાઓ

જૈન દર્શન અને આચારની સરળ સમજ 25

0૪. જૈન ધમવની મળૂભતૂ માન્ર્તાઓ

નીચેની યાદી જૈન ધમશની મખુ્ય માન્યિાઓનો સારાાંર્ છે.

સષૃ્ષ્ટની અને િેમાાં રહલેા મળૂરવ્યોની કોઈ ર્રૂઆિ નર્ી કે કોઈ અંિ નર્ી અને િે સ્ટ્વયાંભ ૂસનાિન અને ર્ાશ્વિ છે. કોઈએ િેનુાં સર્જન કયુું નર્ી અને કોઈ િેનો નાર્ કરી ર્કે િેમ નર્ી.

સષૃ્ષ્ટના બાંધારણમાાં છ મખુ્ય િત્ત્વો કે પદાર્શ અક્સ્ટ્િત્વ ધરાવે છે જે “રવ્ય” ને નામે ઓળખાય છે. િે જીવાક્સ્ટ્િકય, પદુ્ગલાક્સ્ટ્િકાય,

ધમાશક્સ્ટ્િકાય, અધમાશક્સ્ટ્િકાય, આકાર્ાક્સ્ટ્િકાય અને કાળ છે.

આ છ એ િત્ત્વો (રવ્યો) ર્ાશ્વિ છે. િેમનામાાં દરેક સમયે સિિ અગભણિ પરરણમન ર્િા હોય છે. િેમ છિાાં િે એક િત્વમાાંર્ી બીજામાાં પરરવિશન ર્િા નર્ી અને પોિાના અંિગશિ ગણુોને પકડી રાખે છે.

જીવ અર્વા આત્મા એક જ જીવાંિ િત્વ છે જે ચેિન છે. દરેક જીવિો જીવ આત્મા છે. આ સષૃ્ષ્ટ ઉપર અનાંિ આત્માઓ અક્સ્ટ્િત્વ ધરાવે છે. અને િે બધા જ વ્યક્ક્િગિ રીિે અલગ અને અજોડ છે. બાકીના પાાંચ િત્ત્વો અજીવ છે.

અનાંિકાળર્ી આત્મા અજ્ઞાનર્ી (ત્તમથ્યાત્વ) િેના સાચા સ્ટ્વરૂપને જાણિો નર્ી અને ર્રીરને જ આત્મા માનીને વિે છે. અને કમશ બ ાંધનના ત્તનત્તમિર્ી અજ્ઞાની આત્મા આવા ભ્રમમાાં વિશવાન ુચાલ ુરાખે છે.

કમશર્ી બાંધાયેલ આત્મા કમશ ભોગવિી વખિે પોિાના અજ્ઞાન, ત્તમથ્યાત્વ અને કષાયર્ી સિિ નવા કમોર્ી આકષાશય છે અને નવા કમો બાાંધે છે. આ કમશને કારણે જ આત્મા એક જન્મર્ી બીજા જન્મના ફેરા કયાશ કરે છે અને સખુ, દુુઃખ કે પીડાની પરરક્સ્ટ્ર્ત્તિમાાંર્ી પસાર ર્યા કરે છે.

શદુ્ધ આત્માને કોઈ કષાય જેવા કે ક્રોધ, માન, માયા અને લોભ હોિા નર્ી. એટલે કે શદુ્ધ આત્માને કોઈ કમશ લાગેલા હોિાાં નર્ી અને નવા કમો લાગિાાં નર્ી. શધુ્ધ આત્મામાાં પણૂશ જ્ઞાન, પારલૌરકક રષ્ષ્ટ, અનાંિ

Page 27: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૨ િત્વજ્ઞાન

26 જૈન દર્શન અને આચારની સરળ સમજ

ર્ક્ક્િ અને વીયશ હોય છે. વળી અર્રીરી હોઇ ત્તવઘ્ન વગર અનાંિ મોક્ષનુાં સખુ અનભુવે છે.

આત્મા િેના અશદુ્ધ રૂપમાાં (આત્માને વળગેલા કમો-કષાયો ના કારણે) હોય ત્યારે િે આત્મા ત્તવરે્ ત્તવપરીિ જ્ઞાન અને શ્રધ્ધા ધરાવે છે. િેની સમજ અને ર્રકિ પણ મયાશરદિ હોય છે. િેર્ી ર્રીર અને િેની મયાશદાઓ િેને સખુ અને દુુઃખનો અનભુવ કરાવે છે.

આત્માનુાં અંત્તિમ લક્ષ્ય િેના શદુ્ધ સ્ટ્વરૂપની ઓળખ અને સમજ. અને િે સ્ટ્વરૂપને પ્રાપ્િ કરીને દુુઃખમાાંર્ી મકુ્ક્િ મેળવવાનુાં છે.

જૈન ધમશ માને છે કે શદુ્ધ આત્માના સ્ટ્વરૂપનુાં સાચુાં જ્ઞાન, િે જ્ઞાન ઉપર શ્રદ્ધા અને િેને યોગ્ય આચાર આપણા કષાયોને દૂર કરે છે. અને િેર્ી કમશના બાંધન સિિ કપાય છે અને અંિે કમશર્ી મકુ્િ ર્વાય છે.

જૈન ધમશ માને છે કે જીવ માત્ર પોિે જ પોિાના ભાગ્યને ઘડે છે િેઓ સ્ટ્વપ્રયત્ન અને આત્મત્તનભશરિા ઉપર જ િેમની સાાંસારરક જવાબદારીઓ અને આત્મોદ્ધાર અર્વા મકુ્ક્િનો (ત્તવશ્વાસ) આધાર રાખે છે.

સાંપણૂશ સત્ય ક્યારેય એક જ રષ્ષ્ટકોણર્ી જાણી ર્કાય નહીં. ધમશનુાં સાચુાં વાસ્ટ્િત્તવક સ્ટ્વરૂપ સમજવા માટે દરેક પરરક્સ્ટ્ર્ત્તિ અને ત્તવચારનુાં બહતુ્તવધ યર્ાર્શ સમજપવૂશક ત્તવચાર કરી િેને ત્તવધેયક રીિે સ્ટ્વીકારવુાં જોઈએ. આ ત્તવચારધારાને “અનેકાાંિવાદ” કહ ેછે.

જૈન ધમશ માનિો નર્ી કે એવી કોઈ અલૌરકક ર્ક્ક્િ છે જેને આપણે ખરુ્ કરીશુાં િો આપણને મદદ કરરે્ અને ત્તવઘ્ન નાાંખીશુાં િો દુુઃખ આપરે્.

Page 28: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૦૫ સષૃ્ષ્ટના મળૂભિૂ છ રવ્યો

જૈન દર્શન અને આચારની સરળ સમજ 27

0૫. સષૃ્ટટના મળૂભતૂ છ દ્રવ્ર્ો સષૃ્ટટનો સ્વભાવ

જૈન દર્શન માને છે કે સષૃ્ષ્ટનો આરાંભ કે અંિ નર્ી અને િે સ્ટ્વયાંભ ૂર્ાશ્વિ અને સનાિન છે. છ મળૂ િત્ત્વો જે રવ્યના નામે ઓળખાય છે િે સષૃ્ષ્ટનુાં બ ાંધારણ કરે છે. આ છ એ રવ્યો સનાિન હોવા છિાાં િે સ્ટ્વયાં સિિ અગભણિ પરરવિશન પામે છે જેને પયાશય (અવસ્ટ્ર્ા) કહ ે છે. આ પરરવિશન પ્રરક્રયા દરમ્યાન કશુાં જ નાર્ નર્ી પામતુાં કે નવુાં નર્ી બનતુાં. િે મળૂ િત્ત્વો અને િેના મળૂ ગણુો બદલાયા વગર એના એ જ રહ ેછે. આ ગણુોના સમહૂને જ રવ્ય કહવેાય છે.

ભગવાન મહાવીર આ આખી ઘટનાને નીચેના સતૂ્રના ત્રણ પદોર્ી સમજાવે છે જે ત્તત્રપદીર્ી ઓળખાય છે.

મત્રપદી उप्पन्नेइ वा, ववगमेइ वा, धवेुइ वा ।।

રવ્યના પયાશય નુાં ઉત્પન્ન ર્વુાં, રવ્યના પયાશય નો નાર્ ર્વો, અને રવ્યના મળુ ગણુો કાયમ રહવેા.

િેમણે ઉપદેર્ આપ્યો કે અક્સ્ટ્િત્વના દરેક રવ્યો (જે સત ્ર્ી ઓળખાય છે) િે રવ્યના ગણુોર્ી િે કાયમી છે પણ પરરવિશનર્ી દરેક સમયે િેમાાં નવા પયાશય ઉત્પન્ન ર્ાય છે અને જુના પયાશય નાર્ પામે છે.

સષૃ્ટટના મળૂભતૂ છ દ્રવ્ર્ો આત્મા કે જીવ એક જ ચેિન રવ્ય છે. બાકીના પાાંચ િત્ત્વો અજીવ છે. િેઓ ભેગા ર્ઇને અજીવ રવ્ય િરીકે પણ ઓળખાય છે.

વળી અજીવ િત્ત્વોમાાં પદુ્ગલ ત્તસવાયના બીજા િત્ત્વો ચક્ષ ુદ્વારા જોઈ ર્કાિા નર્ી. પણ આપણને મકૂ સેવક િરીકે સહાય કરે છે. િે સમસ્ટ્િ ત્તવશ્વમાાં વ્યાપી રહ્યાાં છે.

નીચે છ મળૂભિૂ િત્ત્વો કે રવ્યોની યાદી છે, કે જે સષૃ્ષ્ટનુાં ત્તનમાશણ કરે છે.

Page 29: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૨ િત્વજ્ઞાન

28 જૈન દર્શન અને આચારની સરળ સમજ

દ્રવ્ર્ અન્સ્તગણુ વ્ર્ાખ્ર્ા ગણુ

જીવ જીવાક્સ્ટ્િકય આત્મા અર્વા ચેિન અરૂપી રવ્ય

પદુ્ગલ પદુ્ગલાક્સ્ટ્િકાય વણશ, ગાંધ, રસ,

સ્ટ્પર્શવાળાં રૂપી રવ્ય

ધમવ ધમાશક્સ્ટ્િકાય જીવ અને પદુ્ગલને માટે ગત્તિ સહાયક રવ્ય

અરૂપી રવ્ય

અધમવ અધમાશક્સ્ટ્િકાય જીવ અને પદુ્ગલને માટે ક્સ્ટ્ર્ત્તિ સહાયક રવ્ય

અરૂપી રવ્ય

આકાર્ આકાર્ાક્સ્ટ્િકાય સવશ પદાર્ોને જગા આપવામાાં સહાયક રવ્ય

અરૂપી રવ્ય

કાળ *કાળ અક્સ્ટ્િકાય નર્ી

દરેક રવ્યના પરરવિશનમાાં સહાયક કરનારુાં િત્ત્વ

અરૂપી રવ્ય

અક્સ્ટ્િ=પ્રદેર્, કાય=સમહૂ. પ્રદેર્ોનો સમહૂ િે અક્સ્ટ્િકાય.

*કાળને અક્સ્ટ્િકાય કહવેાય નહીં કારણકે કાળના અણુાંઓનો સમહૂ ર્ઈ ર્કે નહીં (વિશમાન કાળનો અણ ુઅને ભત્તવષ્ય કાળનો અણ ુએક સારે્ ભેગા ર્ઈ ન ર્કે).

જીવ અથવા આત્તમા આત્મા એક જ જીવાંિ િત્વ છે. જે ચેિન છે અને જ્ઞાન ધરાવે છે, આ સષૃ્ષ્ટ પર અનાંિ આત્માઓ અક્સ્ટ્િત્વ ધરાવે છે. િેના શદુ્ધ સ્ટ્વરૂપમાાં (કામશણવગશણા વગરના) આત્મા શદુ્ધ જ્ઞાન, પારલૌરકક રષ્ષ્ટ, અનાંિ ર્ક્ક્િ અને ત્તવઘ્ન વગર અનાંિ સખુ ધરાવે છે. જ્યારે કામશણ વગશણાવાળો આત્મા મયાશરદિ જ્ઞાન,

Page 30: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૦૫ સષૃ્ષ્ટના મળૂભિૂ છ રવ્યો

જૈન દર્શન અને આચારની સરળ સમજ 29

ર્ક્ક્િ, સઝૂ અને સમજવાળો િર્ા દેહધારી હોય છે. આને લીધે િેને સખુ અને દુુઃખનો અનભુવ ર્ાય છે. બીજા ર્બ્દોમાાં કહીએ િો શદુ્ધાત્મા િેના અમયાશરદિ ગણુોર્ી જણાય છે અને અશદુ્ધ આત્મા મયાશરદિ દોષ ગણુોર્ી ઓળખાય છે.

આ રવ્ય ફક્િ લોકાકાર્માાં જ વ્યાપેલ છે. લોકાકાર્ની બહાર િેન ુઅક્સ્ટ્િત્વ નર્ી

પદુ્ગલ તત્તવ અને કમવરજ

પદુ્ગલ અજીવ િત્વ છે. બધા રૂપી (વણશ, ગાંધ, રસ, સ્ટ્પર્શ) રવ્યો પદુ્ગલ કહવેાય છે. પણ કેટલાક પદુ્ગલ અત્યાંિ સકૂ્ષ્મ હોવાર્ી નરી આંખે જોઈ ર્કાિા નર્ી. વળી બીજા પાાંચ મળૂભિૂરવ્યો-જીવાક્સ્ટ્િકાય, ધમાશક્સ્ટ્િકાય, અધમાશક્સ્ટ્િકાય,

આકાર્ાક્સ્ટ્િકાય અને કાળ પણ અરૂપી છે.

જગિની રચનામાાં ઘણા પ્રકારના પદુ્ગલો વ્યાપેલા છે. જે કાાંઈ આપણે જોઈએ છીએ, સ્ટ્પર્ીએ છીએ કે અનભુવીએ છીએ િે િો પદુ્ગલ રવ્ય છે પણ િે ઉપરાાંિ ધ્વત્તન, પ્રકાર્, અંધકાર, રાંગ અને ગાંધ પણ જુદા જુદા પ્રકારના પદુ્ગલ રવ્યો છે િેમ જૈન ધમશ માને છે.

વગવણા આ જગિ ઘણા પ્રકારના પદુ્ગલ રવ્યોર્ી ભરેલુાં છે. િે બધા રવ્યોમાાં જીવ માત્ર આઠ પ્રકારના પદુ્ગલ રવ્યો સારે્ જ પ્રત્તિરક્રયા કરે છે જેને વગશણા કહવેાય છે.

વગવણાના નામ કાર્વ

ઔદારરક વગવણા ઔદારરક ર્રીર (આપણ ુર્રીર)ની રચના કરે છે.

વૈરક્રર્ વગવણા દેવ અને નારકીના ર્રીરની રચના કરે છે

આહારક વગવણા આધ્યાજત્મક રષ્ષ્ટએ આગળ વધેલા સાધભુગવાંિો પાસે આ ર્રીર બનાવવાની ર્રકિ હોય છે. િે કદમાાં ઘણુાં નાનુાં હોય છે.

Page 31: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૨ િત્વજ્ઞાન

30 જૈન દર્શન અને આચારની સરળ સમજ

તેજસ વગવણા ગરમી અને પાચન ર્ક્ક્િની રક્રયા આ વગશણા ર્ી ર્ાય છે

ભાષા વગવણા જીવ જે ર્ક્ક્િ વડે ભાષા યોગ્ય પદુ્ગલો ગ્રહણ કરી વચનમાાં પરરણમાવે છે.

મન વગવણા મનને યોગ્ય પદુ્ગલો ગ્રહણ કરી ત્તવષય ભચિંિનમાાં પરરણમાવે છે.

િાસોચ્છ્વાસ વગવણા

જીવ જે ર્ક્ક્િ વડે શ્વાસોચ્વાસ યોગ્ય પદુ્ગલો ગ્રહણ કરે છે.

કામવણ વગવણા કામશણ ર્રીર એટલે કે જીવ સારે્ બાંધાયેલ કમશનો જ્થ્ર્ો િે કામશણ ર્રીર. આ અત્તિ સકૂ્ષ્મ રવ્ય છે.

ઔદારરક અને વૈરક્રય વગશણાઓ કદમાાં મોટી હોવાર્ી જોઈ ર્કાય છે જ્યારે બીજી વગશણાઓ ક્દમાાં ઘણી સકૂ્ષ્મ હોય છે િેર્ી િે જોઇ ર્કાિી નર્ી. જ્યારે આ વગશણાઓ આત્માના સાંબ ાંધમાાં આવે છે ત્યારે િેના લક્ષણો જણાઈ આવે છે. જેમકે સ્ટ્પર્શ, રસ, ગાંધ, દૃશ્ય અને રાંગ.

અત્તિ સકૂ્ષ્મ રવ્ય (આઠે વગશણાનુાં નાનામાાં નાનુાં કદ) કામશણ વગશણા છે આ રવ્ય રશ્યમાન નર્ી પણ િે ભૌત્તિક રવ્ય છે િેમ જૈન ધમશ માને છે.

આ રવ્ય ફક્િ લોકાકાર્માાં જ વ્યાપેલ છે. લોકાકાર્ની બહાર િેન ુઅક્સ્ટ્િત્વ નર્ી

ધમાવન્સ્તકાર્ અને અધમાવન્સ્તકાર્ – ગમત અને ન્સ્થમતના સહાર્ક દ્રવ્ર્

ધમાશક્સ્ટ્િકાયનો ગણુ જીવ અને પદુ્ગલને ગત્તિમાાં સહાયક એટલે કે ત્તનત્તમિ ર્વાનો છે. અધમાશક્સ્ટ્િકાયનો ગણુ િે રવ્યોને ક્સ્ટ્ર્ર ર્વામાાં સહાયક છે. આમ આ બાંને રવ્યો જીવ અને પદુ્ગલ ને ગત્તિ કે ક્સ્ટ્ર્ત્તિ કરવાના કારણભિૂ નર્ી પણ િેઓ િેમની ગત્તિ કે ક્સ્ટ્ર્ત્તિમાાં સહાયક છે. વળી આ બને્ન રવ્યો ફક્િ લોકાકાર્માાં જ વ્યાપેલા છે. લોકાકાર્ની બહાર િેઓન ુઅક્સ્ટ્િત્વ નર્ી.

Page 32: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૦૫ સષૃ્ષ્ટના મળૂભિૂ છ રવ્યો

જૈન દર્શન અને આચારની સરળ સમજ 31

આકાર્ – જગા આપવામા ંસહાર્ક દ્રવ્ર્

આખી સષૃ્ષ્ટ બે ભાગમાાં વહેંચાયેલી છે. લોકાકાર્ (ત્તવશ્વ) અને અલોકાકાર્ (બાકીનો ખાલી ભાગ)

લોકાકાર્ –

અવકાર્નો કેટલોક ભાગ કે જે બાકીના પાાંચ રવ્યોવાળો છે િે લોક કે લોકાકાર્ (સષૃ્ષ્ટ) ના નામર્ી ઓળખાય છે. િે સીત્તમિ અને રષ્ષ્ટ મયાશદાવાળો છે. લોકાકાર્ ચાર પેટાભાગોમાાં વહેંચાયેલો છે.

ઉપરનુ ંમવિ – અહીં વૈમાત્તનક દેવો, ગૈ્રવેયક દેવો, અને અનતુ્િર દેવો રહ ેછે. અહીં િેઓનુાં મયાશરદિ વષોનુાં જીવન હોય છે પછી િેઓ મનષુ્ય અર્વા ત્તિયુંચ ભવમાાં જન્મે છે. લોકાકાર્નો સૌર્ી ઉપરનો પ્રદેર્ જ્યાાં ત્તસદ્ધાત્માઓનો વાસ છે િેને મોક્ષ કહ ે છે. િેઓ અનાંિકાળ સધુી કાયમી રહરેે્.

મધ્ર્ જગત – અહીં જ્યોત્તિષ્ક દેવ, મનષુ્ય, ત્તિયુંચ અન ે વ્યાંિર દેવો રહ ે છે. સષૃ્ષ્ટનો આ એક જ પ્રદેર્ એવો છે કે જ્યાાંર્ી મનષુ્ય જ્ઞાન પામે છે

Page 33: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૨ િત્વજ્ઞાન

32 જૈન દર્શન અને આચારની સરળ સમજ

અને જ્ઞાનર્ી આત્મબળ ખીલ ેછે અને િેનાર્ી છેવટે મકુ્ક્િ મેળવ ેછે.

નીચેનુ ં(મનમ્ન) જગત – આ પ્રદેર્માાં ભવનપત્તિ દેવો અને નારકી જીવો (ભારે દુષ્ટ, ર્ેિાની) રહ ેછે. અહીં સાિ નરક છે. પહલેી ત્રણ નારકી જીવોને પરમાધામી દેવો ત્રાસ અન ેપીડા આપ ે છે. આ પરમાધામી દેવો ભવનપત્તિ દેવોની એક જાિ છે. પછીની નરકોમાાં નારકીના જીવો એક બીજાન ેત્રાસ આપે છે અને િે જ્ગ્યા ભયાંકર ગરમી અન ે ઠાંડીવાળા વાિાવરણની હોય છે િે ત્રાસદાયક જ્ગ્યા હોય છે. િમેના મતૃ્ય ુપછી િેઓ ત્તિયુંચ કે મનષુ્ય િરીકે જન્મ ેછે.

અલોકાકાર્

લોકાકાર્ની બહારના અનાંિ ત્તવસ્ટ્િારને અલોકાકાર્ કહ ેછે જે લોકાકાર્ર્ી અનાંિ ગણો મોટો અને ખાલી છે.

કાળ (સમર્) જીવ અને પદુ્ગલના અક્સ્ટ્િત્વની અવસ્ટ્ર્ા સિિ બદલાિી રહ ેછે જેને પયાશય કહ ેછે. આ બદલાિી અવસ્ટ્ર્ાની ગણિરીને કાળ કહ ેછે.

કાળ અર્વા સમયને લગિા બે મિો જૈનધમશમાાં પ્રવિે છે.

1. કાળ એ કાલ્પત્તનક વાિ છે, િેનુાં વાસ્ટ્િત્તવક કોઈ અક્સ્ટ્િત્વ નર્ી. િેઓ માને છે કે સષૃ્ષ્ટના બાંધારણમાાં છ નહીં પણ મળૂભિૂ પાાંચ રવ્યો છે.

2. કાળના બાંધારણમાાં અગભણિ પદુ્ગલો રહલેા છે. કાળના નાનામાાં નાના અત્તવભાજ્ય ભાગને સમય કહ ેછે. એકત્ર ર્યેલા સમયને પળ, સેકન્ડ,

ત્તમત્તનટ, કલાક, રદવસ, મરહનો, વષશ એમ કહવેાય છે. અરરહાંિ કે કેવલીના જ્ઞાનમાાં અંરકિ ર્યેલા સારભિૂ િત્વ માાં નાનામાાં નાના ફેરફારને સમય કહ ેછે. જે કાળનુાં મળૂ એકમ છે.

Page 34: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૦૫ સષૃ્ષ્ટના મળૂભિૂ છ રવ્યો

જૈન દર્શન અને આચારની સરળ સમજ 33

જૈન ધમશ ઐત્તિહાત્તસક કાળને ચક્રાકારમાાં બારીકાઇર્ી જોવે છે. કાળચક્ર િે કોઈ ચક્ર નર્ી પણ પરરવિશનર્ીલ હોવાર્ી િેને સમજવા માટે િે ર્ાષ્બ્દક પ્રયોગ છે. નીચે ઊિરિા કાળચક્રને અવસત્તપિણી (અધશચક્ર) અને ઉપર જિાાં કાળચક્રને ઉત્સત્તપિણી (બાકીનુાં અધશ ચક્ર) કહ ેછે. આખા કાળચક્રને કલ્પ કહ ેછે.

પ્રર્મ અધશ ચક્ર ઊિરિા ક્રમમાાં આગળ વધે છે, જે અવસત્તપિણી કાળ િરીકે ઓળખાય છે. જ્યાાં માનવીનાાં સખુ, સમદૃ્ધદ્ધ, બદુ્ધદ્ધ, ર્રીરનુાં કદ, ર્ારીરરક બળ અને આયષુ્ય સિિ ઊિરિા ક્રમમાાં હોય છે એટલે ઘટિા જાય છે.

Page 35: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૨ િત્વજ્ઞાન

34 જૈન દર્શન અને આચારની સરળ સમજ

બીજુ ાં અધશચક્ર ચઢિા ક્રમમાાં આગળ વધે છે. ચઢતુાં અધશચક્ર - જે ઉત્સત્તપિણી કાળ િરીકે ઓળખાય છે. જ્યાાં માનવીનાાં સખુ, સમદૃ્ધદ્ધ, બદુ્ધદ્ધ, ર્રીરનુાં કદ ર્ારીરરક બળ અને આયષુ્ય સિિ વધિાાં હોય છે.

આખા કાળચક્રનો કુલ સમય ૨૦ ક્રોડાક્રોડ સાગરોપમ = ૨૦ X ૧૦ E૭ X

૧૦ E૭ સાગર ટૂાંકમાાં િે ૨૦ ક્રોડાક્રોડ (૨૦ E14 અર્વા ૨૦ X૧૦,૦૦૦,૦૦૦

X ૧૦,૦૦૦,૦૦૦) સાગર કાળ.

દરેક અધશચક્રને છ પેટા ભાગમાાં વહેંચવામા આવે છે. જે છ આરા િરીકે ઓળખાય છે. આ છ આરાના નામ અને ક્રમ િર્ા પાછા ફરિા અધશકાળચક્રના નામ નીચે આપેલ છે.

આપણા ભરિ ક્ષેત્રમાાં ૨૪ િીર્ુંકરો અવસત્તપિણી (ઊિરિા) કાળના અને ૨૪ િીર્ુંકરો ઉત્સત્તપિણી (ચડિા) કાળના ત્રીજા અને ચોર્ા આરામાાં જન્મે છે.

અત્યારે આપણે અવસત્તપિણી (ઊિરિા) કાળના પાાંચમાાં આરાના કાળચક્રમાાં છીએ કે જે દુુઃખમ કાળ (દુુઃખી) આરા િરીકે ઓળખાય છે. જેના કુલ ૨૧૦૦૦ વષશમાાંર્ી ૨૫૦૦ વષશ પસાર ર્ઈ ગયા છે.

અવસમપિણી (ઊતરતા) કાળના છ આરા ૧ સખુમ સખુમ

કાળ સખુમાાં સખુમાાં સમય

૪ ક્રોડાક્રોડ સાગરોપમ સિિ ખબૂ જ સખુ

૨ સખુમ કાળ સખુી કાળ ૩ ક્રોડા ક્રોડ સાગરોપમ

૩ સખુમ દુઃખમ કાળ

સખુ વધ ુદુુઃખ ઓછાં ૨ ક્રોડાક્રોડ સાગરોપમ

૪ દુઃખમ સખુમ ્કાળ

દુુઃખ વધ ુસખુ ઓછાં ૧ ક્રોડાક્રોડ સાગરોપમર્ી ૪૨૦૦૦ વષશ ઓછાં

૫ દુઃખમ કાળ દુુઃખી સમય ૨૧૦૦૦ વષશ

Page 36: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૦૫ સષૃ્ષ્ટના મળૂભિૂ છ રવ્યો

જૈન દર્શન અને આચારની સરળ સમજ 35

૬ દુઃખમ કાળ દુુઃખ જ દુુઃખવાળો સમય

૨૧૦૦૦ વષશ

ઉત્તસમપિણી (ચડતા) કાળના છ આરા ૧ દુઃખમ દુઃખમ

કાળ

દુુઃખ જ દુુઃખવાળો સમય

૨૧૦૦૦ વષશ

૨ દુઃખમ કાળ દુુઃખી સમય ૨૧૦૦૦ વષશ

૩ દુઃખમ સખુમ ્કાળ

દુુઃખ વધ ુસખુ ઓછાં ૧ ક્રોડાક્રોડ સાગરોપમર્ી ૪૨૦૦૦ વષશ ઓછાં

૪ સખુમ દુઃખમ કાળ

સખુ વધ ુદુુઃખ ઓછાં ૨ ક્રોડાક્રોડ સાગરોપમ

૫ સખુમ કાળ સખુી કાળ ૩ ક્રોડા ક્રોડ સાગરોપમ

૬ સખુમ સખુમ કાળ

સખુમાાં સખુમાાં સમય

૪ ક્રોડાક્રોડ સાગરોપમ સિિ ખબૂ જ સખુ

Page 37: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૨ િત્વજ્ઞાન

36 જૈન દર્શન અને આચારની સરળ સમજ

કાળનુ ંવ્ર્ાવહારરક કોટટક

અસાંખ્ય સમય એક આવભલકા (આંખની પલક જેટલો)

૧,૬૭,૭૭,૨૧૬ આવભલકા ૧ મહુિૂશ. ૪૮ ત્તમત્તનટ

૩૦ મહુિૂશ ૧ રદવસ – રાિ=૨૪ કલાક

૩૦ રદવસો ૧ માસ

૧૨ મરહના ૧ વષશ

૫ વષશ ૧ યગુ

૮૪૦૦૦૦૦ X ૮૪૦૦૦૦૦ વષશ

૧ પવૂશ (૭૦,૫૬૦,૦૦૦,૦૦૦,૦૦૦,વષશ)

અસાંખ્ય વષશ ૧ પલ્યોપમ*

૧૦X૧૦,૦૦૦,૦૦૦X૧૦,૦૦૦,૦૦૦ પલ્યોપમ

એક સાગરોપમ અર્વા સાગર

૧૦X૧૦,૦૦૦,૦૦૦X૧૦,૦૦૦,૦૦૦ સાગરોપમ વષશ

અવસત્તપિણી અર્વા ઉત્સત્તપિણી - અધશ કાળ ચક્ર = ૧૦ ક્રોડા ક્રોડી સાગરોપમ

કલ્પ = ૨૦X૧૦,૦૦૦,૦૦૦

X ૧૦,૦૦૦,૦૦૦ સાગરોપમ

એક કાળ ચક્ર. = ૨૦ ક્રોડા ક્રોડી સાગરોપમ કાળ

*પલ્ય એટલે કૂવો, કૂવાની ઉપમા િે પલ્યોપમ અને સાગરની ઉપમા િે સાગરોપમ.

*એક પલ્યોપમ – સાિ રદવસના જન્મેલાાં યગુભલક બાળકના સકુોમળ વાળને ભેગા કરવામાાં આવે. િેના ઝીણાાં ટુકડાઓ કરી એક યોજન (ચાર ગાઉ) લાાંબો, પહોળો, ઊંડો કૂવો િે વાળર્ી સઘન ભરવામાાં આવે, અને પછી િે કૂવામાાંર્ી દર સો વષે એક એક વાળનો ટુકડો કાઢવામાાં આવે અને િે સાંપણૂશ ખાલી ર્ાય િે પલ્યોપમ કાળ છે.

Page 38: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૦૬ નવ િત્ત્વ અને કમશ ત્તસધ્ધાાંિ

જૈન દર્શન અને આચારની સરળ સમજ 37

૦૬. નવ તત્તત્તવ અને કમવ મસધ્ધાતં જૈન દર્શનમાાં કમશનો બોધ એ બહ ુમહત્વનો ત્તવષય છે. િે જન્મ-મરણના ફેરા, સખુ, દુુઃખ, બૌદ્ધદ્ધક અને ર્ારીરરક ર્ક્ક્િઓની અસમાનિા અને જુદા જીવોના અક્સ્ટ્િત્વ ત્તવષેની સમજણ િકશસાંગિ રીિે આપે છે.

જૈન ધમશ માને છે કે અનારદ કાળર્ી દરેક આત્મા િેના સાચા સ્ટ્વરૂપ અંગે અજ્ઞાન અને ભ્રાાંત્તિમાાં છે અને કમશર્ી પણ બાંધાયેલો છે.

અજ્ઞાન અને ભ્રાાંિ આત્મા કમશર્ી બાંધાયેલો હોય ત્યારે સિિ નવા કમો બાાંધે છે. કમશને કારણે જ આત્મા એક જન્મમાાંર્ી બીજા જન્મના ફેરા કરે છે અને ઘણી સખુદ અને દુુઃખદ પરરક્સ્ટ્ર્ત્તિમાાંર્ી પસાર ર્ાય છે.

આપણો આત્મા જે કમશ બાાંધે છે િે આપણા ર્રીર, કે ભાષાની રક્રયા કે પ્રયોગર્ી નહીં પણ િેની પાછળના આપણા હતે ુદ્વારા બાાંધે છે. જૈન ધમશનો આચાર આત્માના ત્તસદ્ધ સ્ટ્વરૂપની અનભુતૂ્તિ સધુી પહોંચવા પ્રયત્ન કરે છે જે િેના મળૂભિૂ શદુ્ધ સ્ટ્વરૂપમાાં છે. િે સ્ટ્વરૂપ પીડા, દુુઃખ, ઈચ્છા અને જન્મ મરણના બાંધનર્ી મકુ્િ છે. આ રીિે િે મકુ્ક્િનો પાયો ચણે છે.

કમશ ત્તવજ્ઞાન જીવનના ઘણા પાસાને આવરી લે છે જેમ કે આપણા પહલેાના કમશ, આપણુાં અત્યારનુાં જીવન અને ભત્તવષ્યની ક્સ્ટ્ર્ત્તિ, આ બાબિોને નવ િત્ત્વ અર્વા પાયાના મળૂ ત્તસદ્ધાાંિો દ્વારા સરળિાર્ી સમજાવવામાાં આવ્યા છે. આધ્યાજત્મક પ્રગત્તિ અને અંત્તિમ મકુ્ક્િ માટે આ નવ િત્વનુાં સાચુાં જ્ઞાન ખબૂ જરૂરી છે.

નવ મળૂભતૂ તત્તત્તવો જીવ ચૈિન્ય સરહિ છે, જીવે છે, પ્રાણને ધારણ કરે છે, જ્ઞાન

અને ઉપયોગ મય છે.

અજીવ ચેિના રરહિ છે. પ્રાણ કે ઉપયોગ લક્ષણ રરહિ છે.

આસ્રવ જેના દ્વારા કમો બાંધાય છે.

Page 39: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૨ િત્વજ્ઞાન

38 જૈન દર્શન અને આચારની સરળ સમજ

બધં કમશ નો બાંધ કેવા પ્રકાર નો ર્ાય છે િેનુાં વણશન.

પણુ્ર્* શભુકમશનુાં બ ાંધ ર્વુાં િે પણુ્ય.

પાપ* અશભુ કમશનુાં બ ાંધ ર્વુાં િે પાપ.

સવંર રોકવુાં. સારા કાયો અને શભુભાવ કે શધુ્ધ ભાવ દ્વારા નવા કમોર્ી બાંધાિા અટકવ.ુ

મનર્જરા બાાંધેલા કમોનો અંરે્ અંરે્ અભ્યાંિર િપ દ્વારા (સારા કાયો અને સારા ભાવ દ્વારા) ક્ષય ર્વો.

મોક્ષ બાાંધેલા કમોનો સાંપણૂશ ક્ષય ર્વો, આત્માના શદુ્ધ સ્ટ્વરૂપનુાં પ્રગટ ર્વુાં.

* કેટલુાંક સારહત્ય પણુ્ય અને પાપને જુદા િત્ત્વ િરીકે ગણે છે જ્યારે કેટલાક િેને આસ્રવમાાં જ ગણે છે. ખરેખર િો પાપ અને પણુ્ય એ આસ્રવ િત્વના ભેદ છે. િેર્ી ખરેખર િો કુલ સાિ જ િત્ત્વ છે.

Page 40: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૦૬ નવ િત્ત્વ અને કમશ ત્તસધ્ધાાંિ

જૈન દર્શન અને આચારની સરળ સમજ 39

જીવ અને અજીવ પહલેાાં બે િત્ત્વો જીવ અને અજીવ, જે સષૃ્ષ્ટનુાં ભૌત્તિક વાસ્ટ્િત્તવક અને સાચુાં સ્ટ્વરૂપ સમજાવે છે. જીવ િત્ત્વ આત્મા છે અને અજીવ િત્વ બાકીના પાાંચ દ્ર્વવ્યો (પદુ્ગલ, ધમશ, અધમશ, કાળ અને આકાર્ ) છે. કમશ ત્તવજ્ઞાનનો સાંદભશ જોિાાં અજીવ િત્ત્વનો સાંબ ાંધ કમશ અર્વા કાત્તમિક વળગણા સારે્ છે. બાકીના સાિ કે પાાંચ િત્ત્વો આત્મા અને કમશના સાંબ ાંધો સમજાવે છે.

આસ્રવ - કમવબધં અને તેના કારણો આત્માનુાં કમશ સારે્ જોડાવુાં િે કમશબ ાંધ કે આસક્ક્િ જે આસ્રવ નામે ઓળખાય છે િેના મખુ્ય કારણો નીચે મજુબ છે.

મમથ્ર્ાત્તવ છ (૬) દ્ર્વવ્યો અને નવિત્ત્વોનુાં જેવુાં સ્ટ્વરૂપ છે િેનાર્ી ત્તવપરીિ સમજવુાં અને િે પ્રમાણે આચરણ કરવુાં.

અમવરમત અરહિંસા, દયા, કરૂણા, સ્ટ્વાધ્યાય અને ધ્યાન રરહિ અસાંયમી જીવન ફકિ ભૌત્તિક સખુ અને આનાંદ માટે જીવવુાં.

પ્રમાદ આધ્યાજત્મક નીરસિા (આળસ), ધમશમાાં અનાદર, અરુભચ અને ત્તવષય કષાયમાાં રત્તિ હોવી.

કષાર્ ક્રોધ, માન, માયા, લોભ એવા કષાયવાળ જીવન જીવવુાં.

ર્ોગ મન, વચન, કાયાની શભુાશભુ પ્રવતૃ્તિ કરવી.

ઉપરના પાાંચ કારણોને રહસાબે આપણે કોઈ પણ પ્રવતૃ્તિ કરીએ જેને કારણે આત્માને આંદોલન ર્ાય અને આ કારણોર્ી કમશરજ કે કમશવગશણા કમશમાાં પરરણમે છે એટલે કે આત્માને વળગે છે. આ બધી પ્રવ્રતૃ્તિ ને આસ્રવ કહવેાય છે

અનારદકાળર્ી આત્માને આ કામશણ વળગણા લાગેલી છે. આ કાત્તમિક વગશણાને કામશણ ર્રીર કે કમશ કહ ેછે. આત્મા જે કાત્તમિક રવ્યર્ી ઢાંકાયેલો છે િે ઉપર બિાવેલા કારણો દ્વારા દરેક પળે સિિ નવા કમો બાાંધે છે.

Page 41: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૨ િત્વજ્ઞાન

40 જૈન દર્શન અને આચારની સરળ સમજ

વળી દરેક સમયે ર્ોડાક જૂના કમો ઉદયમાાં આવે ત્યારે િે કમો િે સમયે િેના બાંધન પ્રમાણેની પરરક્સ્ટ્ર્ત્તિ સજીને પછીના સમયે આત્માર્ી ખરી પડે છે જેને અકામ કમશત્તનર્જરા કેહવાય છે.

આ સિિ ચાલિી કમશબ ાંધ અને કમશત્તનર્જરાની પ્રરક્રયાને કારણે જ આત્મા જન્મ-મરણના ફેરા કરે છે અને સખુ અને દુુઃખ અનભુવે છે. િેર્ી સામાન્ય પરરક્સ્ટ્ર્ત્તિમાાં આત્મા કમશર્ી છૂટો ર્િો નર્ી અને મકુ્ક્િ પ્રાપ્િ કરિો નર્ી.

બધં - કમવ બધંના લક્ષણો આસ્રવના કારણો દ્વારા કમશન ુાં બ ાંધન આત્માને ર્ાય છે. આ આસ્રવના લક્ષણ પ્રમાણે આત્માને જુદા જુદા પ્રકારનો બાંધ લાગે છે જે નીચે ચાર પ્રકારમાાં સમજાવાયુાં છે. આ ચાર પ્રકારો બાંધ સમયે ત્તનધાશરરિ ર્ાય છે. આ ત્તનધાશરરિ ર્યેલા પ્રકારોમાાં આપણે ભત્તવષ્યમાાં અમકુ ફેરફાર કરી ર્કીએ છીએ િેની ત્તવગિ આ પસુ્ટ્િક માાં આપેલ નર્ી

કમવબધંના ચાર પ્રકાર

1. પ્રકૃત્તિ બાંધ, 2. ક્સ્ટ્ર્ત્તિ બાંધ, 3. રસ બાંધ, અને 4. પ્રદેર્. બાંધ

1. પ્રકૃમતબધં – બધંારે્લા કમવનો સ્વભાવ જ્યારે કમશરજ આત્માન ેલાગે છે ત્યારે શદુ્ધ જ્ઞાન, અસીમ ગ્રહણ ર્ક્ક્િ,

અનાંિ સખુ, ત્તનરાકારપણુાં, સ્ટ્વસ્ટ્ર્િા અન ે અમાપ ર્ક્ક્િ જેવા આત્માના ગણુોને ઢાાંકી દે છે અર્વા ત્તવપરીિ કરે છે. આત્માના ગણુો જેને લીધ ેઢાંકાઈ જાય છે િેન ેજૈન સારહત્યમાાં આઠ પ્રકારમાાં આલેખ્યા છે. આન ેપ્રકૃત્તિબાંધ કહ ેછે. પ્રકૃત્તિ એટલ ેકે કમોનો સ્ટ્વભાવ – કમશ આત્માન ે કેવુાં ફળ આપરે્ િે (જેમકે જ્ઞાનાવરણીય કમશ આત્માના જ્ઞાનગણુને ઢાાંકે છે અને મોહનીય કમશ આત્માના શ્રધ્ધા અને ચારરત્ર ગણુને ત્તવપરીિ કરે છે). કમશના આ આઠ પ્રકારોની ત્તવગિ આગળના પ્રકરણમાાં આવરે્. આ પ્રકૃત્તિ બાંધ મખુ્યત્વે મન, વચન અન ેકાયાનાાં યોગર્ી ર્ાય છે.

Page 42: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૦૬ નવ િત્ત્વ અને કમશ ત્તસધ્ધાાંિ

જૈન દર્શન અને આચારની સરળ સમજ 41

2. ન્સ્થમતબધં – બધંારે્લા કમવનો સમર્ જ્યારે આત્માન ેકમશ લાગે છે ત્યારે િે જ્યાાં સધુી ફળ ન આપે ત્યાાં સધુી ચોક્કસ સમય સધુી વળગી રહ ે છે. બાંધાયલેા કમશનો સમય કમશબાંધ વખિની આપણી માનત્તસક િીવ્રિા કે નીરસિા ઉપર આધાર રાખે છે. િે કમશ અમકુ સમય પછી ઉદયમાાં આવે, પરરણામ પામે પછી િે આત્માર્ી જુદુાં ર્ઈ જાય છે કે ખરી પડે છે.

આ ક્સ્ટ્ર્ત્તિબાંધ મખુ્યત્વે ત્તમથ્યાત્વ અને કષાયર્ી ર્ાય છે.

3. અનભુાગબધં અથવા રસબધં - બધંારે્લા કમવની તીવ્રતા કમશ જ્યારે પરરણમે ત્યારે િનેી િીવ્રિાનો આધાર િે કમશ બાાંધિી વખિે આપણા મનના ભાવો અને િેની િીવ્રિા (જેને લેશ્યા કહવેાય છે) અને િે સમયના આપણા રાગ દ્વષે અન ેમોહ ઉપર હોય છે. િેન ેઅનભુાગ કે રસબાંધ કહ ેછે.

આ અનભુાગબાંધ કે રસબાંધ મખુ્યત્વે ત્તમથ્યાત્વ અને કષાયર્ી ર્ાય છે.

4. પ્રદેર્બધં - બધંારે્લા કમવનો જથ્થો મન, વચન અન ેકાયાના યોગર્ી કમશરજનો જે જથ્ર્ો જે પ્રમાણે ગ્રહણ ર્ાય િેને પ્રદેર્બાંધ કહવેાય.

કમવબધંનો સારારં્ જે પ્રકારનુાં ભચિંિન કે ભાવ જીવ કરે િે પ્રકારનો કમશબ ાંધ િેને લાગે છે.

જીવનુાં ત્તમથ્યાત્વ, અત્તવરત્તિ, પ્રમાદ અને કષાય િેના ક્સ્ટ્ર્ત્તિ અને અનભુાગ રૂપે કમશબ ાંધ માટે જવાબદાર છે.

જીવના મન વચન અને કાયાના યોગ મખુ્યત્વે પ્રકૃત્તિબાંધ અને પ્રદેર્બાંધ માટે જવાબદાર છે.

Page 43: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૨ િત્વજ્ઞાન

42 જૈન દર્શન અને આચારની સરળ સમજ

કમશબ ાંધની િીવ્રિા અને િેની ક્સ્ટ્ર્ત્તિના કારણે આત્મા સખુદ અને દુુઃખદ પરરક્સ્ટ્ર્ત્તિમાાંર્ી પસાર ર્ાય છે અને સહન કરે છે.

િેર્ી દરેકે ત્તમથ્યાત્વ, અત્તવરત્તિ, પ્રમાદ અને કષાય (મોહનીય કમશ) માાંર્ી છૂટી આધ્યાજત્મક ત્તવકાસ સાધી ત્તવિરાગિા પ્રાપ્િ કરી ને મકુ્ક્િ મેળવવી જોઈએ.

સવંર - નવા કમોના બધંનને રોકવાની પ્રરક્રર્ા સાંવર - નવા કમશના બાંધનને રોકનારી આત્મર્ક્ક્િને સાંવર કહવેાય છે. આસ્રવ વડે કમશન ુાં બ ાંધન ર્ાય છે અને સાંવરર્ી કમશ બ ાંધન રોકાય છે. આ આખી પ્રરક્રયા આસ્રવર્ી ત્તવરુદ્ધ છે. િે સમ્યક્ત્વ, વ્રિ, અપ્રમાદ, અકષાય અને અયોગના સિિ પ્રયત્નો દ્વારા પામી ર્કાય છે.

સવંરના કારણો સમ્ર્ક્તત્તવ - િત્વની સાચી સમજ અને િે જ્ઞાન ઉપર અતટૂ શ્રધ્ધા.

વ્રત - વ્રિ, ત્તનયમ, અને છ બાહ્યિપન ુપાલન કરીને આત્માને ઉપભોગર્ી વાળવો અને જીવનમાાં છ આંિરરક િપ ત્તવકસાવવા.

અપ્રમાદ - જીવનની દરેક પ્રવ્રતૃ્તિ સજાગ રહીને કરવી.

અકષાર્ - ચાર કષાય (ક્રોધ, માન, માયા, લોભ) પ્રત્યે ઉદાસીન વતૃ્તિ અર્વા કષાય વગરનુાં જીવન જીવવુાં.

અર્ોગ - મન, વચન, કાયાની શભુ અશભુ પ્રવતૃ્તિનો ત્તનરોધ ર્વો.

સવંર તત્તવના ૫૭ ભેદ જૈન ધમશમાાં સ ાંવર િત્વના ૫૭ ભેદ વ્યવહારરક રષ્ષ્ટએ બિાવવામાાં આવ્યા છે. જેના પાલન દ્વારા વ્યક્ક્િમા આવેલી જાગ્રત્તિર્ી અને િે પ્રમાણેન ુભચિંિન કરવાર્ી આપણા કષાય દૂર કરી ર્કાય છે અને િેર્ી કમશબ ાંધ ટાળી ર્કાય છે. આ ભેદોન ુપાલન મોટા ભાગે સાધ ુઅને સાધ્વીજી માટે છે પણ બને ત્યાાં

Page 44: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૦૬ નવ િત્ત્વ અને કમશ ત્તસધ્ધાાંિ

જૈન દર્શન અને આચારની સરળ સમજ 43

સધુી શ્રાવક અને શ્રાત્તવકાઓએ પણ િેનુાં યર્ાર્શ પાલન કરવુાં જોઈએ. સાંવરના આ ૫૭ ભેદો આગળ જુદા પ્રકરણમાાં વણશવવામાાં આવ્યા છે.

મનર્જરા - બાધેંલા જૂના કમો ખરી જવા ત્તનર્જરા એટલે સિામાાં રહલેા કે ઉદયમાાં આવિાાં કમોને નાર્ કરવાની આત્મર્ક્ક્િ. કમશ િેના ફળના સમયે ઉદયમાાં આવે અને િેના ફળ પ્રમાણે વાિાવરણ પેદા કયાશ પછી સ્ટ્વાભાત્તવક રીિે ખરી જાય છે. િેને અકામ ત્તનર્જરા કહ ે છે. પણ િે સમયે જીવનો ઉપયોગ ઉદયકમશમાાં જોડાયેલો હોવાર્ી િે નવો કમશબ ાંધ કરે છે. િેર્ી સામાન્ય સાંજોગોમાાં માણસ અકામ ત્તનર્જરાર્ી કમશર્ી મકુ્િ ર્ઈ ર્કિો નર્ી કારણ કે દરેક પળે િે જૂના કમશ છોડે છે અને નવા કમશ બાાંધે છે.

જૈન ધમશ સમજાવે છે કે આધ્યાજત્મક માગે પ્રગત્તિ કરિા માણસે ભિુકાળમા કરેલા કમશ ઉદયમાાં આવે િે પહલેાાં િેની માત્રા ઓછી કરીને િેને દૂર કરી દેવા જોઈએ. આ પ્રકારની ત્તનર્જરાને સકામ ત્તનર્જરા કહ ેછે.

સકામ ત્તનર્જરા જીવનની જરૂરરયાિો ઘટાડીને, પાાંચ મહાવ્રિોન ુપાલન કરીને, સત્કાયો, પ્રાયત્તિિ, ત્તવનય, વૈયાવિૃ, સ્ટ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સગશ દ્વારા કરી ર્કાય છે, જેને અભ્યાંિર િપ કહ ેછે. ત્તનર્જરાના કૂલ ૧૨ ભેદો આગળ જુદા પ્રકરણમાાં વણશવવામાાં આવ્યા છે.

મોક્ષ - બધાજ કમોના નાર્ થરે્લ દર્ા ધ્યાન અને કાયોત્સગશર્ી જેમણે ચારે ઘાિી કમોનો નાર્ કયો છે િે સવશજ્ઞ કે કેવલી િરીકે ઓળખાય છે. િેઓ િેમના મતૃ્ય ુ સમયે બાકી રહલેા ચાર અઘાિી કમોનો નાર્ કરી ત્તનવાશણ, મકુ્ક્િ કે મોક્ષની દર્ા પ્રાપ્િ કરે છે.

આ ત્તસદ્ધાત્મા, શદુ્ધ જ્ઞાન, અસીમ ગ્રહણ ર્ક્ક્િ, અમાપ ર્ક્ક્િ અને અનાંિ સખુનો અનભુવ કરે છે. આત્મા દેહારદર્ી મકુ્િ ર્ાય છે અને અનાંિ અવ્યાબાધ સખુમાાં અનાંિકાળ સધુી ત્તસદ્ધલોકમાાં રહ ેછે િે આત્મ સ્ટ્વરૂપમાાં લીન રહી ત્તનજ સખુમાાં રમણિા કરે છે. િે જન્મ, જરા, મરણ, રોગ અને ર્ોકર્ી સવશર્ા, સવશકાળ માટે મકુ્ક્િ પામે છે. િેને “ત્તનવાશણ” કહ ેછે.

Page 45: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૨ િત્વજ્ઞાન

44 જૈન દર્શન અને આચારની સરળ સમજ

૦૭. કમોનુ ંવગીકરણ - પ્રકૃમતબધંના પ્રકારો મવમવધ પ્રકારના કમોની સમજ

દ્રવ્ર્કમવ અને ભાવકમવ કમશરજ જે આત્મા સારે્ જોડાયેલુાં છે િેને રવ્યકમશ કહવેાય છે અને િેના ત્તનત્તમિર્ી આત્મા જે રાગ દ્વષેની પ્રવતૃ્તિમાાં જોડાય છે િે આત્માની પયાશયને ભાવ કમશ કહ ેછે. આમ ભાવકમશ એ આત્માની પયાશય છે પણ િે રવ્યકમશ કે પૌદ્ગભલક કમશ નર્ી.

દ્રવ્ર્કમોનુ ંવગીકરણ આપણે અનાંિ પ્રકારના રવ્યકમોને દરેક સમયે બાાંધીયે છીયે. િે બધા કમોને જુદા જુદા પ્રકારે મખુ્ય બે ભાગમાાં વહેંચાય છે.

પણુ્યકમશ અને પાપકમશ અર્વા

ઘાિીકમશ અને અઘાિી કમશ

પણુ્ર્કમવ અને પાપકમવ પણુ્યકમશ જે પૌદ્ગભલક કમશ જીવના શભુ ભાવ કરવાર્ી બાંધાય

િે પણુ્યકમશ. જ્ઞાન પવૂશક શભુ ભાવર્ી ર્યેલ દરેક કાયશ પણુ્ય કાયશ ગણાય છે.

પાપકમશ જે પૌદ્ગભલક કમશ જીવના અશભુ ભાવ કરવાર્ી બાંધાય િે પાપ કમશ. અને અજ્ઞાનર્ી કે અશભુ ભાવર્ી ર્યેલ દરેક કાયશ પાપ કાયશ ગણાય છે.

ઘાતી કમવ અને અઘાતી કમવ ઘાિી કમશ જે પૌદ્ગભલક કમશ આત્માના ગણુોનો ઘાિ કરનારા

છે.

અઘાિી કમશ જે પૌદ્ગભલક કમશ જીવના ર્રીર, મન અને વાિાવરણ સારે્ સાંબ ાંધ રાખે છે.

Page 46: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૦૭ કમોનુાં વગીકરણ - પ્રકૃત્તિબાંધના પ્રકારો

જૈન દર્શન અને આચારની સરળ સમજ 45

આ પ્રકરણમાાં આ રવ્યકમોનુાં ઘાિીકમશ અને અઘાિી કમશ પ્રકારે વગીકરણ કરવામાાં આવેલ છે. આ જ રવ્યકમોનુાં પણુ્યકમશ અને પાપકમશ પ્રકારે કરેલ વગીકરણની ત્તવરે્ષ સમજૂિી જુદા પ્રકરણમાાં કરેલ છે.

ઘાતી કમવ ઘાિી કમશ આત્માના ચાર મળૂગણુોને ઢાાંકી દેનારા છે. આ કમોને લીધે આત્મા િેના ચાર મળૂ ગણુો - જેવા કે

૧. સમ્યક શ્રદ્ધા અને શદુ્ધ ચારરત્ર (અનાંિ સખુ) ને બદલે ત્તમથ્યાત્વ અને મયાશરદિ ચારરત્ર (મયાશરદિ સખુ)

૨. પણૂશ જ્ઞાન ને બદલે મયાશરદિ જ્ઞાન

૩. શદુ્ધ અને પણૂશ દર્શન ને બદલે મયાશરદિ દર્શન

૪. અનાંિ લપ્બ્ધ અને ર્ક્ક્િ, ને બદલે મયાશરદિ ર્ક્ક્િ જીવ ધરાવે છે.

Page 47: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૨ િત્વજ્ઞાન

46 જૈન દર્શન અને આચારની સરળ સમજ

મોહનીય કમશ આત્માની સાચી શ્રધ્ધા અને શદુ્ધ ચારરત્ર એટલે કે વીિરાગ ભાવને આ કમશ ત્તવકૃિ કરે છે

જ્ઞાનાવરણીય કમશ આત્માના અનાંિ જ્ઞાન ગણુને રોકે છે.

દર્શનાવરણીય કમશ આત્માના અનાંિ દર્શન ગણુ એટલે સામાન્ય બોધને રોકે છે.

અંિરાય કમશ આત્માની અનાંિ ર્ક્ક્િને રોકે છે. મોહનીર્ કમવ આ કમશ આત્માના શ્રદ્ધા અને ચારરત્ર જેવા મળૂ ગણુોમાાં ભ્રમણા કે ત્તવકૃ્રત્તિ પેદા કરે છે. આ કમશ આત્માને રહિારહિનો, સત-્અસત ્નો ત્તવવેક ર્વા નર્ી દેિો. આ મોહનીય કમશ જીવને મોહમાાં ત્તવવર્ કરે છે જેર્ી ત્તવિરાગિા પ્રપ્િ ર્ઇ ર્ક્ક્િ નર્ી. િેના બે પેટા ત્તવભાગો છે.

દર્શન મોહનીય કમશ - શ્રદ્ધા ગણુને ત્તવકૃિ કરત ુાં કમશ

ચારરત્ર્ય મોહનીય કમશ - ચારરત્ર્ય ગણુને ત્તવકૃિ કરત ુાં કમશ

દર્વન મોહનીર્ કમવ - શ્રદ્ધા ગણુને મવકૃત કરતુ ંકમવ આ કમશના ઉદયર્ી જીવન ે જજનેશ્વર પ્રણીિ િત્ત્વોમાાં અશ્રદ્ધા (ત્તમથ્યાત્વ) ર્ાય છે. આ બહુ દુુઃખદાયક કમશ છે. િને ે કારણ ેબદુ્ધદ્ધજન્ય સત ્માાં અસત ્ની અને અસત ્માાં સત ્ની માન્યિા ર્ાય છે. જેમકે દેહમાાં આત્મ બદુ્ધદ્ધ ર્ાય એટલ ેકે દેહ જ મારૂ ખરૂ સ્ટ્વરૂપ છે અને એ પ્રમાણે વિ ેછે. ઉભચિ જ્ઞાન જ આત્માના સાચા સ્ટ્વરૂપની, કમશની, કમશબાંધની અન ેકમશર્ી મકુ્િ ત્તસદ્ધાત્માની સાચી સમજ અભભપ્રેિ કરે છે. આ જ્ઞાનમાાં સહજે પણ ર્ાંકા ન રહ ેિેન ેસમ્યક્ શ્રદ્ધા કહ ેછે. અધ્યાત્મની આ ક્સ્ટ્ર્ત્તિન ેસમ્યક્ત્વ અર્વા ચોર્ા ગણુસ્ટ્ર્ાનક ની ક્સ્ટ્ર્ત્તિ કહવેાય. સમ્યક્ત્વ ર્વાર્ી વ્યક્ક્િના જ્ઞાન ને સમ્યગ્જ્ઞાન કહ ેછે. વ્યક્ક્િની

Page 48: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૦૭ કમોનુાં વગીકરણ - પ્રકૃત્તિબાંધના પ્રકારો

જૈન દર્શન અને આચારની સરળ સમજ 47

આધ્યાજત્મક પ્રગત્તિની ર્રૂઆિ સમ્યક્ત્વની ક્સ્ટ્ર્ત્તિ પછી ર્રૂ ર્ાય છે.

ચારરત્ર્ર્ મોહનીર્ કમવ - ચારરત્ર્ર્ ગણુને મવકૃત કરતુ ંકમવ આ કમશ આત્માના ચારરત્ર્ય ગણુને ત્તવકૃિ કરે છે. આ કમશના ત્તનત્તમિર્ી વ્યક્ક્િમાાં ઘણી બધી નબળાઈઓ (દુગુશણો) આવી જાય છે. જેમ કે આત્મ સાંયમનો અભાવ, પ્રમાદ અને જુદા જુદા કષાયો (ક્રોધ, માન,

માયા, લોભ) ઉત્પન્ન ર્વાર્ી દરેક વ્યરકિ સખુ અને દુુઃખને અનભુવે છે. સમ્યક્ત્વ ગણુની પ્રાપ્પ્િ પછી વ્યક્ક્િ િેના દુગુશણોનો અન ેનબળાઇઓનો ધીમે ધીમ ેપોિાના જ્ઞાન વડ ેપરુૂષાર્શ ર્ી ઓછા કરી અને છેવટે નાર્ કરી આધ્યાજત્મક પ્રગત્તિ િરફ ક્રમે ક્રમે આગળ વધ ેછે. અંિે ચારરત્ર્ય મોહનીય કમશનો સાંપણૂશ નાર્ ર્િાાં સાધક મોહમકુ્િ અર્વા વીિરાગ દર્ા પામે છે જે ૧૨મા ગણુસ્ટ્ર્ાનકની ક્સ્ટ્ર્ત્તિ કહવેાય છે.

જ્ઞાનાવરણીર્ કમવ આ કમશ આત્માના અનાંિજ્ઞાન ગણુને ર્ોડે ઘણે અંરે્ આવરે છે. આંખ હોવા છિાાં આંખે પાટા બાાંધીને અંધની જેમ વિે િેમ આત્મજ્ઞાન સ્ટ્વરૂપ છિાાં જીવ અજ્ઞાન પણે વિે છે. વીિરાગ દર્ાને પ્રાપ્િ કયાશ પછી સાધક માત્ર 48 ત્તમત્તનટની અંદર બધા જ્ઞાનાવરણીય કમશનો નાર્ કરે છે અને કેવળજ્ઞાન-અનાંિ જ્ઞાનગણુને પ્રાપ્િ કરે છે.

દર્વનાવરણીર્ કમવ દર્શનાવરણીય કમશમાાં દર્શન ર્બ્દ સામાન્ય જ્ઞાન માટે વપરાયેલો છે (જ્યારે સમ્યક દર્શનમાાં દર્શન ર્બ્દ શ્રદ્ધા માટે વપરાયેલો છે). રાજાના દર્શને જિાાં કોઈને દ્વારપાલ રોકે િેમ આત્માનો દર્શનગણુ સામાન્ય ઉપયોગ હોવા છિાાં પદાર્શને જાણવામાાં આ કમશ આવરણ લાવે છે. વીિરાગિાને પ્રાપ્િ કયાશ પછી સાધક ૪૮ ત્તમત્તનટની અંદર બધા દર્શનાવરણીય કમશનો નાર્ કરે છે અને કેવળ-દર્શન પ્રાપ્િ કરે છે.

Page 49: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૨ િત્વજ્ઞાન

48 જૈન દર્શન અને આચારની સરળ સમજ

અંતરાર્ કમવ આ કમશના ત્તનત્તમિર્ી આત્માના સહજ લપ્બ્ધ અને અનાંિ ર્ક્ક્િના ગણુો ઢાંકાય છે અને અંિરાય આવે છે. દાન કરવુાં, દયા કરવી, દૃઢ ત્તનણશય ર્ક્ક્િ હોવી, આવા પ્રકારના આત્માના સહજ ગણુને આ કમશ રોકે છે. વળી િે વ્યક્ક્િને સારા કમો કે ત્તવધેયક આચાર કરિાાં પણ રોકે છે. વ્યક્ક્િ પોિાની સાંપત્તિને પણ ભોગવી ર્કિો નર્ી. જેમ કે યાચકને રાજાએ ભચઠ્ઠી આપી હોય પણ ભાંડારી િેને ઇપ્ચ્છિ વસ્ટ્ત ુઆપે નહીં.

વીિરાગિા પ્રાપ્િ કયાશ પછી વ્યક્ક્િ ૪૮ ત્તમત્તનટની અંદર બધા અંિરાય કમોનો નાર્ કરે છે અને અનાંિવીયશ, અમાપ લપ્બ્ધની ક્સ્ટ્ર્ત્તિ પ્રાપ્િ કરે છે.

ખરેખર િો ઉપરના ત્રણે કમો એક સારે્ ૪૮ ત્તમત્તનટની અંદર નાર્ પામે છે અને એક વખિ બધા ઘાિી કમો નાર્ પામે એટલે વ્યક્ક્િ કેવલી, અરરહાંિ,

િીર્ુંકર અર્વા જજનના નામે ઓળખાય છે. આ આધ્યાજત્મક ક્સ્ટ્ર્ત્તિ ને ૧૩ મુાં ગણુસ્ટ્ર્ાનક કહવેાય છે.

અઘાતી કમવ અઘાિી કમશ આત્માના ગણુોનો ઘાિ નર્ી કરિા. પણ િે ર્રીર, પૌદ્ગભલિ મન, સામાજજક ક્સ્ટ્ર્ત્તિ અને જીવ માત્રના ર્રીરને ટકાવી રાખનાર વાિાવરણ સારે્ સાંબ ાંધ ધરાવે છે. આત્માનુાં અત્તવનાર્ી અમર અક્સ્ટ્િત્વ, ત્તનરાકાર સ્ટ્વરૂપ અને અવ્યાબાધ સખુને સ્ટ્ર્ાને આ કમશના ત્તનત્તમિને લીધે િે (આત્મા) દેહ ધારણ કરે છે. આયષુ્ય, સામાજજક મોભો અને અનકૂુળ િર્ા પ્રત્તિકૂળ વાિાવરણમાાંર્ી પસાર ર્ાય છે. આ અઘાિી કમશના મખુ્ય ચાર પ્રકાર છે.

વેદનીય કમશ આત્માના અર્રીરી અવ્યાબાધ ગણુને રોકે છે.

નામ કમશ અરૂપી અને ત્તનરાકાર ગણુને રોકે છે.

ગોત્ર કમશ આત્માના અગરુુ-લઘ ુગણુને રોકે છે.

આયષુ્ય કમશ આત્માના અમર અક્સ્ટ્િત્વને રોકે છે.

Page 50: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૦૭ કમોનુાં વગીકરણ - પ્રકૃત્તિબાંધના પ્રકારો

જૈન દર્શન અને આચારની સરળ સમજ 49

વેદનીર્ કમવ - (અનકુળૂ-પ્રમતકળૂ ર્ારીરરક ન્સ્થમત) ર્ારીરરક સ્ટ્િરે સારુાં સ્ટ્વાસ્ટ્થ્ય, ર્રીરની રચનાત્મક ર્ક્ક્િ અર્વા માાંદગી, જીવલેણ રોગ, ભખૂમરો, ર્ાક અકસ્ટ્માિ આ બધા અનકૂુળ કે પ્રત્તિકૂળ સાંજોગો કે ક્સ્ટ્ર્ત્તિ િે વેદનીય કમશના ત્તનત્તમિને કારણે જ છે. આનો અનભુવ ર્ારીરરક અર્વા માનત્તસક રીિે જ ર્િો હોય છે.

આ ર્ારીરરક અને માનત્તસક ક્સ્ટ્ર્ત્તિ મોહનીય કમશને સરક્રય કરવામાાં ત્તનત્તમિ બને છે. અને િેર્ી િે મોહનીય કમશના ત્તનત્તમિર્ી સખુ અને દુુઃખ (પીડા, વ્યર્ા) આત્મા અનભુવે છે.

આત્મા ત્તમથ્યાત્વ અને કષાયર્ી આવરાયો છે. અને જ્ઞાન અને અનભુવને લક્ષમાાં લેિા આ ક્સ્ટ્ર્ત્તિનુાં અર્શઘટન પવૂશગ્રહ યકુ્િ અને ભ્રામક છે. આ રીિે વેદનીય કમશ પરોક્ષ રીિે (ત્તનત્તમિર્ી) આત્માના અનાંિ સખુના ગણુને મોહનીય કમશના ત્તનત્તમિ દ્વારા ઢાાંકે છે.

કેવળજ્ઞાની વ્યક્ક્િને વેદનીય કમશનુાં ત્તનત્તમિ હોય છે પરાંત ુિેઓએ મોહનીય કમશનો નાર્ કરેલ હોવાર્ી િેઓ સખુ કે દુખ અનભુવિાાં નર્ી પરાંત ુપરરક્સ્ટ્ર્ત્તિને િેઓ ર્ાાંત્તિર્ી જોઇને િેમાર્ી પસાર ર્ાય છે. આમ ર્ાિા-અર્ાિા યકુ્િ (અનકૂુળ-પ્રત્તિકૂળ) સાંજોગો અર્વા અનભુવો જે ર્ારીરરક દેહ દ્વારા ભોગવવા પડે છે િેનુાં અર્શઘટન િેઓ સખુ કે દુુઃખમાાં નર્ી કરિા. િેઓ બધી પરરક્સ્ટ્ર્ત્તિમાાં જ્ઞાિા અને રષ્ટા રહીને સિિ અસીમ સખુમાાં જ રહ ેછે.

ટૂાંકમાાં, વેદનીય કમશ અઘાિી કમશ હોવાર્ી ર્ાિા-અર્ાિા પીડા કે આનાંદનાાં વાિાવરણમાાં કેવળજ્ઞાની વ્યક્ક્િ રહ ે છે પણ િે ત્તનત્તમિની અસર િેઓ અનભુવિાાં નર્ી. આ રીિે વેદનીય કમશ વીિરાગ અને કેવળજ્ઞાની વ્યક્ક્િઓને આત્માના અનાંિ સખુના ગણુનો ઘાિ કરિો નર્ી.

મોહનીય કમશના અક્સ્ટ્િત્વ વગર કોઈ પણ વ્યક્ક્િ સખુ કે દુુઃખ કે પીડાનો અનભુવ કરી ર્કે નહીં. િેર્ી વીિરાગ કક્ષાએ (૧૨માાં ગણુસ્ટ્ર્ાને) વેદનીય કમશનો આત્મા ઉપર કોઈ પ્રભાવ હોિો નર્ી.

Page 51: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૨ િત્વજ્ઞાન

50 જૈન દર્શન અને આચારની સરળ સમજ

નામકમવ - દેહ અને ર્રીર રચના કમવ આ કમશના ત્તનત્તમિર્ી આત્માનુાં અપ્રત્યક્ષ અક્સ્ટ્િત્વ ઢાંકાય છે. અને મયાશરદિ ર્ારીરરક અને માનત્તસક ર્ક્ક્િ વાળા ર્રીરને ધારણ કરે છે. નામકમશના ઘણાાં પેટા ત્તવભાગો છે. ટૂાંકમાાં આત્મા કેવુાં ર્રીર અને કયા ર્ારીરરક ગણુો ધરાવરે્,

ક્યો જન્મ લેરે્, કેવુાં ર્રીર પ્રાપ્િ કરરે્ ત્તવગેરે િે નામકમશ નક્કી કરે છે.

જેમકે - દેવગત્તિ, મનષુ્યગત્તિ, ત્તિયુંચગત્તિ, નરક ગત્તિ. િર્ા ર્રીરની આકૃત્તિ,

રાંગ, રચના ત્તવગેરે આ કમશ નક્કી કરે છે.

ગોત્ર કમવ - (સ્થાન અને સામાજજક પ્રમતટઠા નક્કી કરત ુ ંકમવ) આ કમશ ના ત્તનત્તમિર્ી જીવ ઉિમ સાંસ્ટ્કારરક કુળમાાં જન્મ લેરે્ કે હલકા સાંસ્ટ્કાર વગરના અધાત્તમિક કુળમાાં િે નક્કી ર્ાય છે. િે કુટુાંબ, સામાજજક મોભો અને સાંસ્ટ્કાર ત્તવગેરે નક્કી કરે છે.

આયટુર્ કમવ - (જન્મ-મરણ વચ્છ્ચેના કાળને નક્કી કરત ુ ંકમવ) આ કમશ ના ત્તનત્તમિર્ી આત્માની સારે્ જોડાયેલ ર્રીરના જન્મ મરણ વચ્ચેના કાળ નક્કી ર્ાય છે. આમ આત્માના ર્ાશ્વિ અક્સ્ટ્િત્વના ગણુને િે આવરે છે.

Page 52: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૦૮ સાંવર - નવા કમશબ ાંધને રોકવાના પ્રકારો

જૈન દર્શન અને આચારની સરળ સમજ 51

૦૮. સવંર - નવા કમવબધંને રોકવાના પ્રકારો સાંવર - નવા કમશના બાંધનને રોકનારી આત્મર્ક્ક્િને સાંવર કહવેાય છે. આસ્રવ વડે કમશન ુાં બ ાંધન ર્ાય છે સાંવરર્ી કમશ બ ાંધન રોકાય છે. આ આખી પ્રરક્રયા આસ્રવર્ી ત્તવરુદ્ધ છે. િે સમ્યક્ત્વ, વ્રિ, અપ્રમાદ, અકષાય અને અયોગના સિિ પ્રયત્નો દ્વારા પામી ર્કાય છે.

સવંરના કારણો સમ્ર્ક્તત્તવ િત્વની સાચી સમજ અને િે જ્ઞાન ઉપર અતટૂ શ્રધ્ધા.

વ્રત વ્રિત્તનયમારદનુાં પાલન કરીને આત્માને ઉપભોગર્ી વાળવો અને જીવનમાાં છ આંિરરક િપ ત્તવકસાવવા.

અપ્રમાદ જીવનની દરેક પ્રવ્રતૃ્તિ સજાગ રહીને કરવી.

અકષાર્ ચાર કષાય (ક્રોધ, માન, માયા, લોભ) પ્રત્યે ઉદાસીન વતૃ્તિ અર્વા કષાય વગરનુાં જીવન જીવવુાં.

અર્ોગ મન, વચન, કાયાની શભુ અશભુ પ્રવતૃ્તિનો ત્તનરોધ કરવો.

સવંરના ૫૭ વ્ર્ાવહારરક પ્રકારો કમશબ ાંધને રોકવા માટે જૈન સારહત્ય ૫૭ પ્રકારો (ઉપાયો) સચૂવે છે. આ ઉપાયો મખુ્યત્વે િો સાધઓુ અને સાધ્વીઓ માટે વણશવ્યા છે. પણ શ્રાવક અને શ્રાત્તવકાઓર્ી આંત્તર્ક પાલન ર્ઈ ર્કે એવુાં ભારપવૂશક સચૂવ્યુાં છે.

૫ સમમમત જયણા પવૂશક, ત્તવવેકર્ી, અને ઉપયોગ સરહિ જીવનની દરેક પ્રવતૃ્તિ કરવી.

૩ ગપુ્પ્ત શભુકાયશમાાં પ્રવતૃ્તિ અને અશભુ કાયશર્ી ત્તનવતૃ્તિ.

૧૦ ર્મતધમવ ક્ષમારદ દસ આજત્મક ગણુોનુાં પાલન કરવુાં.

૧૨ ભાવના અધ્યાત્મના ત્તવકાસ માટેની બધીજ ભાવનાઓ સેવવી.

Page 53: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૨ િત્વજ્ઞાન

52 જૈન દર્શન અને આચારની સરળ સમજ

૨૨ પરરષહ અનકૂુળ કે પ્રત્તિકૂળ સાંજોગોમાાં આવિા કષ્ટોને સમભાવે સહન કરવા.

૫ ચારરત્ર્ર્ સામાત્તયક આરદ શદુ્ધ ચારરત્ર્યનુાં આચરણ કરવુાં.

પાચં સમમમત - સમ્ર્ગ ્પ્રકારે પ્રવમૃત્ત કરવી સત્તમત્તિ એટલે ઉપયોગ અને સિિ જાગતૃ્તિ પવૂશક, ત્તવવેકર્ી, અરહિંસાને લક્ષમાાં લઈ કરાિી પ્રવતૃ્તિઓ.

૧. ઈર્ાવ સમમમત સજીવ ભતૂ્તમને છોડીને બાકીની સવશત્ર જગ્યાએ જયણા પવૂશક ચાલવુાં, જવુાં અને આવવુાં.

૨. ભાષા સમમમત ત્તનદોષ અને સત્ય વચન બોલવા. માયા, પ્રપાંચ કે આક્રોર્વાળા અને બીજાને દુખ ર્ાય િેવા વચનો ન બોલવા.

૩. એષણા સમમમત ત્તનદોષ આહાર (ગોચરી) ગ્રહણ કરવો.

૪. આદાન ભડંમત્ત મનકે્ષપણા સમમમત

કોઈપણ વસ્ટ્ત ુલેિાાં-મકૂિાાં જીવની રહિંસા ન ર્ાય િેવો ઉપયોગ રાખવો.

૫. પારરટઠાપમનકા ઉત્તસગવ સમમમત

કફ, મલમતૂ્ર કે સદોષ આહારારદ ત્તનજીવ સ્ટ્ર્ળે બીજાને દુખ ન લાગે િે રીિે છોડવા.

ત્રણ ગપુ્પ્ત - અસદ્ પ્રવમૃતઓથી મનવતૃ્ત થવુ.ં મન, વચન અને કાયાની અસદ્ પ્રવતૃ્તિઓનો ત્યાગ કરવો.

૧. મનોગપુ્પ્ત આિશ કે રૌરધ્યાનના ત્તવચારોનો ત્યાગ કરવો અને ધમશધ્યાન ભચિંિવવુાં. વ્યર્શ મનોવ્યાપારનો ત્યાગ કરવો.

૨. વચનગપુ્પ્ત અન્યને પીડાકારક વચન ન બોલવા. સત્ય વચન પણ જો અન્યને પીડાકારક બનતુાં હોય િો ન બોલવુાં અને મૌન રહવે ુ ાં

Page 54: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૦૮ સાંવર - નવા કમશબ ાંધને રોકવાના પ્રકારો

જૈન દર્શન અને આચારની સરળ સમજ 53

૩. કાર્ગપુ્પ્ત અન્ય ને પીડા ર્ાય િેવુાં આચરણ ન કરવુાં.

દસ ર્મતધમવ - દસ આજત્તમક ગણુોનો મવકાસ કરવો આ દસ ધમો-ગણુો-સાધજુનો પ્રાણાાંિે પાળે છે. સામાન્ય સાધકે િેન ુઅંરે્ પાલન કરવ ુજોઇએ.

૧. ક્ષમા અન્યાય કરનાર વ્યક્ક્િ ને માફી આપવી અને ત્રાસજનક પ્રસાંગોમાાં ક્રોધ કરવો નહીં

૨. માદવવ અહાંકારનો ત્યાગ કરી નમ્રિા અને ત્તવવેક કેળવવા.

૩. આર્જવ સરળિા પવૂશક જીવન જીવવુાં અને માયા કપટનો ત્યાગ કરવો.

૪. ર્ૌચ પત્તવત્રિા મન, વચન અને કાયાર્ી પત્તવત્ર આચરણ કરવુાં.

૫. સત્તર્ સત્ય અને પરોપકારી વચન બોલવા.

૬. સરં્મ ઇષ્ન્રયોનો સાંયમ પાળવો, વ્રિ અને ત્તનયમો પાળવા.

૭. તપ ઈચ્છાને ર્માવવા બાર પ્રકારના વ્રિ કરવા. ર્રીરની ર્રકિ પ્રમાણે ૬ બાહ્ય િપ કરવા અને આધ્યાજત્મક ત્તવકાસ માટે ત્તનયત્તમિ ૬ આંિરરક િપમાાં રહવે ુ ાં

૮. ત્તર્ાગ લોભનો ત્યાગ કરવો, સાંિોષ રાખવો.

૯. અરકિંચનત્તવ અંિર બાહ્ય પરરગ્રહનો સવશર્ા ત્યાગ કરવો.

૧૦. બ્રહ્મચર્વ ત્તવષય વાસનાનો ત્યાગ કરી સાંપણૂશ બ્રહ્ચયશ પાળવુાં.

આ દસ ધમોનુાં પાલન ત્તમથ્યાત્વ રરહિ કરવાર્ી આત્મ ભાવના દૃઢ રહ ેછે. િેર્ી આવિાાં નવા કમો રોકાિા સાંવર ર્ાય છે અને જુના કમોની ત્તનર્જરા ર્ાય છે. ગ્રહસ્ટ્રે્ આ ગણુો અંરે્ પાળવાનો પ્રયત્ન કરવો જોઇએ.

Page 55: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૨ િત્વજ્ઞાન

54 જૈન દર્શન અને આચારની સરળ સમજ

બાર ભાવનાઓ- આત્તમાને પમવત્ર ભાવથી ભરવા આત્માને પત્તવત્ર ભાવર્ી ભરવા અને અશભુ ભાવર્ી દૂર રહવેા જૈન ધમશમાાં બાર ભાવનાઓની (અનપેુ્રક્ષા) ત્તવરે્ષિા કહી છે. આ બાર ભાવનાઓ જૈન ધમશના ત્તવર્ાળ િત્વજ્ઞાન અને આચાર ને આવરી લે છે.

૧. અમનત્તર્ ભાવના ત્તવશ્વમાાં કોઈ વસ્ટ્ત ુત્તનત્ય નર્ી. નાર્વાંિ વસ્ટ્તઓુની આસક્ક્િર્ી મકુ્િ ર્વાની ભાવના કરવી. ત્તનત્ય શદુ્ધ આત્મા જ ભાવવા યોગ્ય છે.

૨. અર્રણ ભાવના આ સાંસારમાાં કોઈ પણ વ્યક્ક્િ આપણન ેમતૃ્ય ુર્ી બચાવી ર્કે િેમ નર્ી િમેજ ર્રણ આપી ર્કે િેમ નર્ી િેર્ી િેઓના મોહર્ી દૂર ર્વાની ભાવના કરવી, ધમશનુાં ર્રણ ગ્રહણ કરવુાં.

૩. સસંાર ભાવના આ સષૃ્ષ્ટમાાં કોઈ કાયમી સાંબાંધ નર્ી. માિા મટી પત્ની ર્ાય, ત્તમત્રો મટી ર્ત્ર ુર્ાય, ચાર ગત્તિરૂપ સાંસાર દુુઃખદાયક છે.

૪. એકત્તવ ભાવના જીવ એકલો આવ્યો છે. એકલો જવાનો છે. પોિાના કરેલા કમો એકલો જ ભોગવે છે.

૫. અન્ર્ત્તવ ભાવના દેહ, ધન, પરરવાર આરદ પર છે. સવશ અન્ય છે. હુાં કેવળ સ્ટ્વ સ્ટ્વરૂપ શદુ્ધ ચિૈન્ય આત્મા છાં એમ ભાવના કરવી.

૬. અશણુચ ભાવના દેહ અશભુચર્ી ભરેલો છે િેમ ભચિંિવી દેહ ભાવર્ી મકુ્િ રહવે ુ ાં.

Page 56: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૦૮ સાંવર - નવા કમશબ ાંધને રોકવાના પ્રકારો

જૈન દર્શન અને આચારની સરળ સમજ 55

૭. આસ્રવ ભાવના આપણા શભુ અને અશભુ ભાવો અન ેિનેી સાર્ે જોડાયલે કિાશભાવ િે જ કમશબાંધના કારણો છે. આત્મા આસ્રવર્ી જુદો છે િેવુાં સિિ ભાન રાખવુાં.

૮. સવંર ભાવના નવા બાંધાિા કમોને રોકવાની ર્ક્ક્િ. જે આત્મર્ક્ક્િ દ્વારા કમો રોકાય િે સાંવર છે. રાગારદ ભાવના ત્તનરોધર્ી નવા કમો અટકે છે.

૯. મનર્જરા ભાવના આપણા જીવનને ૬ બાહ્ય અને ૬ આંિરરક િપ સાર્ ેજોડીને િેના દ્વારા જૂના બાાંધલેા કમો ને દૂર કરવા િેવી ભાવના.

૧૦. લોકસ્વરૂપ ભાવના આ ૧૪ રાજલોક માાં મેં અનેક વખિ જન્મ મરણ ના ફેરા કયાશ છે િે લોક્ર્ી અસાંગ ર્ઈ લોકાગ્રે જવાની ભાવના કરવી.

૧૧. બોમધદુલવભ ભાવના ત્તવપરીિ શ્રદ્ધા, ત્તવપરીિ જ્ઞાન અન ે ત્તવપરીિ આચાર ને કારણ ેસમરકિની પ્રાપ્પ્િ દુલશભ છે. એક રત્નત્રય માગશ જ ઉપાદેય છે િેમ ભાવના કરવી.

૧૨. ધમવ દુલવભ ભાવના આત્માના શદુ્ધ સ્ટ્વરૂપમાાં રહવે ુ ાં િે ધમશ છે. અરરહાંિ, સવશજ્ઞદેવ, કે કેવલી ભગવાંિોએ કહલેાાં યર્ાર્શ ધમશને પામવો અને િેની શ્રદ્ધા કરવી દુલશભ છે િેમ ભચિંિવવુાં.

Page 57: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૨ િત્વજ્ઞાન

56 જૈન દર્શન અને આચારની સરળ સમજ

ચાર દર્ા પે્રરરત ભાવનાઓ ઉપરની બાર ભાવના એ ઉપરાાંિ જૈન દર્શનમાાં બીજી મૈત્રી આરદ ચાર શભુ ભાવનાને ભચિંિવવાનુાં પણ કહ્ુાં છે. િે શધુ્ધ આચાર, ત્તવચારોની શદુ્ધદ્ધ અને ધમશના અભ્યાસમાાં ત્તવશદુ્ધ ભાવ લાવવામાાં સહાય કરે છે. આ ભાવનાઓ રોજજિંદા જીવનમાાં અપનાવવાર્ી માણસ સદ્ગુણી બને છે.

મૈત્રી સવશ જીવો પ્રત્યે સમાન મૈત્રીભાવ રાખવો.

પ્રમોદ અન્યના સદ્ગુણોની પ્રર્ાંસા કરવી.

કરુણા દુુઃખી જીવો પ્રત્ય ેદયા ભાવ અને બની ર્કે િેટલી બીજાન ેઆસક્ક્િ અને કિાશ ભાવ વગર મદદ કરવી.

માધ્ર્સ્થ દરેક પરરક્સ્ટ્ર્ત્તિમાાં સમભાવ રાખવો.

બાવીસ પરરષહ (પીડાની સહન ર્ન્ક્તત) જ્યારે કષ્ટ આવે ત્યારે વ્યક્ક્િએ સમભાવ પવૂશક રહવે ુ ાં જોઈએ. ક્ષધુા, તષૃા, ર્ીિ, ઉષ્ણ, દાંર્ પરરષહ, આક્રોર્પરરષહ, અને રોગ પરરષહ જેવા બાવીસ પરરષહોનુાં ર્ાસ્ત્રમાાં વણશન છે. આ પરરષહ (પીડા) સમિા ભાવે સહન કરવી.

પાચં ચારરત્ર (આચરણ) પરરણામની શદુ્ધતા. આધ્યાજત્મક પત્તવત્રિાની ક્સ્ટ્ર્ત્તિમાાં સ્ટ્વસ્ટ્ર્ રહવેાનો પ્રયાસ કરવો િેને ચારરત્ર્ય કહ ેછે. જૈન ર્ાસ્ત્રમાાં પાાંચ પ્રકારના ચારરત્રનુાં વણશન છે જે વ્યક્ક્િગિ આધ્યાજત્મક ક્સ્ટ્ર્ત્તિ પર આધાર રાખે છે.

૧. સામામર્ક ચારરત્ર આ સામાત્તયક ચારરત્ર સાધજુનો માટે સવશર્ા હોય છે. પરાંત ુગહૃસ્ટ્ર્ો માટે ૪૮ ત્તમત્તનટનુાં ત્તવત્તધપવૂશક સામાત્તયક કરવુાં. િે એકર્ી વધ ુર્ઈ ર્કે

Page 58: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૦૮ સાંવર - નવા કમશબ ાંધને રોકવાના પ્રકારો

જૈન દર્શન અને આચારની સરળ સમજ 57

િેમ જીવન જીવવુાં. સામાત્તયકમાાં સાવદ્ય પાપ વ્યાપારનો સવશર્ા ત્યાગ મતુ્તનને આજીવન હોય છે અને ગહૃસ્ટ્ર્ને આંત્તર્ક એટલ ેકે સામાત્તયક કરિા હોય ત્યારે હોય છે.

૨. છેદોપસ્થાપના આ ચારરત્ર ફક્િ સાધઓુ કે સાધ્વીઓ માટે જ છે. િેમણે લીધલે મહાવ્રિોનો ભાંગ ર્વાને કારણે ગરુુ િેમના પવૂશના ચારરત્ર કાળનો છેદ કરીને પનુુઃ મહાવ્રિોને સ્ટ્વીકારવાનુાં પચ્ચક્ખાણ આપે િેન.ે છેદોપસ્ટ્ર્ાપના ચારરત્ર કહ ેછે.

૩. પરરહાર મવશદુ્ધદ્ધ આ ચારરત્ર પણ ફક્િ સાધઓુ કે સાધ્વીઓ માટે જ છે

પોિાના ગચ્છનો ત્યાગ કરીને અમકુ સાધજુનો ત્તવહાર કરી જ ાંગલ કે ગફુામાાં એકાાંિમાાં રહી ઉગ્ર સાધના કરે છે. આ સાધનાર્ી િેઓ આંિરરક િપનો (પ્રાયત્તિિ, ત્તવનય, વૈયાવિૃ, સ્ટ્વાધ્યાય, ધ્યાન, અન ેકાયોત્સગશ) ઉત્કૃષ્ટ ત્તવકાસ કરે છે.

૪. સકૂ્ષ્મ સપંરાર્ ચારરત્ર આ ચારરત્ર પણ ફક્િ સાધઓુ માટે જ છે

કોઈપણ કષાય વગર સાધ ુ િરીકેનુાં જીવન જીવવુાં. માત્ર મોક્ષ પ્રાપ્પ્િની ર્ોડી આર્ા રાખવી. કારણ જૈન ધમશ માને છે કે કોઈપણ આર્ા એ લોભનુાં જ રૂપ છે. અહીં લોભ કષાયનો અત્તિ સકૂ્ષ્મ પણ ેઉદય વિ ેિે સકૂ્ષ્મ સાંપરાય ચારરત્ર.

૫. ર્થાખ્ર્ાત ચારરત્ર આ ચારરત્ર પણ ફક્િ સાધઓુ માટે જ છે

Page 59: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૨ િત્વજ્ઞાન

58 જૈન દર્શન અને આચારની સરળ સમજ

આ ચારરત્ર ફક્િ કેવળજ્ઞાની સાધ ુકે સાધ્વીનુાં સહજ જીવન છે. િેમનુાં જીવન સહજ અર્વા મનોત્તવકાર વગરનુાં હોય છે. આ યર્ાર્શ સાંપણૂશ શદુ્ધ ચારરત્ર, જે મોક્ષના કારણભિૂ ચારરત્ર છે પણ િેઓને મોક્ષની પણ આર્ા નર્ી રહિેી.

Page 60: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૦૯ ત્તનર્જરા - બાાંધેલા કમોનો નાર્ કરવાના ઉપાયો

જૈન દર્શન અને આચારની સરળ સમજ 59

૦૯. મનર્જરા - બાધેંલા કમોનો નાર્ કરવાના ઉપાર્ો

ત્તનર્જરા એટલે સિામાાં રહલેા કે ઉદયમાાં આવિાાં કેટલાાંક કમોનુાં ખરી પડવુાં, આત્માર્ી અલગ ર્ઈ જવુાં છે. આ ત્તનર્જરા બે રીિે ર્ાય છે.

એક ત્તનર્જરામાાં કમશ પોિાના પરરપાકના સમયે િેના ફળ પ્રમાણે વાિાવરણ પેદા કયાશ પછી જઈ ખરી પડે છે. િેને અકામ ત્તનર્જરા કહવેાય છે. પણ િે સમયે જીવનો ઉપયોગ ઉદયકમશમાાં જોડાયેલો હોવાર્ી િે નવો કમશબ ાંધ કરે છે. િેર્ી સામાન્ય સાંજોગોમાાં માણસ અકામ ત્તનર્જરાર્ી કમશર્ી મકુ્િ ર્ઈ ર્કિો નર્ી કારણ કે દરેક પળે િે જૂના કમશ છોડે છે અને નવા કમશ બાાંધે છે. આમ અકામ ત્તનર્જરાનુાં ચક્ર િો ચાલ્યા જ કરે છે. િેનાર્ી જીવને કોઈ લાભ નર્ી.

બીજી ત્તનર્જરામાાં ઉચ્ચ આધ્યાજત્મક આર્યર્ી કરાિાાં િપર્ી લાગેલી કમશરજો (સિામાાં રહલેી કમશરજો) ખરી પડે છે. િેને સકામ ત્તનર્જરા કહવેાય છે. સકામ ત્તનર્જરા જ આધ્યાજત્મક લાભ કરાવે છે. િે ત્તનર્જરા િપર્ી સધાય છે.

જૈન ધમશ સમજાવે છે કે આધ્યાજત્મક માગે પ્રગત્તિ કરિા માણસે કરેલા કમશ ઉદયમાાં આવે િે પહલેાાં િેની માત્રા ઓછી કરીને િેને દૂર કરી દેવા જોઈએ. િે જીવનની જરૂરરયાિો ઘટાડીને, પાાંચ મહાવ્રિોન ુપાલન કરીને, સત્કાયો, પ્રાયત્તિિ, ત્તવનય, વૈયાવિૃ, સ્ટ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સગશ દ્વારા કરી ર્કાય છે જેને િપ કહ ેછે.

જૈન ધમશમાાં બાર પ્રકારના િપ વણશવ્યા છે. િે બે ભાગમાાં વહેંચાયા છે. બાહ્ય િપ અને અભ્યાંિર િપ.

બાહ્ય તપ - ર્ારીરરક તપ

બાહ્ય િપ માનવ ર્રીર અને મનને સાંયમમાાં રાખે છે. ફકિ બાહ્ય િપર્ી કમશની સકામ ત્તનર્જરા ર્િી નર્ી શ્રી ભગવિી સતૂ્રમા, શ્રી ભગવાન મહાવીર ગૌિમસ્ટ્વામીને કહ ેછે કે જે જીવો પરાણે ભખૂ-િરસ, બ્રહ્ચયશ, ર્ીિ-ઉષ્ણ,

Page 61: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૨ િત્વજ્ઞાન

60 જૈન દર્શન અને આચારની સરળ સમજ

ડાાંસ-મચ્છર વગેરેનાાં દુુઃખ સહન કરે છે; પરાણે સ્ટ્નાનત્યાગ, પરસેવો, રજ,

મેલ િર્ા કાદવર્ી ર્િા પરરદાહનો ક્લેર્ પરાણે સહન કરે છે િેઓ એક પ્રકારની અકામ ત્તનર્જરા જ કરે છે.

પરાંત ુબાહ્ય િપનો ઉપયોગ આપણા ર્રીર અને મનને સાંયમમાાં રાખવાનો છે અને િે સાંયમ આત્માને અભ્યાંિર િપ માટે િૈયાર કરે છે. આ રીિે આધ્યાજત્મક વતૃ્તિ વધારવા અને કમશની ત્તનર્જરા કરવામાાં બાહ્ય િપ મદદ કરે છે. અભ્યાંિર િપ િે જ ખરુાં િપ છે અને િેનાર્ી જ કમશની ત્તનર્જરા ર્ાય છે.

1. અનર્ન સાંપણૂશ આહાર નો ત્તવત્તધપવૂશક ત્યાગ િેને અનર્ન અર્વા ઉપવાસ કહવેાય છે. કેટલીક વખિ કોઈ નક્કી કરેલા સમયમાાં માત્ર પાણી લે છે.

2. અલ્પાહાર અથવા ઊણોદરી ભખૂ કરિાાં ૧0%ર્ી ૨૦% ઓછાં ખાવુાં િેને ઊણોદરી વ્રિ કહવેાય છે.

3. ઈચ્છ્છા મનરોધ અથવા વમૃત્ત સકેં્ષપ આહાર અને માભલકીની વસ્ટ્તઓુની મયાશદા બાાંધવી. આહારમાાં ભાવિી અને રસવાળી વસ્ટ્તઓુનો ત્યાગ કરવો. ઉપરાાંિ જે જે વસ્ટ્તઓુ ભોગ-ઉપભોગમાાં લવેાિી હોય િનેો સાંક્ષપે કરવો અર્વા મયાશદા બાાંધવી.

4. રસત્તર્ાગ સ્ટ્વાદને જીિવા માટે સ્ટ્વારદષ્ટ રસોનો ત્યાગ કરવો. િેમાાં દૂધ, દહીં, ઘી, િેલ, ગોળ, િળેલુાં એ રસવાળા પદાર્ોનો ત્યાગ કરવો. વળી કચરા પટ્ટી જેવો આહાર (જ ાંક ફૂડ) જેમાાં નરહવત ્પૌષ્ષ્ટકિા હોય છે. િેનો ત્યાગ કરવો. ટૂાંકમાાં ખોરાકમાાં સ્ટ્વાદ સારે્ કોઈ લગાવ હોવો જોઇએ નરહ. આપણે સ્ટ્વસ્ટ્ર્ જીવન જીવવા માટે ઓછામાાં ઓછો

Page 62: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૦૯ ત્તનર્જરા - બાાંધેલા કમોનો નાર્ કરવાના ઉપાયો

જૈન દર્શન અને આચારની સરળ સમજ 61

જરૂરી અને સાજત્વક ખોરાક લેવો જોઈએ. સ્ટ્વાદ અન ે મજા માટે ખોરાક ખાવો નહીં.

5. કાર્ ક્તલેર્ - સ્વેચ્છ્છાએ ન્સ્થરતા રાખવી – સ્ટ્વેચ્છાએ ર્રીરન ેકષ્ટ આપવુાં. અને િે પણ કષ્ટ આપિી વખિ ેત્તવહ્વળ બન્યા વગર સહન કરવુાં. બધા જ પ્રકારના િપની આ સામાન્ય સમજ છે. મતુ્તનએ લોચ કરવો, ઠાંડીમાાં કે ગરમીમાાં ખલુ્લા પગે ચાલવુાં, કાયાની માયા ઘટાડવી. આ પ્રમાણે કાયાન ેપડિા કષ્ટ સમભાવ ેસહન કરવાર્ી આધ્યાજત્મક પ્રગત્તિ સરળિાર્ી ર્ઇ ર્કે છે.

6. સલંીનતા - પચેંષ્ન્દ્રર્નુ ંસખુ જતુ ંકરવુ ં– અંગોપાાંગ સાંકોચવા અર્ાશત ્પદ્માસન કે વજ્રાસન જેવા આસનો દ્વારા અંગોન ેસાધના માટે કેળવવા. ઇષ્ન્રયો અન ેમનને અંિરમાાં ઉિારી મન અને ર્રીરના આનાંદને જિો કરવો. ત્તવષય કષાયમાાં દોડી જિી ઇંરરયો ને રોકવી.

અભ્ર્તંર તપ-આંતરરક તપ

બાહ્ય િપ આપણા ર્રીર અને મનને સાંયમમાાં રાખે છે અને આત્માને અભ્યાંિર િપ માટે િૈયાર કરે છે. અભ્યાંિર િપર્ી જ રાગ અને મોહ (કષાય) ને ઘટાડી ર્કાય છે અને િેનાર્ી આત્માના પરરણામ ત્તવશદુ્ધ ર્ાય છે અને િેર્ી બાાંધેલા કમશ ઉદયમાાં આવે અને િેનુાં શભુાશભુ ફળ આપે િે પહલેા િે ત્તનર્જરી દે છે અર્વા િેના ઉદય વખિે િેની માત્રા ઘણી જ ઓછી કરે છે અને િેર્ી જ િે જ ખરુાં િપ છે. િેનાર્ી જ સકામ ત્તનર્જરા ર્ાય છે.

1. પ્રાર્મિત્ત આધ્યાજત્મક શદુ્ધદ્ધ માટે ભિૂકાળમાાં ર્યલેા દોષો અન ેઅપરાધ માટે પ્રાયત્તિિ કરવુાં અન ેફરીર્ી એવા દોષો ન ર્ાય િે પ્રમાણે જીવન જીવવુાં.

Page 63: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૨ િત્વજ્ઞાન

62 જૈન દર્શન અને આચારની સરળ સમજ

2. મવનર્

પ્રત્યેક વ્યક્ક્િની સાર્ ેઆદર પવૂશક વિશવુાં. ગરીબો પ્રત્ય ેમાનવિા દાખવવી

3. વૈર્ાવતૃ જરૂરીયાિવાળી દરેક વ્યરકિઓ ને યર્ાયોગ્ય આહાર, વસ્ત્ર, પાત્ર,

ઔષધ આરદ પરૂા પાડવા, જ્ઞાનીઓનુાં ભક્ક્િપવૂશક બહુમાન કરવુાં. 4. સ્વાધ્ર્ાર્

ર્ાસ્ત્રાર્શ ગ્રહણ કરવા. સત્ર્ાસ્ત્રોનો અભ્યાસ કરવો. આત્મા, કષાય અને કમશ-િનેો સાંબ ાંધ અને સષૃ્ષ્ટના બીજા િત્ત્વોનો અભ્યાસ કરવો. આત્માના ગણુોને જાણવા અને િે પ્રમાણે જીવન જીવવુાં.

5. ધ્ર્ાન ઉપરના ચાર ગણુો ગ્રહણ કયાશ પછી કોઈપણ શદુ્ધ ત્તવષયનુાં કે આત્માના ગણુો ત્તવષેનુાં એકાગ્રિાપવૂશક ધ્યાન કરવુાં.

6. કાર્ોત્તસગવ કાયોત્સગશ એટલે કાયાના વ્યાપારનો ત્યાગ અને દેહભાવનો ત્યાગ કરવો. િનેા માટે મન અન ેર્રીરને ક્સ્ટ્ર્ર કરી અને આત્મા આ દેહર્ી જુદો છે એ ભાવ દરેક સમયે રહ.ે આ ક્સ્ટ્ર્ત્તિની ઉચ્ચ કક્ષાએ ચારે ઘાિીકમો નાર્ પામે છે.

Page 64: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૧૦ પણુ્ય અને પાપ કમશ

જૈન દર્શન અને આચારની સરળ સમજ 63

૧૦. પણુ્ર્ અને પાપ કમવ પ્રસ્તાવના આપણે ત્તમથ્યાત્વ, કષાય (ક્રોધ, માન, માયા, લોભ) અને મન, વચન અને કાયાના યોગર્ી કમો બાાંધીએ છીએ.

આ કમોનુાં જુદી જુદી રીિે વગીકરણ ર્યુાં છે િે કમોનુાં ઘાિી-અઘાિી પ્રમાણે વગીકરણ આપણે ગયા પ્રકરણમાાં જોઈ ગયા.

િે જ કમોનુાં પણુ્ય અને પાપ કમશ પ્રમાણે પણ વગીકરણ આ પ્રકરણમાાં કરેલ છે.

પણુ્ર્ કમવ કરૂણા, જીવદયા, અન્નનુાં, પાણીનુાં, કે રહવેાનુાં દાન, અરહિંસારદ ત્તવચારોનુાં શદુ્ધદ્ધકરણ, ર્ારીરરક િેમજ માનત્તસક આનાંદ આપવા જેવી પ્રવતૃ્તિઓર્ી કે શભુભાવર્ી કરેલ કાયશ અને િેનાર્ી બાંધાયેલ કમશ ને પણુ્યકમશ કહવેાય છે

પાપ કમવ રહિંસા, અપ્રામાભણકિા, ચોરી, લાંપટિા, રાગ, ક્રોધ, ત્તમથ્યાભભમાન, કપટ,

કામવાસના અને કુત્તવચારોના (અશભુ ભાવ) પરરણામર્ી બાંધાયેલ કમશને પાપ કમશ કહ ેછે.

ઘાતી, અઘાતી અને પણુ્ર્, પાપ કમો વચ્છ્ચેનો સબંધં બધા ઘાિી કમો (મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવણીય અને અંિરાય) આત્માના ગણુોનો ઘાિ અર્વા ત્તવકૃિ કરે છે િેર્ી ચારેય ઘાિી કમો પાપ કમશ િરીકે ગણાય છે.

માત્ર અઘાિી કમશ જે જીવની, ર્ારીરરક રચના િર્ા સામાજજક દરજ્જા માટે જવાબદાર છે િે કમોનુાં પણુ્ય કમશ અને પાપ કમશમાાં વગીકરણ કરવામાાં આવે છે.

Page 65: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૨ િત્વજ્ઞાન

64 જૈન દર્શન અને આચારની સરળ સમજ

અઘાિી પણુ્ય કમશર્ી મનષુ્ય જન્મ, ત્તનરોગી ર્રીર, ઉચ્ચ કુળ અને લાાંબ ુઆયષુ્ય મળે છે. જે આગળ આધ્યાજત્મક પ્રગત્તિ કરવામાાં સહાયક બની ર્કે છે.

અઘાિી પાપ કમશર્ી રોગીષ્ઠ ર્રીર, ટૂાંકુ આયષુ્ય, નીચ ગોત્રકુળ, ગરીબાઈ,

ત્તિયુંચ કે નરકમાાં જન્મ ત્તવગેરે મળે છે. જે આગળ આધ્યાજત્મક પ્રગત્તિ કરવામાાં સહાયક બની ર્કિા નર્ી. પરાંત ુઆવી પરરક્સ્ટ્ર્ત્તિમાાં રહલે વ્યક્ક્િ સામાન્ય સાંજોગોમાાં વધારે પાપ કમો બાાંધિો રહ ેછે.

માનવ જીવન અને ઉિમ િાંદુરસ્ટ્િ ર્રીરની રચના વગર વીિરાગ દર્ા (રાગ-દ્વષે વગરની આધ્યાજત્મક ક્સ્ટ્ર્ત્તિ) પ્રાપ્િ ર્વી મશુ્કેલ છે. અને િેર્ી કેવળજ્ઞાન અને મોક્ષ પણ પામી ર્કાય નહીં.

િેર્ી સામાન્ય સાંજોગોમાાં પણ મોક્ષ પામવાના ત્તનત્તમિ માટે પણુ્ય કમશ અત્યાંિ જરૂરી છે.

કમવ બાધંવાના અને ભોગવવાના મનર્મો: જૈન દર્શન કહ ેછે કે:

દરેક પળે વ્યક્ક્િ બધાજ પ્રકારના ૮ કમો (૪ ઘાિી અને ૪ અઘાિી) ભોગવે છે. બીજા ર્બ્દોમાાં કહીએ િો વ્યક્ક્િ દરેક પળે બધાજ પાપ અને પણુ્ય કમો સારે્ ભોગવે છે.

દરેક પળે વ્યક્ક્િ ૭ કમો (૪ ઘાિી અને 3 અઘાિી) બાાંધે છે (આયષુ્ય કમશ ત્તસવાયના) અને જીવન દરમ્યાન એક વખિ આયષુ્ય સારે્ આઠે કમશ બાાંધે છે. બીજા ર્બ્દોમાાં કહીએ િો વ્યક્ક્િ દરેક પળે પાપ અને પણુ્ય બાંને કમો સારે્ બાાંધે છે.

આ બધાજ કમશના બાંધન, એક જ મોહનીય કમશના ત્તનત્તમિર્ી એટલે કે આપણામાાં રહલેા ત્તમથ્યાત્વ અને આપણે કરેલ કષાયર્ી જ ર્ાય છે.

આગળ વધેલી આધ્યાજત્મક વ્યક્ક્િ જ્યારે ૧૨મા ગણુસ્ટ્ર્ાને પહોંચે ત્યારે ફક્િ મોહનીય કમશનો જ નાર્ કરીને વીિરાગ દર્ા પ્રાપ્િ કરે છે. અને

Page 66: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૧૦ પણુ્ય અને પાપ કમશ

જૈન દર્શન અને આચારની સરળ સમજ 65

વીિરાગ દર્ા પ્રાપ્િ કયાશ પછી ૪૮ ત્તમત્તનટમાાં કેવળજ્ઞાન પ્રાપ્િ ર્ાય છે. અને પછી િેઓન ુઆયષુ્ય પરુુાં ર્યે મોક્ષ પ્રાપ્િ ર્ાય છે.

આ રીિે ત્તવચાર કરીએ િો પણુ્ય કમશન ુાં ત્તનત્તમિ આપણને મોક્ષ પ્રાપ્િ કરવાના માગશમાાં ૧૨મા ગણુસ્ટ્ર્ાનક સધુી પહોચવામા સહાયક બને છે પરાંત ુબાધા રુપ બનતુાં નર્ી.

માટે દરેક પળે આપણે વધમુાાં વધ ુપણુ્ય કમશ અને ઓછામાાં ઓછા પાપ કમશ બ ાંધાય િે માટે જાગિૃ (સભાન) રહવે ુ ાં જોઈએ. શદુ્ધ દયામય અને અરહિંસક ચારરત્ર્યનુાં પાલન કરીને મકુ્ક્િ માટે પરુુષાર્શ કરવો જોઈએ.

પણુ્ર્ કમવ કરતી વખતની ચેતવણી સદ્ગુણી, નીત્તિમાન પ્રવતૃ્તિઓ કરિી વખિે ઘણી વખિ વ્યક્ક્િ પોિાના ત્તમથ્યાત્વ અને કષાયને લીધે માને છે કે િેના પ્રયત્નો અને કાયશને લીધે ઘણા લોકોને મદદ મળી અર્વા િે પોિે માંરદર કે હોક્સ્ટ્પટલ બાાંધવા માટેનો મોટો દાનેશ્વરી છે. અને આ રીિે િે ઘણો સામાજજક મોભો પ્રાપ્િ કરે છે અને િેનો િે ગવશ લે છે. આવી વ્યક્ક્િ સારા કાયશ ને લીધે પણુ્ય કમશ બાાંધે છે પણ સારે્ ને સારે્ િે કિાશભાવને કારણે મોટુાં પાપ કમશ (મોહનીય કમશ) બાાંધે છે કારણ કે િેમનુાં આ પણુ્ય કમશ મોહનીય કમશની અસર હઠેળ ર્ક્ક્િ અને કીત્તિિ માટે કરેલ છે.

િેર્ી જૈન ધમશ ચેિવે છે કે કોઈપણ દયામય અને નીત્તિમય પ્રવતૃ્તિ ત્તમથ્યાત્વ અને કષાય સારે્ કરી હોય િો અંિે િો િે પાપમય પ્રવતૃ્તિ િરીકે િે વ્યક્ક્િ પાપના જ કમો વધારે બાાંધે છે. પછી ભલે િે પ્રવતૃ્તિ બીજા લોકોને, પ્રાણીને કે સમાજને મદદરૂપ હોય.

મોહનીય કમશ એક જ ખબૂ જોખમકારક કમશ છે કારણ કે માત્ર આ એક જ કમશને લીધે, કોઈ પણ વ્યક્ક્િ વીિરાગિા પ્રાપ્િ કરી ર્કિી નર્ી અને િેર્ી કેવળજ્ઞાન અને મોક્ષ પણ પ્રાપ્િ ર્ઇ ર્કિા નર્ી.

Page 67: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૨ િત્વજ્ઞાન

66 જૈન દર્શન અને આચારની સરળ સમજ

સારારં્ પણુ્ય એ કમશ છે પણ જૈન ધમશ એવુાં ર્ીખવે છે કે બધા કમશ આત્માની મકુ્ક્િ પ્રાપ્િ કરવાના માગશમાાં આડા નર્ી આવિા. માત્ર ઘાિી કમશ અને ખાસ કરીને મોહનીય કમશ જ આત્માની વીિરાગ દર્ા પ્રાપ્િ કરવામાાં બાધારૂપ છે.

વળી પરોપકારની પ્રવ્રતૃ્તિ શધુ્ધ ભાવર્ી એટલે કે પ્રર્ાંસાની આર્ા વગર કે કિાશ ભાવ વગર કરેલ હોય િો નવા કમો બાંધાિા નર્ી પણ બાાંધેલા જૂના કમોની સકામ ત્તનર્જરા ર્ાય છે.

એક વખિ વીિરાગિા પ્રાપ્િ ર્યા પછી બાકીના ત્રણ ઘાિી કમશ આપોઆપ અંિમહુ ૂશિશ (૪૮ ત્તમત્તનટ)માાં નાર્ પામે છે અને વ્યક્ક્િ કેવળજ્ઞાન, કેવળદર્શન,

અને અનાંિ ર્રકિ પ્રાપ્િ કરે છે. અને પછી જીવનના અંિે બધાજ અઘાિી કમોનો નાર્ ર્િો હોવાર્ી િે મકુ્ક્િ મેળવે છે - ત્તસદ્ધ ર્ાય છે.

વ્યક્ક્િગિ આધ્યાજત્મકિાના ભબિંદુર્ી જોઇએ િો, જો કોઈ સાચે જ ત્તમથ્યાત્વ અને કષાયનો (મોહનીય કમશ) નાર્ કરે િો િે મકુ્ક્િ િે જ ભવમાાં પ્રાપ્િ કરે છે.

પણુ્ય કમશર્ી મળિા માનવ જન્મ, સાંયમ, આયશક્ષેત્ર ત્તવગેરે સામગ્રીનો સદુપયોગ કરીએ િો આપણે સહલેાઈર્ી મોક્ષ પ્રાપ્િ કરી ર્કીયે છીએ. માટે પણુ્ય કમશને મોક્ષ પ્રાપ્પ્િ માટે બાધા રૂપ કહવે ુ ાં િે આધ્યાજત્મક રષ્ષ્ટ એ બરાબર નર્ી.

મોક્ષ પ્રાપ્પ્િ માટે ફકિ મોહનીય કમશ જ બાધા રૂપ છે.

પણુ્ર્-પાપની ચતભંુગી પણુ્ય અને પાપ બાંને કમશ આત્માને ઇષ્ન્રય દ્વારા ભત્તવષ્યમાાં સખુ કે દુુઃખ નો અનભુવ કરાવવામાાં ત્તનત્તમિ બને છે. પણુ્ય અને પાપ કમશના પરરણામ ભોગવિી વખિે આપણી પ્રત્તિરક્રયા કે વલણને રહસાબે જે નવા કમશ બ ાંધાય િેને અનબુ ાંધ કહ ેછે. જો આપણુાં વલણ કે પરુુષાર્શ મકુ્ક્િ કે સદ્ગુણ િરફનુાં હરે્ િો િે ધમશત્તનષ્ઠ પ્રત્તિભાવ પામરે્ અને પણુ્યનો અનબુ ાંધ ર્રે્ િેને પણુ્યનબુ ાંધ કહ ેછે અને જો આપણી વતૃ્તિ ભૌત્તિક સખુ અને દુગુશણો િરફની

Page 68: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૧૦ પણુ્ય અને પાપ કમશ

જૈન દર્શન અને આચારની સરળ સમજ 67

હરે્ િો િે પાપ વતૃ્તિનો પ્રત્તિભાવ મેળવરે્ એટલે કે પાપનો અનબુ ાંધ ર્રે્ િેને પાપાનબુ ાંધ કહ ેછે.

૧. પણુ્ર્ાનબુધંી પણુ્ર્ આપણ ેભિૂકાળના કરેલા પણુ્ય કમશનુાં ફળ ભોગવિી વખિ,ે કોઈ પોિાની સાંપત્તિ, સ્ટ્વાસ્ટ્થ્ય અને ર્ક્ક્િ કોઈપણ પ્રકારની કીત્તિિ કે સિાની અપકે્ષા રાખ્યા વગર પરોપકારે વાપરે િો િે નવા પણુ્ય કમશ બાાંધે છે. િેને પણુ્યાનબુ ાંધી પણુ્ય કહવેાય છે. આવા ઉિમ ભાવ મોહનીય કમશના ક્ષયોપર્મર્ી ર્ાય છે. બહુ ઓછા લોકો સખુ-સતુ્તવધામાાં આસક્િ હોય ત્યારે પણુ્ય કમશ કરવા પ્રયત્ન કરિા હોય છે. આમ જે પણુ્ય કમશનો ઉદય નવા પણુ્યબાંધનો હતે ુ બન ે િેન ેપણુ્યાનબુ ાંધી પણુ્ય કહવેાય. આમ કરવાર્ી િેની આધ્યાજત્મકિા વધે છે અને આખરે આવી વ્યક્ક્િ મોક્ષ પ્રાપ્િ કરે છે.

૨. પાપાનબુધંી પણુ્ર્ પણુ્યના ઉદય વખિ ેઆપણ ેઆપણા પરુૂષાર્શર્ી પાપ કમશનુાં બ ાંધન કરીએ િો િેને પાપાનબુ ાંધી પણુ્ય કહવેાય છે. એટલે કે પહલેાના પણુ્ય કમશના ઉદયે મળેલી સિા, સાંપત્તિ અને સ્ટ્વાસ્ટ્થ્યનો આનાંદ છૂટર્ી માણિા વ્યક્ક્િ અસદ્પ્પ્રવતૃ્તિ કરે છે ત્યારે પાપ કમશ બાંધાય છે. કેટલીક વખિ કીત્તિિ, સામાજજક મોભો અને સિા મળેવવા વ્યક્ક્િ સત્પ્રવતૃ્તિઓ પણ કરે છે િમે છિાાં આવી બધી રક્રયાઓર્ી િે વ્યક્ક્િન ેિો પાપ કમશ જ બાંધાય છે. મોટા ભાગના લોકો જ્યારે સિા, સાંપત્તિ હોય ત્યારે એર્-આરામમાાં ત્તનરાંકુર્ પણ ેઆસક્િ બની િેવી પ્રવતૃ્તિઓ કરિા હોય છે િેને પાપાનબુ ાંધી પણુ્ય કહ ેછે.

Page 69: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૨ િત્વજ્ઞાન

68 જૈન દર્શન અને આચારની સરળ સમજ

૩. પણુ્ર્ાનબુધંી પાપ પહલેાનાાં પાપ કે દુુઃખના કમશના ઉદય વખિે આપણ ે િે દુુઃખ સમિાર્ી સહન કરીએ િો નવો અનબુ ાંધ પણુ્યનો ર્ાય છે. એટલે કે ભિૂકાળમાાં કરેલ પાપકમશના ઉદય વખિ ેવ્યક્ક્િ સ્ટ્વીકારે કે િેનુાં દુુઃખ પહલેાના કરેલા રહિંસારદ ખોટા કમો અર્વા પ્રવતૃ્તિઓનુાં પરરણામ છે. અને િરે્ી િે વ્યકત્તિ દુુઃખને ર્ાાંત્તિર્ી અન ેઅનાસક્ક્િના ભાવર્ી સહન કરે છે. િે પોિાના દુુઃખનુાં કારણ બીજાન ેનર્ી ગણિો. િરે્ી િે પણુ્ય કમશ બાાંધે છે. આને પણુ્યાનબુ ાંધી પાપ કહવેાય છે. આ ક્સ્ટ્ર્ત્તિમાાં િે વ્યકત્તિની આધ્યાજત્મક પ્રગત્તિ ઘણી ર્ાય છે. અને િેની મોક્ષ પ્રાપ્પ્િ બીજા કરિાાં વધારે ઝડપર્ી ર્ાય છે. દુુઃખ ભોગવિી વખિ ેઆવા વલણોનો પ્રયાસ ભાગ્યે જ કોઈ કરે છે.

૪. પાપાનબુધંી પાપ પહલેાનાાં પાપ કે દુુઃખના કમશન ે ભોગવિાાં કોઈ બીજાન ે પોિાના દુુઃખનુાં કારણ ગણે. અને િરે્ી િે પોિાના ક્રોધ, વેર ઝેર, ઈષાશ વધારે છે. િેર્ી આ રીિે નવુાં પાપકમશ બાાંધે છે. આવી પ્રરક્રયાને પાપાનબુ ાંધી પાપ કહવેાય છે. મોટા ભાગના લોકો દુુઃખી હોય ત્યારે ક્રોધ, ઈષાશ અન ેર્ત્રિુામાાં ડબૂલેા રહ ેછે. િેર્ી અંિે દુુઃખ જ િમેના ભાગ્યમાાં રહ ેછે.

સારારં્ જૈન ધમશ કહ ેછે કે સખુદ પરરક્સ્ટ્ર્ત્તિમાાં આપણે આપણી ર્ક્ક્િ મજુબ અરહિંસા, સત્ય, અચૌયશ, બ્રહ્ચયશ અપરરગ્રહ જેવા વ્રિને પાળવા જોઇએ અને દાન,

ર્ીલ, િપ ભાવ જેવા કાયો કરવા જોઈએ. અને દુુઃખદ ક્સ્ટ્ર્ત્તિમાાં સ્ટ્વીકારવુાં જોઈએ કે મારુ દુુઃખ એ મારા પહલેાના કમોનુાં જ પરરણામ છે. મારા આ દુુઃખ માટે બીજુ ાં કોઈ જવાબદાર નર્ી. અને આ રીિે દુુઃખદ પરરક્સ્ટ્ર્ત્તિમાાંર્ી સમિાભાવે પસાર ર્વુાં જોઇએ.

Page 70: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૧૦ પણુ્ય અને પાપ કમશ

જૈન દર્શન અને આચારની સરળ સમજ 69

આધ્યાજત્મક પ્રગત્તિની પ્રારાંભભક ક્સ્ટ્ર્ત્તિમાાં, દરેકે પાપ પ્રવતૃ્તિર્ી જેટલુાં બને િેટલુાં દૂર રહવે ુ ાં જોઈએ. અને બને િેટલા વધારે પ્રયત્નો કરી સત્કાયો જેવા કે અરહિંસારદ, દાન, અને પરોપકાર દ્વારા જીવનની શદુ્ધદ્ધ કરવી અને પોિાની આધ્યાજત્મકિા વધારવી. આ બધી સત્પ્રવતૃ્તિઓ કરવાર્ી પણુ્ય કમશ પ્રાપ્િ ર્િાાં આગળ આધ્યાજત્મક પ્રગત્તિ કરવાના ઘણા અનકૂુળ સાંજોગો મળી રહરેે્. જેમ કે સ્ટ્વાસ્ટ્થ્ય પણૂશ જીવન, સામાજજક મોભો, દીઘશ આયષુ્ય અને આધ્યાજત્મક પ્રગત્તિ માટેના ધમશગરુૂઓ, સત્ર્ાસ્ત્રો સમાગમ ત્તવગેરે.

આ અનકૂુળ સાંજોગોને ભોગવિાાં વ્યક્ક્િએ કીત્તિિની, ર્ક્ક્િની કે ફળની આર્ા રાખ્યા વગર સિિ પરોપકારના કાયો કરિાાં રહવે ુ ાં જોઈએ. આ જાગતૃ્તિને લીધે કિાશભાવ (અહાં) અને ગમો-અણગમો કે રાગ કે દ્વષે જેવા દુગુશણો ઓછા ર્ાય છે કે લગભગ દૂર ર્ઈ જાય છે. એક વખિ મોહનીય કમો નાર્ પામે પછી વ્યક્ક્િ બીજા નવા ઘાિી કમો બાાંધિો નર્ી પણ િેના જૂના ઘાિી કમોની ત્તનર્જરા ર્ાય છે અને અંિે કેવળજ્ઞાન પામી અને મોક્ષ પ્રાપ્િ કરે છે.

જો કે સત્પ્રવતૃ્તિર્ી પણુ્ય કમશ પ્રાપ્િ ર્ાય છે અને જો િે સત્પ્રવતૃ્તિમાાં આપણે કિાશ ભાવ (ego) રાખીએ િો પણુ્ય કમશની સારે્ ઘણા જ મોહનીય કમશ પણ બાંધાય છે જે મોક્ષ પ્રાપ્પ્િ માાં બાધા રૂપ છે. િેર્ી કોઈએ એમ અનમુાન ન કરવુાં જોઈએ કે જૈન ધમશ સત્પ્રવતૃ્તિઓને નકારે છે. જૈન ધમશ સત્પ્રવતૃ્તિઓ જ કરવાનુાં કહ ેછે પણ િેમાાં કિાશ ભાવ રાખવાનુાં નર્ી કહિેા.

કિાશ ભાવ ન રાખવાની પ્રરક્રયાર્ી જ જૂના કમોની ત્તનર્જરા ર્ાય છે અને મોહનીય કમશનો નાર્ ર્ાય છે. અને વીિરાગ દર્ા પ્રાપ્િ ર્ાય છે.

જૈન દર્શન કહ ે છે કે - એક વખિ મોહનીય કમશનો નાર્ ર્ઈ જાય પછી બાકીના કમો સામથ્યશ વગરના બની જાય છે અને િે કોઈને મોક્ષપ્રાપ્પ્િમાાં રોકી ર્કિા નર્ી કે બાધા રૂપ બનિા નર્ી.

મોહનીય કમશનો નાર્ કરવા મનષુ્ય જીવન (ભવ), સત ્ દેવ અને ગરુુનો યોગ, િાંદુરસ્ટ્િ ર્રીર, દયાળાં સ્ટ્વભાવ અને સત્પ્રવતૃ્તિઓ જરૂરી છે. જે પણુ્ય કમશન ુાં પરરણામ છે.

Page 71: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૨ િત્વજ્ઞાન

70 જૈન દર્શન અને આચારની સરળ સમજ

૧૧. ગણુસ્થાન અથવા ગણુશે્રણી

Page 72: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૧૧ ગણુસ્ટ્ર્ાન અર્વા ગણુશે્રણી

જૈન દર્શન અને આચારની સરળ સમજ 71

જૈન ર્ાસ્ત્રમાાં કૈવલ્ય-ભતૂ્તમને પહોંચવા માટે આત્માના ક્રત્તમક ત્તવકાસની ચૌદ શે્રણીઓ બિાવી છે. આ શે્રણીઓને ગણુસ્ટ્ર્ાન કહ ેછે. ગણુસ્ટ્ર્ાન એટલે ગણુની અવસ્ટ્ર્ા. આત્માનો ગણુ ત્તવકાસ યર્ાયોગ્ય ક્રમર્ ચૌદ શે્રણીઓમાાં ર્ાય છે.

બધા પ્રાણીઓ પ્રાર્ત્તમક અવસ્ટ્ર્ામાાં િો પ્રર્મ શે્રણીમાાં વિશનારા હોય છે. પણ એમાાંર્ી જેઓ આત્મબળ ફોરવી આગળ વધવાનો પ્રયત્ન કરે છે, િેઓ ઉિરોિર શે્રણીઓમાાં યોગ્ય ક્રમર્ી પસાર ર્ાય છે અને છેવટે બારમી શે્રણીમાાં ત્તનરાવરણ એટલે કે ત્તવિરાગ બની િેરમી શે્રણીમાાં જીવન મકુ્િ પરમાત્મા બને છે. અને છેવટે મતૃ્ય ુ સમયે ચૌદમી શે્રણીમાાં આવી િરિ જ પરમ ત્તનવાશણધામ પ્રાપ્િ કરે છે.

માંદ પ્રયત્નવાળાઓને વચલી કેટલીક શે્રણીઓમાાં વધારે રોકાવુાં પડે છે,

ચડિી-પડિી પણ ઘણી વખિ ઘણી ર્ાય છે. જેર્ી બારમી શે્રણી સધુી જિા િેઓને ઘણો વખિ લાગે છે.

૧૪ ગણુસ્થાનક (0૧) મમથ્ર્ાત્તવગણુસ્થાન

કોઇ પણ પ્રાણીમાાં જ્યારે આત્મકલ્યાણ સાધનના માગશ ત્તવષેની સાચી દૃષ્ષ્ટ ન હોય, ઊંધી સમજ હોય કે અજ્ઞાન, ભ્રમ પ્રવિશિા હોય ત્યારે એ આ પ્રર્મ શે્રણીમાાં હોય છે. નાના કીડાર્ી માાંડી મોટા મોટા પાંરડિો અને િપસ્ટ્વીઓ સદુ્ધાાં આ શે્રણીમાાં હોય છે. કેમકે વાસ્ટ્િત્તવક આત્મદૃષ્ષ્ટ કે આત્મભાવના ન હોવી એ ત્તમથ્યાત્વ છે. એ ત્તમથ્યાત્વના પરરણમે એમની અન્ય ઉન્નત્તિનુાં કશુાં મલૂ્ય નર્ી.

ટૂાંકમાાં આત્મકલ્યાણ સાધનના માગશમાાં કિશવ્ય-અકિશવ્ય ત્તવષેના ત્તવવેકનો અભાવ અને ખોટાાં રૂરઢ વહમેમાાં માનવુાં એ ત્તમથ્યાત્વ છે.

(0૨) સાસાદન ગણુસ્થાન

સાસાદન ગણુસ્ટ્ર્ાન સમ્યગ્દર્શનર્ી (ચોર્ા ગણુસ્ટ્ર્ાન ર્ી) પડિી અવસ્ટ્ર્ાનુાં નામ છે. સમ્યગ્દર્શન પ્રાપ્િ ર્યા પછી પણ ક્રોધારદ પરમ િીવ્ર (અનન્િાનબુન્ધી) કષાયોનો ઉદય ર્ાય િો સમ્યક્ત્વર્ી પડવાનો વખિ આવે છે. આ ગણુસ્ટ્ર્ાન એવી પડિી અવસ્ટ્ર્ા રૂપ છે એટલે આ ગણુસ્ટ્ર્ાન ક્ષણમાત્રનુાં છે. ‘ઉપર્મ’ સમ્યક્ત્વર્ી પડનારને માટે જ આ ગણુસ્ટ્ર્ાન છે.

Page 73: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૨ િત્વજ્ઞાન

72 જૈન દર્શન અને આચારની સરળ સમજ

(0૩) મમશ્રગણુસ્થાન

આત્માના એવા ત્તવભચત્ર અધ્યવસાયનુાં નામ છે કે જે સમ્યક્ત્વ અને ત્તમથ્યાત્વ બને્નના ત્તમશ્રણરૂપ છે.

જ્યારે કોઈ જીવને સત્યનુાં દર્શન ર્ાય છે ત્યારે િે આિયશચરકિ જેવો બની જાય છે. પરાંત ુઘણી વખિ એના જૂના સાંસ્ટ્કાર એને પાછળ િરફ ખેંચે છે અને સત્યનુાં દર્શન આગળ ખેંચે છે. આમાાં પણૂશ ત્તવવેક પ્રાપ્પ્િ હોિી નર્ી, સમ્યક્ત્વ અને ત્તમથ્યાત્વનુાં ત્તમશ્રણ હોય છે, અર્ાશત ્સન્માગશ ત્તવષે શ્રદ્ધા પણ નરહ અને અશ્રદ્ધા પણ નરહ અર્વા સત ્અને અસત ્બેઉ િરફ ખેંચનારી યા બેઉ ત્તવષે "ભેળસેળ" જેવી શ્રદ્ધા હોય છે. આ ગણુસ્ટ્ર્ાનની ‘ડોલાયમાન’

અવસ્ટ્ર્ા ર્ોડા વખિ માટે હોય છે. પછી િો એ કાાં િો ત્તમથ્યાત્વમાાં પડે છે,

કાાં િો સત્યને પ્રાપ્િ કરે છે

(0૪) અમવરમત સમ્ર્ગદૃષ્ટટ

ત્તવરત્તિ ત્તવના ની સમ્યગ્દૃષ્ષ્ટ (સમ્યક્ત્વ યા સમ્યગ્દર્શન) એ ‘અત્તવરત્તિ સમ્યગ્દૃષ્ષ્ટ’ ર્બ્દનો અર્શ છે. સમ્યક્ત્વનો સ્ટ્પર્શ ર્િાાં-ભવભ્રમણના કાળનો છેડો ત્તનયિ ર્ઈ જાય છે. આત્મત્તવકાસની મળૂ આધારભતૂ્તમ આ ગણુસ્ટ્ર્ાન છે.

ત્તમથ્યાદૃષ્ષ્ટ અને સમ્યગ્દૃષ્ષ્ટ એ બે વચ્ચેનો ફેર આ પ્રસાંગે જરા જોઈ લઈએ. ત્તમથ્યાદૃષ્ષ્ટમાાં ધાત્તમિક ભાવના નર્ી હોિી. બધા પ્રાણીઓ સારે્ એકિા યા સમાનિા અનભુવવાની સદ્વતૃ્તિર્ી એ ખાલી હોય છે. અન્ય સારે્ એનો સાંબ ાંધ સ્ટ્વાર્શનો કે બદલો લેવાનો જ હોય છે.

સમ્યગ્દૃષ્ષ્ટ ધાત્તમિક ભાવનાર્ીલ અને આત્મદૃષ્ષ્ટવાળો હોય છે. મારો આત્મા છે એવો જ બીજાનો આત્મા છે. એવી િેની શ્રદ્ધા હોય છે. આસક્ક્િવર્ાત ્પોિાના સ્ટ્વાર્શ માટે બીજાના રહિનો ઉપરોધ કરવા જેવુાં દુષ્કૃત્ય એ કદાચ કરે િો પણ એ અનભુચિ છે એમ એના અન્િરાત્માને ડાંખ્યા કરે છે, એ માટે એને પિાિાપ ર્ાય છે અને કામક્રોધારદક દોષો અને પાપાચરણ ઓછાાં ર્ાય એવી એની મનોભાવના હોય છે.

Page 74: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૧૧ ગણુસ્ટ્ર્ાન અર્વા ગણુશે્રણી

જૈન દર્શન અને આચારની સરળ સમજ 73

ત્તમથ્યાદૃષ્ષ્ટ, ધાત્તમિક દૃષ્ષ્ટએ જે પાપ ગણાત ુાં હોય િેને પાપ સમજિો નર્ી; ભૌત્તિક સખુ મેળવવા પાછળ મસ્ટ્િ હોવાર્ી એ માટેનો માગશ લેવામાાં પણુ્ય-પાપનો ભેદ એને ગ્રાહ્ય નર્ી; એ પાપમાગશને પાપમાગશ સમજિો નર્ી. ત્તમથ્યાદૃષ્ષ્ટ કોઈનુાં ભલુાં કરિો હોય િો પણ સ્ટ્વાર્શ, પક્ષપાિ કે કૃિજ્ઞિાના રહસાબે કરિો હોય છે, જ્યારે સમ્યગ્દૃષ્ષ્ટ એ ઉપરાાંિ સ્ટ્વાપશણભાવનાનુાં સાપ્ત્ત્વક િેજ પણ ધરાવિો હોય છે. એના માાં અનકુમ્પા અને બાંધભુાવ ની વ્યાપક વતૃ્તિ હોય છે.

(0૫) દેર્મવરમત સમ્ર્ગ્દૃષ્ટટ

સમ્યગ્દૃષ્ષ્ટપવૂશક, ગહૃસ્ટ્ર્ ધમશનાાં વ્રિોનુાં રીિસર પાલન કરવુાં એ ‘દેર્ત્તવરત્તિ’

છે. સવશર્ા નરહ, રકિંત ુદેર્િુઃ અર્ાશત ્અંર્િુઃ ચોક્કસપણે પાપયોગર્ી ત્તવરિ ર્વુાં એ ‘દેર્ત્તવરત્તિ’ ર્બ્દનો અર્શ છે. દેર્ત્તવરત્તિ એટલે મયાશરદિ ત્તવરત્તિ.

(0૬) પ્રમત્ત ગણુસ્થાન

મહાવ્રિધારી સાધજુીવનનુાં આ ગણુસ્ટ્ર્ાન છે. પરાંત ુઅહીં સવશત્તવરત્તિ હોવા છિાાં પ્રમાદ હોય છે. ક્યારેક ક્યારેક કિશવ્ય કાયશ કરવાનુાં ઉપક્સ્ટ્ર્િ ર્વા છિાાં આલસ્ટ્યારદને લીધે જે અનાદર બદુ્ધદ્ધ પેદા ર્ાય છે િે પ્રમાદ છે. પરાંત ુજેમ ઉભચિ માત્રામાાં ઉભચિ ભોજન લેવુાં એ પ્રમાદમાાં ગણાત ુાં નર્ી, િેમ જ ઉભચિ ત્તનરા પ્રમાદમાાં ગણાિી નર્ી, િેમ કષાય પણ મન્દ હાલિમાાં હોિાાં અહીં પ્રમાદમાાં ગણવામાાં આવ્યો નર્ી, પણ િીવ્રિાને ધારણ કરે ત્યારે િે અહીં પ્રમાદમાાં ગણવામાાં આવ્યો છે. કેમકે એમ િો કષાયોદય આગળ સાિમા ગણુસ્ટ્ર્ાનર્ી દર્મા ગણુસ્ટ્ર્ાન સધુી છે પણ િે માંદ ર્િો જિો હોઈ િેને ‘પ્રમાદ’ કહવેાિો નર્ી.

(0૭) અપ્રમત્ત ગણુસ્થાન

પ્રમાદમકુ્િ મતુ્તનવરનુાં આ સાિમુાં ગણુસ્ટ્ર્ાન છે. સાંયમી મનષુ્ય ઘણીવાર પ્રમિ અને અપ્રમિ અવસ્ટ્ર્ામાાં ઝોલાાં ખાિો હોય છે. કિશવ્યમાાં ઉત્સાહ અને સાવધાની બન્યાાં રહ ેએ અપ્રમિ અવસ્ટ્ર્ા છે. એ અવસ્ટ્ર્ામાાં ચભલિ પણુાં આવિાાં ર્ોડા વખિમાાં પાછી પ્રમિિા આવી જાય છે.

Page 75: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૨ િત્વજ્ઞાન

74 જૈન દર્શન અને આચારની સરળ સમજ

(0૮) અપવૂવકરણ ગણુસ્થાન

ચારરત્રમોહનીય કમશનો ઉપર્મ યા ક્ષય કરવાનો અપવૂશ એટલે કે પહલેાાં નરહ પ્રાપ્િ ર્યેલો અધ્યવસાય (આજત્મક ઉત્ર્ાનકાળનો ત્તવત્તર્ષ્ટ ભાવોત્કષશ) આ ગણુસ્ટ્ર્ાનમાાં પ્રાપ્િ ર્ાય છે. ચારરત્રમોહનીયનો ઉપર્મ યા ક્ષય અહીંર્ી ર્રૂ ર્ાય છે.

(0૯) અમનવમૃત્તકરણ ગણુસ્થાન

અપવૂશ પ્રકારનો પામેલો ભાવોત્કષશ અહીં એ સમાન શે્રણીના આત્માઓમાાં સમાનિાને ધારણ કરે છે. ઉપરન ુઅને આ બે ગણુસ્ટ્ર્ાન આજત્મક ભાવના નૈમશલ્યની િરિમ અવસ્ટ્ર્ાના ત્તનદેર્રૂપ છે.

(૧૦) સકૂ્ષ્મસમ્પરાર્

મોહનીયકમશનો ઉપર્મ યા ક્ષય ર્િાાં ર્િાાં જ્યારે લગભગ બધાજ મોહનીય કમશ (ક્રોધ આરદ સપરરવાર કષાયરૂપ) ઉપર્ાન્િ યા ક્ષીણ ર્ઈ જાય છે અને માત્ર એક લોભનો (રાગનો) સકૂ્ષ્મ અંર્ અવત્તર્ષ્ટ રહ ેછે ત્યારે એ ક્સ્ટ્ર્ત્તિનુાં ગણુસ્ટ્ર્ાન ‘સકૂ્ષ્મસમ્પરાય’ કહવેાય છે.

(૧૧) ઉપર્ાન્તમોહ

કષાયરૂપ ચારરત્રમોહનીય કમશનો ઉપર્મ જ (ક્ષય નરહ) કરવો જેણે પ્રારાંભ્યો છે િેનો સાંપણૂશ મોહ ઉપર્ાન્િ ર્ાય િેનુાં નામ ‘ઉપર્ાન્િમોહ’ ગણુસ્ટ્ર્ાન.

(૧૨) ક્ષીણમોહ

કષાયરૂપ ચારરત્રમોહનીય કમશનો ક્ષય જેણે પ્રારાંભ્યો છે, િેમનો સાંપણૂશ મોહ ક્ષીણ ર્વો િેનુાં નામ ‘ક્ષીણમોહ’ ગણુસ્ટ્ર્ાન. ઉપલુાં અને આ બને્ન પણૂશ સમભાવનાાં ગણુસ્ટ્ર્ાન છે. પણ ફરક એ છે કે ઉપલામાાં સમભાવનુાં સ્ટ્ર્ાયીત્વ નર્ી, જ્યારે આ ગણુસ્ટ્ર્ાનમાાં એ પણૂશ સ્ટ્ર્ાયી છે.

અહીં ઉપર્મ અને ક્ષયમાાં ફરક સમજી લઈએ. સામાન્ય રીિે એમ સમજુિી અપાય કે આગ પર પાણી નાખી િેને હોલવી નાખવી એ ‘ક્ષય’ અને રાખ નાખી િેને ઢાાંકી દેવી એ ‘ઉપર્મ’. ઉપર્મ શે્રણીમા મોહનો સવશર્ા ઉપર્મ ર્યો હોય, છિાાં પનુુઃ મોહનો પ્રાદુભાશવ ર્યા વગર રહિેો નર્ી.

Page 76: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૧૧ ગણુસ્ટ્ર્ાન અર્વા ગણુશે્રણી

જૈન દર્શન અને આચારની સરળ સમજ 75

જ્યારે ક્ષીણમોહની શે્રણીમા મોહક્ષયનો સાધક એકદમ (૪૮ મીનીટની અંદર) ‘કેવલજ્ઞાન’ને પ્રાપ્િ કરે છે. કેમકે મોહનો ક્ષય ર્યા પછી ફરી િેનો ઉદ્ભવ ર્િો નર્ી.

(૧૩) સર્ોગકેવલી ગણુસ્થાન

કેવલજ્ઞાન પ્રાપ્િ ર્િાાં જ સયોગકેવલી ગણુસ્ટ્ર્ાનની ર્રૂઆિ ર્ાય છે. આ ગણુસ્ટ્ર્ાનના નામમાાં જે ‘સયોગ’ ર્બ્દ મકુ્યો છે િેનો અર્શ ‘યોગવાળો’ ર્ાય છે. ‘યોગવાળો’ એટલે ર્રીર વગેરેના વ્યાપારવાળો. કેવળજ્ઞાન પ્રાપ્િ ર્યા પછી પણ ર્રીરધારીને ગમનાગમનનો વ્યાપાર, બોલવાનો વ્યાપાર વગેરે વ્યાપારો રહ ેછે. દેહારદની રક્રયા હોવાને લીધે ર્રીરધારી કેવલી સયોગકેવલી કહવેાય છે.

(૧૪) અર્ોગી કેવલી જજન કેવલી પરમાત્મા પોિાના આયષુ્યના અંિ વખિે (મરણસમયે) પોિાના ર્રીરારદના િમામ વ્યાપારોનો ત્તનરોધ કરે છે, એ ત્તનરોધની પણૂશ અવસ્ટ્ર્ાનુાં ગણુસ્ટ્ર્ાન અયોગી કેવલી છે.

અયોગી એટલે સવશ વ્યાપાર રરહિ-સવશ રક્રયા રરહિ. કેવલી અયોગી ર્િાાં જે એનુાં ર્રીર છૂટી જાય છે અને એ પરમ આત્મા અમિૂશ, અરૂપી, કેવલજ્યોત્તિ સ્ટ્વરૂપ પરમ કૈવલ્યધામને પ્રાપ્િ ર્ાય છે.

આધ્ર્ાજત્તમક પ્રગમતમા ંકમવના નાર્નો ક્રમ

આધ્યાજત્મક પ્રગત્તિના માગશમાાં, સાધક પહલેાાં દર્શન-મોહનીય કમશનો નાર્ કરે છે અને સમ્યક્ત્વ પ્રાપ્િ કરે છે (ચોર્ુાં ગણુસ્ટ્ર્ાનક).

પછી િે ચારરત્ર્ય મોહનીય કમશનો નાર્ કરી વીિરાગિા પ્રાપ્િ કરે છે (૧૨ મુાં ગણુસ્ટ્ર્ાનક).

પછી િે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંિરાયકમશનો નાર્ કરી કેવળજ્ઞાન, કેવળદર્શન અને અનાંિવીયશ કે અનાંિ ર્રકિ પ્રાપ્િ કરે છે. આ ક્સ્ટ્ર્ત્તિને કેવલી અર્વા અરરહાંિ કહ ેછે (૧૩ મુાં ગણુસ્ટ્ર્ાનક).

Page 77: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૨ િત્વજ્ઞાન

76 જૈન દર્શન અને આચારની સરળ સમજ

મતૃ્યનુા ર્ોડાક સમય પહલેા વ્યક્ક્િ પોિાના ર્રીરારદના િમામ વ્યાપારોનો (મન વચન અને કાયાના યોગનો) ત્તનરોધ કરે છે. આ ક્સ્ટ્ર્ત્તિને અયોગી કેવલી કહ ેછે (૧૪ મુાં ગણુસ્ટ્ર્ાનક).

મતૃ્યનુા સમયે વ્યક્ક્િના બધા અઘાિી કમો નાર્ પામે ત્યારે િે મકુ્ક્િ પ્રાપ્િ કરે છે. ત્તનવાશણ પછી બધા કેવલી આત્માઓ અને િીર્ુંકરો, ત્તસદ્ધો િરીકે ઓળખાય છે. ત્તસદ્ધ ક્સ્ટ્ર્ત્તિ શદુ્ધ ચૈિન્યપણૂશ છે િે દેહધારી નર્ી. આત્મા કાયમને માટે અનાંિ અને અવ્યાબાધ સખુની ક્સ્ટ્ર્ત્તિમાાં રહ ેછે.

Page 78: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૧૨ જૈન ધમશમાાં મકુ્ક્િનો માગશ

જૈન દર્શન અને આચારની સરળ સમજ 77

૧૨. જૈન ધમવમા ંમનુ્ક્તતનો માગવ ટૂાંકમાાં, જૈન ધમશ આત્માના સાચા સ્ટ્વરૂપને અને વાસ્ટ્િત્તવકિાને સ્ટ્પરે્ છે. ભગવાન મહાવીરનો ઉપદેર્ છે કે દરેક આત્મા અનાંિજ્ઞાન, અનાંિદર્શન,

અનાંિ ર્ક્ક્િ કે બળ અને ત્તવઘ્નરરહિ અનાંિચારરત્રની િર્ા આનાંદની સરખી ર્ક્ક્િ ધરાવે છે.

પરાંત ુઅનાંિકાળર્ી આત્મા િેના મળૂ સ્ટ્વભાવર્ી એટલે કે સાચા સ્ટ્વરૂપર્ી અજાણ છે અને ર્રીરને આત્મા માને છે િેને ત્તમથ્યાત્વ કહવેાય છે. વળી િે કમશર્ી બાંધાયેલો છે. કમશને કારણે જ આત્મા એક જન્મ-મરણમાાંર્ી બીજા ચકરાવામાાં ફરે છે અને ત્તમથ્યાત્વ ના કારણે જુદા જુદા સાંજોગોમાાં સખુ દુુઃખનો અનભુવ કરે છે. આત્મા સાચા સ્ટ્વરૂપર્ી અજ્ઞાન હોવાને લીધે િે ભૌત્તિક વસ્ટ્તઓુમાાં અને િેની માભલકીમાાં આનાંદ ર્ોધે છે. િેના ત્તમથ્યાત્વ વાળા જ્ઞાનને કારણે િે સિિ ક્રોધ, માન, માયા, લોભ, કામ-વાસના, રાગ અને દ્વષેના ત્તવચારો કરિો રહ ેછે. આને લીધે સિિ નવા કમો બાંધાિા રહ ેછે અને જૂના કમો ભોગવિો રહ ેછે.

મનુ્ક્તતનો માગવ - સમ્ર્ગ ્દર્વન, સમ્ર્ગ ્જ્ઞાન અને સમ્ર્ક્ ચારરત્રની એકતા જૈન ધમશ માને છે કે કોઇ પણ વ્યક્ક્િ િેના સાચા સ્ટ્વરૂપ ને સમજીને અને િે અંગેના જ્ઞાનની સાંપણૂશ ચકાસણી કરી િેના ઉપર સાચી શ્રધ્ધા કેળવીને પોિાનુાં જીવન િે પ્રમાણે જીવે િો િે મોક્ષ પ્રાપ્િ કરી ર્કે છે. આ માગશને સમ્યગ ્દર્શન (સાચી શ્રદ્ધા) સમ્યગ ્જ્ઞાન (શદુ્ધ જ્ઞાન) અને સમ્યક્ ચારરત્ર શદુ્ધ આચાર) નો માગશ કહવેાય છે. આ રત્નત્રય માગશની એકિાર્ી મોક્ષ મળે છે.

સમ્ર્ક્તત્તવ સમ્યક્ત્વ એટલે સમ્યગ ્દર્શન અને સમ્યગ ્જ્ઞાનની એકરૂપિા. જૈન ધમશ માને છે કે ત્તવશ્વના િત્વોન ુસાચા જ્ઞાનમાાં સષૃ્ષ્ટના છ રવ્યો અન ે

નવ િત્વો જે આત્માના શદુ્ધ અને અશદુ્ધ સ્ટ્વરૂપ અને કમશના યર્ાર્શ

Page 79: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૨ િત્વજ્ઞાન

78 જૈન દર્શન અને આચારની સરળ સમજ

બોધન ેઆવરી લે છે િેનો સમાવેર્ ર્ાય છે. સષૃ્ષ્ટમાાં આ રવ્યો જે રીિે છે િે અને િેઓના પરરવિશનની યોગ્ય સમજ આ જ્ઞાન આપ ેછે.

જ્યારે વ્યક્ક્િને આ યર્ાર્શ જ્ઞાનમા સાંપણૂશ શ્રદ્ધા ર્ાય ત્યારે િે સાંપણૂશ શ્રદ્ધાને સમ્યગ ્દર્શન કહ ેછે અને ત્યારર્ી િે વ્યક્ક્િના જ્ઞાનને સમ્યગ ્જ્ઞાન કહ ેછે. જ્યારે આ રીિે સમજેલ જ્ઞાનના પાયામાાં આવી શ્રદ્ધા હોય ત્યારે િેને કોઈ ચભલિ કરી ર્કતુાં નર્ી. સમ્યગ્ દર્શન વગરના જ્ઞાનને સમ્યગ્ જ્ઞાન કહવેાય નહીં. આ બને્ન ગણુોની એક સારે્ની એકરૂપિાને સમ્યક્ત્વ કહવેાય છે.

શદુ્ધ જ્ઞાન અને િે ઉપર અતટૂ શ્રદ્ધા બાંને ભેગા ર્ાય િો િે સાચી સમજણર્ી શુાં છોડવા લાયક છે અને શુાં સ્ટ્વીકારવા લાયક છે િેનો િફાવિ સમજાય છે જેને ત્તવવેક અર્વા ભેદજ્ઞાન કહ ે છે. આ કક્ષાની આધ્યાજત્મક સમજ સમ્યક્ત્વર્ી આવે છે. (ચોર્ા ગણુસ્ટ્ર્ાનકની દર્ા )

સમ્ર્ક્તત્તવના લક્ષણો સમ્યક્ત્વના પાાંચ આંિરરક ગણુો કે “લક્ષણો” છે. આપણે આત્મત્તનરીક્ષણ કરીને જોવુાં જોઈએ કે િે લક્ષણો આપણામાાં છે કે નરહ.

૧ આન્સ્તક્ય (આસ્થા)

જગિના િત્ત્વોન ુસાચુાં જ્ઞાન અને િે િત્ત્વો ઉપર જ્ઞાન પવૂશકની સમ્પણુશ શ્રદ્ધા.

૨ અનકંુપા જીવમાત્ર પ્રત્યે સહાનભુતૂ્તિ, દયાભાવ, અને મૈત્રીભાવ.

૩ મનવેદ દુત્તનયા દુુઃખર્ી ભરેલી છે િે અનભુવવુાં.

૪ સવેંગ મોક્ષની અભભલાષા અને સાંસારભાવનો અભાવ.

૫ ઉપર્મ (ર્મ)

ભૌત્તિક વસ્ટ્તઓુ અને સાાંસારરક સાંબ ાંધોર્ી છૂટવુાં. અને સમિામાાં રહવે ુ ાં.

એ ખાસ ધ્યાનમાાં રાખવુાં જોઈએ કે આ લક્ષણો આંિરરક છે. વ્યક્ક્િએ જાિે જ આત્મત્તનરીક્ષણ કરીને જાણવુાં જોઈએ કે િે પોિાનામાાં છે કે નહીં. બીજા િે

Page 80: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૧૨ જૈન ધમશમાાં મકુ્ક્િનો માગશ

જૈન દર્શન અને આચારની સરળ સમજ 79

નક્કી કરી ર્કે નહીં, અને બીજાના પ્રમાણપત્ર ની જરૂર નર્ી હોિી. વળી આપણાર્ી બીજામા આ લક્ષણો છે કે નરહ િેની પરીક્ષા પણ ન ર્ઇ ર્કે.

સમ્ર્ક્ ચારરત્ર ર્રૂઆિમાાં સાધકની સમ્યક્ત્વ એટલે કે સાચા જ્ઞાન રરહિ ર્િી સાધના ત્તમથ્યાત્વ રૂપ ેહોય છે (પહલે ુાં ગણુસ્ટ્ર્ાનક). આધ્યાજત્મક પ્રગત્તિના માગશમાાં આત્મા, આત્માજ્ઞાનર્ી દર્શન મોહનીય કમશ ખપાવે છે િેને સમ્યગ ્ દર્શન પ્રાપ્િ ર્યુાં કહવેાય છે. અને િે વખિે િેના જ્ઞાનને સમ્યગ ્જ્ઞાન કહવેાય છે.

આવી ક્સ્ટ્ર્ત્તિમાાં િે આંત્તર્ક સમ્યક્ ચારરત્ર પાળે છે એટલે કે િેનામાાં અનાંિાનબુ ાંધી ક્રોધ, માન, માયા,અને લોભ નર્ી હોિા. આ અવસ્ટ્ર્ાને સમ્યક્ત્વ પ્રાપ્પ્િ કહ ેછે. (ચોર્ુાં ગણુસ્ટ્ર્ાનક) .

સત્યની સાચી સમજ અર્વા સમ્યક્ત્વ માણસને શદુ્ધ આચરણ િરફ દોરે છે. શદુ્ધ આચરણ એટલે આપણુાં જીવન અરહિંસા, કરુણા, સત્ય, અચૌયશ ગણુોવાળાં જીવન અને ત્તવચારમાાં અનેકાન્િવાદ કે સ્ટ્યાદ્દવાદ એટલે વસ્ટ્તનુા સ્ટ્વરૂપને ત્તવત્તવધ રષ્ષ્ટર્ી જોવુાં અને જાણવુાં. વળી શધુ્ધ આચરણ, અપરરગ્રહ અર્વા મયાશરદિ પરરગ્રહ અને અમાભલકી ભાવ, જાિશદુ્ધદ્ધ, સાંયમ, િપ, વૈરાગ્ય, યોગ અને ધ્યાન - આ બધા ઉપર ખબૂ જ ભાર મકેૂ છે. જેનાર્ી કમશની સકામ ત્તનર્જરા ર્ાય છે.

શદુ્ધ આચરણના અભ્યાસમાાં જુદી જુદી આધ્યાજત્મક પ્રરક્રયા રહલેી છે. ગહૃસ્ટ્ર્ આંત્તર્ક સાધના કરે છે. અને જ્યારે સાધ ુપણૂશ સ્ટ્વરૂપની સાધનાને અનસુરી અંિે મકુ્ક્િ પ્રાપ્િ કરે છે.

સાધક ક્રમે ક્રમે ચારરત્ર મોહનીય કમશનો નાર્ કરવા શદુ્ધ આચરણવાળા આત્માના સહજ સ્ટ્વરૂપ પ્રાપ્િ કરવા પોિાના પરુુષાર્શર્ી સ્ટ્પષ્ટ રીિે આગળ વધે છે.

ચોર્ા ગણુસ્ટ્ર્ાનક પછી પ્રર્મ સાંયમ માટે બાર વ્રિોનુાં પાલન કરે છે (પાાંચમુાં ગણુસ્ટ્ર્ાનક). અને પછી ધીરે ધીરે આગળ વધી સાંસારી જીવન છોડી દઈ સાંયમી સાધ ુબની જાય છે (છટ્ઠ ાં અને સાિમુાં ગણુસ્ટ્ર્ાનક). સાધ ુિરીકે િે

Page 81: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૨ િત્વજ્ઞાન

80 જૈન દર્શન અને આચારની સરળ સમજ

પાાંચ મહાવ્રિો આરદનુાં પાલન કરે છે. પછી મનોત્તવકાર જેવા કે ક્રોધ, માન,

માયા, અને લોભ જેવા કષાયો પરુુષાર્શ વડે સ્ટ્વભાવના લક્ષે દૂર કરે છે.

શદુ્ધ ચારરત્રના પાલનર્ી િે ચારરત્ર છેવટે સમ્પણૂશ મોહનીય કમશનો નાર્ કરે છે અને કષાયર્ી સાંપણૂશ મકુ્િ ર્ઈ જાય છે આને વીિરાગ દર્ા અર્વા કષાયરરહિ ક્સ્ટ્ર્ત્તિ પ્રાપ્િ ર્ઈ કહવેાય (૧૨મુાં ગણુસ્ટ્ર્ાનક) .

એક વખિ મોહનીય કમશનો પણૂશ નાર્ ર્ાય પછી બાકીના ત્રણ ઘાિી કમશ - જ્ઞાનાવરણીય કમશ, દર્શનાવણીય કમશ, અને અંિરાય કમશ સહજિાર્ી અંિમહુિૂશમાાં (૪૮ ત્તમત્તનટની અંદર) નાર્ પામે છે. આને કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્િ ર્યુાં કહવેાય. (િેરમુાં ગણુસ્ટ્ર્ાનક - સયોગી-કેવલી) .

આ રીિે વ્યક્ક્િ ચાર ઘાિીકમોનો નાર્ કરે છે.

ચાર ઘાતી કમોના નાર્થી પ્રગટ થતા આત્તમાના ગણુો મોહનીય કમશનો નાર્ ર્વાર્ી, વીિરાગ દર્ા, અનાંિ ચારરત્ર, અનાંિ

સખુ અર્વા પણૂશ આનાંદ પ્રાપ્િ કરે છે.

જ્ઞાનાવરણીય કમશનો નાર્ ર્વાર્ી કેવળજ્ઞાન (સવશજ્ઞિા) અર્વા અસીમ જ્ઞાન પ્રાપ્િ કરે છે.

દર્શનાવરણીય કમશનો નાર્ ર્વાર્ી કેવલ દર્શન અર્વા પણૂશ દર્શન પ્રાપ્િ કરે છે.

અંિરાયકમશનો નાર્ કરી અનાંિ વીયશ કે અનાંિ ર્ક્ક્િ મેળવે છે.

સવે ઘાિી કમોનો નાર્ ર્િાાં િેઓ સયોગી કેવલી અર્વા અરરહાંિ (િીર્ુંકર) િરીકે સામાન્ય જનિાને પોિાની મન, વચન અને કાયાની પ્રવતૃ્તિર્ી અરહિંસા, કરુણા, અપરરગ્રહ અને અનેકાાંિવાદનો ઉપદેર્ આપે છે.

અંિે જ્યારે એમને લાગે છે કે એમના જીવનનો અંિ નજીક છે, િે સમયે િેઓ મન, વચન અને કાયાની પ્રવતૃ્તિનો ત્તનરોધ કરે છે. આ ચૌદમુાં અને છેલ્લુાં ગણુસ્ટ્ર્ાનક છે જે અયોગી-કેવલીર્ી ઓળખાય છે. િેઓ આ ક્સ્ટ્ર્ત્તિમાાં

Page 82: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૧૨ જૈન ધમશમાાં મકુ્ક્િનો માગશ

જૈન દર્શન અને આચારની સરળ સમજ 81

ર્ોડીક જ પળો રહ ેછે. િેની પછી ઝડપર્ી િેઓના ચાર અઘાિી કમો જે મતૃ્ય ુઅર્વા ત્તનવાશણ સમયે નાર્ પામે છે અને સાંપણૂશ મકુ્ક્િ પામે છે.

ચાર અઘાતી કમોના નાર્થી પ્રગટ થતા આત્તમાના ગણુો વેદનીય કમશનો નાર્ ર્વાર્ી અવ્યાબાધ સખુ એટલે અનાંિ અને

અમયાશદાવાળ અને બાધા વગરનુાં સખુ અનભુવે છે.

ગોત્રકમશનો નાર્ ર્વાર્ી અગરુુ-લઘતુ્વ અનભુવે છે. એટલે બધા ત્તસદ્ધ (મકુ્િ) આત્માઓ બધા સરખા છે અને િેમાાં કોઇ ઉચ્ચ નીચ નો ભેદ નર્ી.

નામકમશનો નાર્ ર્વાર્ી અરૂપીત્વ એટલે ત્તનરાકાર અર્વા ભૌત્તિક કે સ્ટ્ર્ળૂ ર્રીર વગરનો ર્ાય છે.

આય ુકમશનો નાર્ ર્વાર્ી અક્ષયક્સ્ટ્ર્ત્તિ એટલે મકુ્િ આત્મા જે હવે જન્મ,

જીવન અને મતૃ્યનુા ફેરામાાં નહીં આવે િે પ્રાપ્િ ર્ાય છે.

શદુ્ધ આત્મા લોકાકાર્માાં સૌર્ી ઉપર અને હાંમેર્ને માટે ત્તસદ્ધ સ્ટ્વરૂપે રહ ેછે.

Page 83: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૩ જૈન આચાર

82 જૈન દર્શન અને આચારની સરળ સમજ

મવભાગ-૩

જૈન આચાર

Page 84: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૧૩ આચારના પાયાના ત્તસદ્ધાાંિો અને વ્રિો

જૈન દર્શન અને આચારની સરળ સમજ 83

૧૩. આચારના પાર્ાના મસદ્ધાતંો અને વ્રતો આચારના પાર્ાના ત્રણ મસદ્ધાતંો- અરહિંસા, અનેકાન્િવાદ અને અપરરગ્રહ આ ત્રણ જૈન ધમશના આચારના મળૂભિૂ ત્તસદ્ધાાંિો છે.

અરહિંસા - રક્ષા અને દર્ા ધમવ જૈન ધમશનો પાયાનો ત્તસદ્ધાાંિ એટલે “અરહિંસા પરમો ધમશ”.

વ્યવહારરક રષ્ષ્ટ એ ધમશ એટલે ફરજ એટલે અરહિંસા, દયા અને કરુણામય જીવન જીવવુાં િે આપણી ફરજ છે.

ધાત્તમિક-આધ્યાજત્મક રષ્ષ્ટએ ધમશ એટલે રવ્યનુાં (પદાર્શન ુાં) સાચ ુ સ્ટ્વરૂપ. એટલે આપણે આત્માના શધુ્ધ સ્ટ્વરૂપના ગણુો પ્રમાણે જીવન જીવવુાં જોઇએ. દયાધમશ અને અરહિંસા એ આધ્યાજત્મક રષ્ષ્ટએ માનવ આત્માનુાં સાચુાં સ્ટ્વરૂપ છે.

રચનાત્મક રષ્ષ્ટએ અરહિંસા એટલે - જીવમાત્રની રક્ષા કરી, મદદ કરી િેનુાં જિન કરવુાં. િેર્ી વૈત્તશ્વક મૈત્રી, ક્ષમા અને અભય આવશ્યક બને છે.

વળી જૈન સતૂ્ર (ઉક્ક્િ) પ્રમાણે “પરસ્ટ્પરોપગ્રહો જીવાનામ”્ એટલે કે “જીવમાતે્ર (આત્માએ) એક બીજાને સહાયક ર્વુાં. (ઉપકાર કરવો)” “જીવો અને બીજાને જીવવામાાં મદદ કરો” - જૈન ધમશનો મરુાલેખ છે.

અરહિંસાનો અર્શ એટલે માત્ર માનવ જીવની જ નહીં પણ દરેક જીવ માત્રની રક્ષા કરવી અને િેનુાં પાલન કરવુાં એવો છે. ધમશ ગ્રાંર્ો કહ ેછે કે કોઈની પણ ત્તનિંદા ન કરો, ઈજા ન પહોંચાડો, કોઈને અપમાન, દમન, પીડા કે દુુઃખ ન આપો.

શ્રાવક જીવન માટે જૈન ધમવની અરહિંસાની વ્ર્ાખ્ર્ા માનવ જીવન રહિંસા વગર ટકી ન ર્કે. એટલે આપણુાં જીવન ટકાવવા માટે ઓછામાાં ઓછી એકેંરીય જીવોની રહિંસા કરવી િે જૈન ધમશની અરહિંસાની વ્યાખ્યા શ્રાવક શ્રાત્તવકાઓ માટે છે. િેર્ી આપણે વનસ્ટ્પત્તિ, ર્ાકભાજી કે

Page 85: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૩ જૈન આચાર

84 જૈન દર્શન અને આચારની સરળ સમજ

સભચિ પાણી, હવા અને પથૃ્વી ત્તવગેરેનો જીવન ટકાવવા જરૂર પરૂિો ઉપયોગ કરવો પરાંત ુિેનો ખોટો વ્યય ન કરવો કારણકે િેઓમાાં પણ એકેંરીય જીવ છે.

હાલિા ચાલિા એટલે કે ત્રસ જીવો (બે ર્ી પાાંચ ઇંરરયોવાળા જીવો)ની રહિંસા શ્રાવક શ્રાત્તવકાઓ ને પણ કરવાની મનાઈ છે.

અરહિંસા એટલે માત્ર ર્ારીરરક રહિંસા ન કરવી એવુાં નહીં પણ કોઈના મનને પણ દુુઃખ ન પહોંચાડવુાં. અરહિંસા એટલે આપણી સારે્ના માણસો અને બીજા જીવો પ્રત્યેનો દયાભાવ એ અર્શ પે્રરરિ છે.

પ્રાચીન ધમશ ગ્રાંર્ો િો કહ ેછે કે બીજાને હાત્તન પહોંચાડવાનો ઇરાદો અર્વા આપણામાાં દયાનો અભાવ એ રહિંસક રક્રયા જ છે. બીજા પ્રત્યેની રહિંસાનો ભાવ િે આપણા પોિાના આત્માની જ રહિંસા છે કારણ કે િેનાર્ી અશભુ કમશ બ ાંધાય છે જે આધ્યાજત્મક પ્રગત્તિ અને મોક્ષ પ્રાપ્પ્િના માગશમાાં ત્તવઘ્ન રૂપે છે.

અનેકાતંવાદ સિિ બદલાિી આ સષૃ્ષ્ટમાાં ગમે િે પરરક્સ્ટ્ર્ત્તિમાાં અસાંખ્યાિ મિો પ્રવિે છે. આ મિો સ્ટ્ર્ળ, સમય, સાંજોગો અને વ્યક્ક્િગિ ત્તવચારધારા પર આધારરિ છે.

અનેકાાંિવાદ એટલે બધી ત્તવચારધારા (મિો) ને જુદી જુદી રષ્ષ્ટએ જોવી અને જે વાસ્ટ્િત્તવકિાને અનરુૂપ હોય, ત્તનત્તવિવાદ સ્ટ્વભાવ (પ્રકૃત્તિ) અને આધારભિૂ મિનો ઇન્કાર ન કરિા હોય િે બધા મિો નો સ્ટ્વીકાર કરવો. જે સવશમાન્ય મિર્ી ઓળખાય છે.

આ બોધ સ્ટ્યાદ્વાદ કે સાપેક્ષિાવાદ િરફ દોરી જાય છે, જે સમજાવે છે કે સત્યની અભભવ્યક્ક્િ જુદા જુદા મિ પ્રમાણે સાપેક્ષ છે. જેને આપણે અનેકાાંિનર્ી ઓળખી છીયે. જે એકની રષ્ષ્ટર્ી સત્ય છે િે બીજાના મિર્ી ચચાશ કરવા યોગ્ય છે. સાંપણૂશ સત્ય કોઈ એક ચોક્કસ મિ કે રષ્ષ્ટર્ી પકડી ર્કાત ુાં નર્ી. સાંપણૂશ સત્ય એ જુદા જુદા મિના વ્યક્ક્િગિ સત્યને સમગ્રિયા આવરી લે છે પછી ભલે િે બાંને એકબીજાાંર્ી ત્તવસાંગિ લાગિાાં હોય. ફક્િ

Page 86: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૧૩ આચારના પાયાના ત્તસદ્ધાાંિો અને વ્રિો

જૈન દર્શન અને આચારની સરળ સમજ 85

એટલો જ ત્તવચાર કરવાનો કે આ મિો માનવજીવન માટે હકારાત્મક રીિે લેવાિા હોવા જોઇએ.

અનેકાન્તવાદના લક્ષણો જીવ માત્ર પ્રત્યે ર્ાાંત્તિ અને સમિા યકુ્િ વ્યવહાર કરવો.

બધી ર્ક્યિાઓમાાં (મિમાાં) ત્તવશ્વાસ રાખો અને એમ સ્ટ્વીકારો કે ઉપલક રષ્ષ્ટએ ત્તવરોધી દેખાિા મિમાાં પણ સત્ય રહલે ુાં હોય છે જો િે મિો માનવજીવન માટે હકારાત્મક રીિે લેવાિા હોય િો.

ધ્યાનમાાં રાખવુાં કે િમે જે સત્ય રજૂ કયુું િે આંત્તર્ક સત્ય છે અને સામાવાળો (પ્રત્તિસ્ટ્પધી) જે હકારાત્મક સત્ય રજૂ કરે િેને પણ સ્ટ્વીકારવુાં કરણકે િે પણ આંત્તર્ક સત્ય છે.

અનેકાાંિવાદ ત્તવચાર અને ભાષાની રહિંસા રોકે છે. િેને અરહિંસાની સમજર્ક્ક્િવાળી અભભવ્યક્ક્િ પણ કહવેાય છે.

અનેકાાંિવાદ અને સ્ટ્યાદવાદની ઊંડી સમજ માનવીની રક્રયા-પ્રત્તિરક્રયા જેમકે ઝઘડો, વેર-ઝેર, દુુઃખ, ત્તિરસ્ટ્કારને સમજીને દૂર કરવામાાં ઉપયોગી ર્ાય છે. િેવી જ રીિે સામાજજક સમસ્ટ્યાઓ અને રાષ્રીય સાંઘષશને સમજવામાાં પણ ઉપયોગી છે. વધારે મહત્વનુાં િો આ બોધ વૈત્તશ્વક મિભેદ અને સાંઘષશન ુાં ત્તનરાકરણ લાવવામાાં મદદ કરે છે.

અપરરગ્રહ જૈન સાધઓુ અપરરગ્રહી હોય છે. પરાંત ુજૈન ધમશનુાં પાલન કરનાર દરેક શ્રાવકે પોિાના આનાંદ માટે ઘણા ભૌત્તિક સાધનો ભેગા કરવાની ઈચ્છા ઓછી કરવી જોઈએ.

ઈચ્છાઓ કાબમૂા રાખો અને વસ્ટ્તઓુનો વપરાર્ મયાશદામાાં રાખો. જરૂર કરિાાં વધારે સાધનસામગ્રી વાપરવી, કુદરિની કોઈપણ વસ્ટ્તનુો ખોટો બગાડ કરવો અને વાિાવરણને પ્રદૂષણ કરવુાં એ એક પ્રકારની ચોરી િેમજ એક પ્રકારની રહિંસા છે.

Page 87: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૩ જૈન આચાર

86 જૈન દર્શન અને આચારની સરળ સમજ

અન્ય જીવો પ્રત્યે સદભાવ રાખવો, પયાશવરણને દોત્તષિ ન કરવુાં િે પણ અપરરગ્રહનુાં એક અંગ છે. અને િેના મળૂમાાં અરહિંસા જ રહલેી છે.

ઉદાર હારે્ દાન આપવુાં અને સામાજજક અને ધાત્તમિક કામો માટે પોિાનો સમય આપવો. આ સામાજજક ફરજની ભાવના ધાત્તમિક ત્તર્ક્ષણ દ્વારા જૈનોને આપવામાાં આવે છે. જેના ફળસ્ટ્વરૂપે જૈન સમાજ સ્ટ્કૂલો, કોલેજો, હોક્સ્ટ્પટલો, દવાખાના, અનાર્ાશ્રમો, અપાંગો માટે સારવાર કેન્ર િર્ા પનુવશસવાટ કેમ્પ,

ઘરડાાં કે માાંદા પશ-ુપક્ષીની સારવાર માટેની હોક્સ્ટ્પટલો સ્ટ્ર્પાય છે અને િેની સાંભાળ પણ રખાય છે.

આધમુનક સમર્મા ંજૈન આચારનો આદર

જૈન ધમશના ત્તસદ્ધાાંિો ને યર્ાર્શ રષ્ષ્ટએ જોઇએ અને િેના યોગ્ય દર્શન અને શદુ્ધ ભાવને વળગી રહીને સમજીએ િો આધતુ્તનક સમય સારે્ અનરુૂપ છે. િે ઓછામાાં ઓછી રહિંસા અને ઓછામાાં ઓછા પરરગ્રહનુાં િેમજ આત્મસાંયમનુાં સમર્શન કરે છે. આવા આચારર્ી અત્યારના જીવનમાાં આંિરરક ર્ાાંત્તિ અને સાંિોષ આવે છે.

અરહિંસા જીવનની સ્ટ્વાયિિાને મજબિૂ કરે છે, અનેકાાંિવાદ વાણી અને ત્તવચારની સ્ટ્વાયિિાને મજબિૂ કરે છે અને અપરરગ્રહ જે અન્યોન્ય ઉપર આધાર રાખવાની સ્ટ્વાયિિાને મજબિૂ કરે છે. આ ત્રણ વ્યવહારુ ત્તસદ્ધાાંિો આપણી શ્રદ્ધાને મજબિૂ કરે છે કે જીવમાત્રને જીવવાનો અત્તધકાર છે.

આ ત્તસદ્ધાાંિો ત્રણ આચરણ પદ્ધત્તિમાાં આલેખી ર્કાય.

કોઈની રહિંસા ન કરવી કે કોઈને દુુઃખ ન દેવુાં. બીજા જીવોને દયાભાવ પવૂશક આચરણ કરીને આદર આપવો.

જીવન ઓછામાાં ઓછી રહિંસાર્ી અને ઓછામાાં ઓછા પરરગ્રહર્ી જીવન જીવવાર્ી સમાજની આત્તર્િક, નૈત્તિક, અને ધાત્તમિક વ્યવસ્ટ્ર્ા સધુરે છે અને પયાશવરણનુાં પણ રક્ષણ ર્ાય છે.

બીજાના ત્તવચારોને રોળી નાાંખવા નહીં અને ખાંડન ન કરવા, પરાંત ુત્તવચાર ત્તવત્તનયમ કરવો.

Page 88: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૧૩ આચારના પાયાના ત્તસદ્ધાાંિો અને વ્રિો

જૈન દર્શન અને આચારની સરળ સમજ 87

જો આપણે આ ત્રણ ત્તસદ્ધાાંિોને પરેૂ પરૂા સ્ટ્વીકારીએ િો ક્યારેય લડાઈ-ઝઘડા નહીં ર્ાય. આત્તર્િક ર્ોષણ નહીં ર્ાય, જીવોના એકબીજા સારે્ના િેમજ આસપાસની પરરક્સ્ટ્ર્ત્તિ સારે્ના ઉદાર સાંબ ાંધોનો નાર્ નહીં ર્ાય.

ટૂાંકમાાં જગિના જીવમાત્રની રક્ષા કરવા અને નૈત્તિક જીવન જીવવા આપણે અરહિંસા દ્વારા મૈત્રી અને ત્તવશ્વર્ાાંત્તિ સ્ટ્ર્ાપવી જોઈએ. આપણે આ જગિમાાં ત્તનસ્ટ્વાર્શ વતૃ્તિર્ી, આત્મસાંયમ અને અપરરગ્રહ દ્વારા સામાજજક સમાનિા સ્ટ્ર્ાપવી અને પયાશવરણની સાચવણીમાાં વદૃ્ધદ્ધ કરવી જોઇએ.

આધતુ્તનક સમયમાાં પ્રાણીજન્ય ખોરાક અને િેમાાંર્ી બનાવેલી વસ્ટ્તઓુ ન વાપરવી કારણકે િે પાંચેંરરય પ્રાણીઓના ઉપર ખબુજ રહિંસા કરીને બનાવવામાાં આવે છે. શદુ્ધ ર્ાકાહારી એટલે કે ત્તવગન જીવન પદ્ધત્તિ અપનાવવી જોઇએ. પ્રાણીજન્ય ખોરાકમાાં દૂધમાાંર્ી બનિી બધી વસ્ટ્તઓુ જેવી કે દૂધ, ચીઝ, માખણ, ઘી અને આઈસક્રીમ અને માાંસ, મચ્છી, ઈંડા, મધ,

ચામડાના બટૂ અને બીજી વસ્ટ્તઓુ જેમકે ત્તસલ્ક, ફર અને મોિી જેવી વસ્ટ્તઓુનો પરેુપરુો ત્યાગ કરવો જોઇએ.

જરૂરરયાિોને અને વપરાર્ને ઓછા કરવા. કુદરિી વસ્ટ્તનુો બગાડ કરવો નહીં. નકામી વસ્ટ્તઓુને ફરી વાપરી ર્કાય િેવી બનાવવી. અર્ક્િ અને દભલિોને આગળ લાવવા મદદ કરવી િે જૈન ધમશના મળૂ ત્તસદ્ધાાંિો છે.

આજના સમયમાાં પયાશવરણને દોત્તષિ કરવાર્ી આપણે દુત્તનયાના બધા જ જીવોને દુુઃખી કે િેઓની રહિંસા કરી રહ્યા છીયે. િેમાાં પણ જલચર પ્રાણીઓની ઘણી જ રહિંસા એક વખિ વાપરેલા અને પછી કચરામાાં નાાંખેલા પ્લાષ્સ્ટ્ટક પ્લેટ અને ફોમ ગ્લાસર્ી ર્ાય છે.

“કુદરિ આપણી જરૂર જેટલુાં પરૂત ુાં આપે છે પણ નહીં કે આપણા લોભ જેટલુાં” માટે આપણે બીજાના જીવન પર કે વાિાવરણ પર નકારાત્મક અસર ન પડે િેવુાં દયાપણૂશ અને નૈત્તિક જીવન જીવવુાં જોઇએ.

Page 89: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૩ જૈન આચાર

88 જૈન દર્શન અને આચારની સરળ સમજ

૧૪. સાધ ુઅને શ્રાવકના આચારો સાધનુા પાચં મહાવ્રત શદુ્ધ આચાર માટે નીચેના પાાંચ મહાવ્રિો જૈન સાધએુ અનસુરવા જોઇએ.

૧. અરહિંસા કોઈપણ જીવને દુુઃખ ન પહોંચાડવુાં.

૨. સત્તર્ હાંમેર્ા સત્ય બોલવુાં પણ કોઈને દુુઃખ પહોંચે એવુાં સત્ય બોલવુાં નહીં અર્વા ર્ાાંિ રહવે ુ ાં.

૩. અસ્તેર્ (અચૌર્વ)

કોઈએ આપી ન હોય િેવી માલ-ત્તમલકિ લેવી નહીં.

૪. બ્રહ્મચર્વ ઇષ્ન્રય સખુમાાં મન સાંિોષવુાં નહીં.

૫. અપરરગ્રહ સ્ટ્ર્ળ, વસ્ટ્તઓુ કે લોકોર્ી સાંપણૂશ અભલપ્િ રહવે.ુ

જૈન ધમશનો સવોિમ આદર્શ છે અરહિંસા અને જીવદયા. જીવમાત્ર પ્રત્યે આદરભાવ, અપરરગ્રહ અને માભલકીપણાનો અભાવ. મન, વચન, અને કાયાના આચારર્ી આ આદર્ોનુાં એટલે કે મહાવ્રિોનુાં પાલન કરવુાં. િદ્ઉપરાાંિ જીવ માત્ર પ્રત્યે પે્રમ અને કરુણાનો આ ધમશ છે.

જૈન ધમશ મન, વચન અને કાયાર્ી યર્ાર્ક્ક્િ પરુુષાર્શ કરી આ પાાંચ મહાવ્રિોનુાં પાલન પાળવાનુાં કહ ે છે. સાધ-ુસાધ્વીને આ પાાંચ મહાવ્રિ પ્રાણાન્િે પણ પાળવાના હોય છે.

શ્રાવકના બાર વ્રત

પાંચ મહાવ્રિોનુાં પાલન સામાન્ય લોકો ચસુ્ટ્િ રીિે કરી ર્કિા નર્ી િેર્ી િેઓના પાલન માટે પાાંચ અણવુ્રિો નો ઉપદેર્ આપેલ છે. આ પાાંચ અણવુ્રિો ઉપરાાંિ ત્રણ ગણુવ્રિો અને ચાર ત્તર્ક્ષાવ્રિોનુાં એમ બાર વ્રિોનુાં પાલન શ્રાવકે કરવાનુાં હોય છે.

Page 90: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૧૪ સાધ ુઅને શ્રાવકના આચારો

જૈન દર્શન અને આચારની સરળ સમજ 89

પાચં મખુ્ર્ અણવુ્રત

૧. અરહિંસા અણવુ્રત કોઈ ત્રસ એટલે કે હાલિા ચાલિા જીવોન ે(બેઈષ્ન્રયર્ી પાંચેષ્ન્રય જીવોને) જાણી જોઈન ેહાત્તન પહોંચાડવી જોઈએ નહીં અન ેઆપણા દેહના ત્તનભાવ માટે વનસ્ટ્પત્તિ, પાણી, અક્ગ્ન, પથૃ્વી અન ે હવાના જીવોનો ત્તવવેકપવૂશક ઉપયોગ કરવો.

બની ર્કે િો આપણે દેર્, સમાજ, કુટુાંબ, જીવન, માલત્તમલકિ અન ેધાત્તમિક સાંસ્ટ્ર્ાઓનુાં ઓછામાાં ઓછા ઘષશણ સાર્ ેરક્ષણ કરવુાં જોઈએ.

૨. સત્તર્ અણવુ્રત હમેર્ાાં સત્ય બોલવુાં અને કોઈને દુુઃખ કે મશુ્કેલી ન પડે િેવુાં સત્ય બોલવુાં, નહીં િો મૌન રાખવુાં.

૩ અસ્તેર્ અથવા અચૌર્વ અણવુ્રત કોઈએ આપી ન હોય િેવી માલ-ત્તમલકિ લેવી નહીં અને િનેો ઉપયોગ કરવો નહીં.

Page 91: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૩ જૈન આચાર

90 જૈન દર્શન અને આચારની સરળ સમજ

૪ સ્વદારા સતંોષ કોઈ પણ વ્યક્ક્િએ બીજા કોઈની સાર્ ેત્તવજાિીય સાંબાંધ ન રાખવો જોઈએ પણ પત્તિ કે પત્ની સાર્ે પ્રામાભણક સાંબાંધ હોવો જોઈએ. વળી પોિાની જાિને પત્તિ કે પત્ની સારે્ પણ વધ ુપડિા જાિીય આનાંદન ેછૂટર્ી માણિા રોકવી જોઈએ.

૫ અપરરગ્રહ અણવુ્રત દરેકે પોિાની જરૂરરયાિો મયાશદામાાં રાખવી જોઈએ. જેમકે પ્રાપ્િ કરેલી વસ્ટ્ત ુઅન ેમાભલકી જેવી કે જમીન, સ્ટ્ર્ાવર ત્તમલકિ કીમિી વસ્ટ્તઓુ, પ્રાણીઓ, પૈસા વગરેે વધારાની વસ્ટ્ત ુસામાન્ય લોકો માટે વાપરવી જોઈએ. આપણે રોજજિંદી ખાવાની વાનગીઓ, વસ્ટ્તઓુ અન ેિેના પ્રમાણની પણ મયાશદા બાાંધવી જોઈએ.

ત્રણ ગણુવ્રતો ૬ રદક્તવ્રત અથવા રદગવ્રત

દરરોજ જીવન વ્યવહાર માટે મસુાફરી માટે રદર્ાની મયાશદા કરવી. જીવન પયુંિ ચારે રદર્ા, ચારે ત્તવરદર્ા િર્ા ઉપર-નીચે એમ દસ ેરદર્ામાાં જવા-આવવાની કરેલ મયાશદાની બહાર જવુાં નહીં.

૭ ભોગ-ઉપભોગ વ્રત

સામાન્ય રીિે કોઈ વસ્ટ્તનુા ભોગ-ઉપભોગના આનાંદર્ી કે ઉપયોગર્ી પાપમાાં પડાય છે માટે આ બાંન ે પ્રકારના ઉપયોગની ર્ક્ક્િ અન ેજરૂરરયાિ પ્રમાણે મયાશદા બાાંધવાનુાં આ વ્રિ છે.

૮ અનથવદંડ વ્રત જરૂરરયાિ વગરના પાપર્ી અટકવુાં. હતે ુકે જરૂર વગરનુાં ત્તવચારવુાં, બોલવુાં કે નૈત્તિક ગનુો કરવો કે ખોટી ત્તર્ખામણ આપવી, હુમલો કરવા ર્સ્ત્રો બનાવવા કે પરૂા પાડવા, ભબભત્સ સારહત્ય વાાંચવુાં કે સાાંભળવુાં,

Page 92: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૧૪ સાધ ુઅને શ્રાવકના આચારો

જૈન દર્શન અને આચારની સરળ સમજ 91

ઘાસ ઉપર જરૂર વગર ઉિાવભળયુાં ચાલવુાં – આવા બધા પાપો કોઈએ ન કરવા.

ચાર મર્ક્ષા વ્રત

૯ સામામર્ક વ્રત સમિાભાવની પ્રાપ્પ્િ અને કષાયોનો ત્યાગ િેને સામાત્તયક વ્રિ કહવેાય છે. ૪૮ ત્તમત્તનટ સધુી એક જ આસને બસેી ધમશપ્રવતૃ્તિ જેવી કે ધાત્તમિક પસુ્ટ્િક વાાંચવુાં, ભક્ક્િ કરવી કે ધ્યાન દ્વારા મનન ે ક્સ્ટ્ર્ર રાખવાનુાં આ વ્રિ છે.

૧૦. દેર્ાવકામર્ક વ્રત (દેર્મવરમત) રદક્વ્રિ અને ભોગ-ઉપભોગ વ્રિમાાં જે સાંયમ રાખ્યો હોય િેમાાં રહીને નવો સાંયમ લેવાનુાં વ્રિ છે. વ્યાપારનુાં ક્ષતે્ર, ઉપયોગની વસ્ટ્તઓુન ેચોક્કસ રદવસો માટે મયાશદામાાં બાાંધવી. પછી એ ત્તનયમ ને ધીમે ધીમે જીવન પયુંિનો કરવો.

૧૧. પૌષધ વ્રત

આ વ્રિમાાં વ્યક્ક્િએ એક રદવસ માટે કે વધારે રદવસો માટે સાધ ુજીવન જીવવાનુાં હોય છે. આ વ્રિ દરમ્યાન વ્યક્ક્િએ બધી પાપ પ્રવતૃ્તિઓ છોડી દેવી, ઈષ્ન્રયજન્ય આનાંદ આપિા પદાર્ોર્ી દૂર રહવે ુ ાં અને મન વચન અને કાયાર્ી સાંયમમાાં રહવે ુ ાં. આ સમય ેવ્યક્ક્િ પાાંચ મહાવ્રિોનુાં સ ાંપણૂશ પાલન કરે છે.

૧૨. અમતમથ સમંવભાગ વ્રત (આદરભાવથી કરેલ દાન) પોિાની માભલકીની વસ્ટ્તઓુ જેમ કે કપડાાં, દવાઓ, શધુ્ધ ખોરાક,

આશ્રયસ્ટ્ર્ાન વગેરે જરૂરરયાિવાળી કોઇ પણ વ્યક્ક્િન ેઆદરભાવ સારે્ આપવો.

Page 93: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૩ જૈન આચાર

92 જૈન દર્શન અને આચારની સરળ સમજ

સલેંખના અથવા સથંારાની પ્રરક્રર્ા જૈન ધમશ આધ્યાજત્મક ક્ષેતે્ર ખબૂ જ ઊંડી ઉિરેલ વ્યક્ક્િને સાંલેખનાની યોગ્ય રક્રયા દ્વારા સ્ટ્વૈપ્ચ્છક મતૃ્યનુી સાંમત્તિ આપે છે.

જે વ્યક્ક્િ આધ્યાજત્મકિામાાં ઘણી આગળ વધી હોય અને જ્યારે એ વ્યક્ક્િને દૃઢ રીિે લાગે કે અસાધ્ય રોગર્ી, નબળાાં સ્ટ્વાસ્ટ્થ્યર્ી કે વદૃ્ધાવસ્ટ્ર્ાર્ી િે સમાજને ભાર રૂપ છે. અને દેહ સાધનાને યોગ્ય ર્ક્ક્િ ધરાવિો નર્ી ત્યારે એવા ચોક્કસ સાંજોગોમાાં ગરુુ મહારાજ િેમની દેખરેખ હઠેળ જ ક્રત્તમક જીવનનો અંિ લાવવાની - સાંલેખનાની પરવાનગી િે વ્યરકિને આપે છે.

આ પ્રત્તિજ્ઞા લીધા પછી વ્યરકિ ધીમેધીમે ખોરાક બાંધ કરી દે છે અને પછી પાણી પણ બાંધ કરી દે છે. સામાન્યિુઃ વ્યક્ક્િ ૩૦ ર્ી ૧૨૦ રદવસમાાં મતૃ્ય ુપામે છે.

સાંલેખના એ આધ્યાજત્મક પ્રરક્રયા છે. જેમાાં વ્યક્ક્િ સાાંસારરક સાંબ ાંધો, દુશ્મનાવટ અને ભૌત્તિક વસ્ટ્તઓુ પ્રત્યેનો માભલકીપણા સારે્નો રાગ છોડે છે. િેને કોઈ અસાંિોષ નર્ી, કોઈ દુુઃખ નર્ી, ભય કે ખેદ નર્ી, િેમજ પાપ કયાશન ુાં દુુઃખ નર્ી. શદુ્ધ મનર્ી, બીજાને માફ કરીને અને પોિાને માફ કરવાની ત્તવનાંિી કરે છે. િેનુાં મન ર્ાાંિ અને સ્ટ્વસ્ટ્ર્, હૃદય ત્તવશ્વપે્રમ અને કરુણાર્ી ભરેલુાં હોય છે. આવી સ્ટ્વસ્ટ્ર્ ક્સ્ટ્ર્ત્તિમાાં મ્રતુ્ય ુર્ાય િેને સમાત્તધ મરણ કહવેાય છે.

આ સ્ટ્વેચ્છાએ સ્ટ્વીકારેલી મતૃ્યનુી પ્રરક્રયા છે. જેમાાં સાંપણૂશ જાગિૃિા સારે્ અત્યાંિ શદુ્ધ ધ્યાનની ક્સ્ટ્ર્ત્તિ હોય છે. િે હિાર્ાનો આવેગ કે સખિ ક્રોધના આવેર્ર્ી પે્રરરિ નર્ી હોત ુાં. વ્યક્ક્િ પરૂી સભાનિાર્ી, મનોત્તવકારર્ી પર ર્ઈ, સાંપણૂશ સ્ટ્વસ્ટ્ર્િા સારે્ અંદરની ર્ાાંત્તિને ત્તવક્ષેપ ન પડે િેમ અંિરાત્મામાાં ઉિરે છે.

આમ આપઘાિ અને સાંલેખના માાં મળૂભિૂ િફાવિ રહલેો છે. આપઘાિ એ આવેર્ના ઊભરાનુાં પરરણામ છે. જ્યારે સાંલેખના એ મનોત્તવકાર વગરની અર્વા આવેગ વગરની ક્સ્ટ્ર્ત્તિનુાં પરરણામ છે. જૈનધમશ જીવનનો એકાએક

Page 94: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૧૪ સાધ ુઅને શ્રાવકના આચારો

જૈન દર્શન અને આચારની સરળ સમજ 93

અંિ લાવનારને ટેકો નર્ી આપિો િે િો આપઘાિ કહવેાય. જે કષાયની એટલે કે ક્રોધ કે િીવ્ર હિાર્ાની દર્ામાાં ર્ાય છે.

Page 95: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૩ જૈન આચાર

94 જૈન દર્શન અને આચારની સરળ સમજ

૧૫. જૈન દ્રષ્ટટએ નૈમતક જીવન પદ્ધમત

નૈમતક મલૂ્ર્ો જૈન ધમશ માને છે કે વાિાવરણના પાાંચ મળૂભિૂ િત્ત્વો - પથૃ્વી, પાણી, અક્ગ્ન વાય ુઅને વનસ્ટ્પત્તિમાાં જીવન છે આ જીવો માત્ર એકજ ઈષ્ન્રય એટલે કે સ્ટ્પરે્ષ્ન્રય જ ધરાવે છે. પ્રાણી અને માનવી પાાંચ ઈષ્ન્રય અને મન ધરાવે છે. પાાંચ ઈષ્ન્રયો એટલે સ્ટ્પર્શ, રસ, ગાંધ, રષ્ષ્ટ અને શ્રવણ.

બીજા પ્રાણીઓની સરખામણીમાાં માણસો પાસે ઘણુાં ત્તવકત્તસિ મન અને ત્તવચાર પ્રરક્રયા છે. િેર્ી િેઓ જીવમાત્ર સારે્ એકિા અને સસુ ાંગિિા ઉપરાાંિ ત્તવવેકપણૂશ વિશન અને સહાનભુતૂ્તિપણૂશ જીવન માટે જવાબદાર છે.

ભગવાન મહાવીરનુાં સ ાંપણૂશ જીવન કરુણાસભર હત ુાં. િેમનુાં જીવન કુદરિ િર્ા વાિાવરણના જીવ માત્ર પ્રત્યે આદર અને સમાનભાવર્ી જીવવાનુાં ઉિમ ઉદાહરણ પરુૂાં પાડે છે.

નીચે મજુબના હાંમેર્ને માટે ત્તવચાર કરવા યોગ્ય ત્તવધાનો ભગવાન મહાવીરે કહ્યા છે.

“બધાનુાં જીવન અરસપરસના સહારે અને આશ્રયે ત્તનયાંત્તત્રિ છે. આ પ્રાચીન ધમશગ્રાંર્ િત્ત્વાર્ાશત્તધગમ સતૂ્રનુાં સતૂ્ર (કર્ન) છે. ”

કોઈપણ જીવની રહિંસા કરવી કે દુુઃખ પહોંચાડવુાં િે આપણી જાિને રહિંસા કે દુુઃખ પહોંચાડવા બરાબર છે. બીજા પ્રત્યે દયા કે કરુણા રાખવી િે આપણી જાિ પ્રત્યેની દયા કે કરુણા છે. િેર્ી દરેકે રહિંસાર્ી દૂર રહવે ુ ાં. (ભગવિી આરાધના-૭૯૭)

“જે પથૃ્વી, હવા, પાણી, અક્ગ્ન અને વનસ્ટ્પત્તિના અક્સ્ટ્િત્વને સાચવતુાં નર્ી અને અવગણના કરે છે િે પોિાના અક્સ્ટ્િત્વને જોખમમાાં મકેૂ છે”.

આપણે આપણા લોભ અને માભલકીપણાના ભાવને લીધે બીજા જીવોને હાત્તન પહોંચાડીએ છીએ અને મારીએ છીએ.

Page 96: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૧૫ જૈન રષ્ષ્ટએ નૈત્તિક જીવન પદ્ધત્તિ

જૈન દર્શન અને આચારની સરળ સમજ 95

આ રીિે બધા જીવો એક-બીજા સારે્ સાંકળાયેલા હોવાર્ી આપણે સમજવુાં જોઈએ કે

“જો આપણે એકન ે નકુસાન પહોંચાડીશુાં િો આપણે જીવમાત્રનુાં (બધા જીવનુાં) નકુસાન કરીશુાં”. અન ે લોભ, અત્તધકાર અન ેસ્ટ્વાત્તમત્વની ભાવના રહિંસા િર્ા અસમતભુલિ વાિાવરણનુાં પ્રધાન કારણ બને છે.

ઓછામા ંઓછી રહિંસાથી જીવન જીવવાની વ્ર્ાખ્ર્ા સાંપણૂશ અપરરગ્રહ અને પણૂશ અરહિંસા સારે્ માનવ જીવન ટકાવી રાખવુાં અર્ક્ય છે. જીવન જીવવા આપણે ઓગેત્તનક ખોરાક લઈએ છીએ. જે ખદુ જીવન છે. વળી આપણે જરૂર પરૂિા કપડાાં અને ઘર જોઈએ. આર્ી એક યા બીજા રૂપમાાં આપણે રહિંસા કરીએ છીએ અને મયાશરદિ પરરગ્રહ પણ માનવ જીવન ટકાવવા જરૂરી છે.

જૈન ધમશનો ધ્યેય છે કે આપણા અક્સ્ટ્િત્વ માટે બીજા જીવો અને પયાશવરણ પર ર્િી નકારાત્મક અસર ઓછામાાં ઓછી કરવી. જૈન ધમશ કહ ેછે કે -

પાંચેષ્ન્રય જીવોને (પશ,ુ પાંખી વગેરે) સૌર્ી વધ ુદદશની સાંવદેના હોય છે કારણકે િેમનો જ્ઞાન ગણુ ઓછા ઇંરીયોવાળા જીવો કરિાાં વધ ુત્તવકત્તસિ હોય છે િેર્ી િેમને દુખ આપવ ુકે િેમનો નાર્ એ સૌર્ી મોટી રહિંસા ગણાય છે. સાર્ે સારે્ પાંચેષ્ન્રય જીવોન ે મારવાર્ી પયાશવરણ ઉપર પણ મોટી નકારાત્મક અસર ર્ાય છે. એકેષ્ન્રય જીવોનો (ઝાડ, ર્ાક, પાણી, હવા, ધરિી વગેરે) જ્ઞાન ગણુ ઓછામાાં ઓછો ત્તવકત્તસિ છે િેનો નાર્ ઓછી રહિંસા ગણાય છે અન ેપયાશવરણ પર નકારાત્મક અસર ઓછી ર્ાય છે.

જૈન ધમશ જણાવે છે કે એક પાંચેષ્ન્રય જીવની રહિંસા અસાંખ્ય એક ઇંરરય જીવોની રહિંસા કરિા ઘણી જ વધારે છે. િેર્ી જૈન ધમશ શદુ્ધ ર્ાકાહારી ભોજનની રહમાયિ કરે છે. નૈત્તિક, આધ્યાજત્મક કે પયાશવરણની રષ્ષ્ટએ માાંસાહારનો અને પ્રાણીજન્ય કોઇ પણ ખોરાક કે વસ્ટ્તનુો ત્તનરોધ કરે છે.

Page 97: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૩ જૈન આચાર

96 જૈન દર્શન અને આચારની સરળ સમજ

આધમુનક પ્રાણીજન્ર્ ખોરાક દૂધ રહિંસક છે કે અરહિંસક?

બધા જૈન ર્ાકાહારમાાં માને છે અને મોટાભાગના જૈન ર્ાકાહારી છે. િેર્ી કિલખાનામાાં અને માાંસની ફેક્ટરીઓમાાં ર્િી પ્રાણીઓની ક્રૂર રહિંસાનો જૈન સમાજ ઘણોજ ત્તવરોધ કરે છે.

પરાંત ુમોટા ભાગના જૈનો દૂધ અને િેમાાંર્ી બનિી ચીજો વાપરે છે કારણ કે િેઓને દૂધ લેિી વખિે પ્રાણીની સીધી રહિંસા ર્િી દેખાિી નર્ી. િેઓ માને છે કે દૂધની અને િેની ચીજોના વાપરવામાાં અરહિંસાના મળૂભિૂ ત્તસદ્ધાાંિોનુાં ઉલ્લાંઘન ર્તુાં નર્ી.

આ ઉપરાાંિ આપણે દૂધ િો ભિૂકાળર્ી વાપરિાાં આવ્યા છીએ અને ધાત્તમિક રક્રયામાાં દૂધ અને ઘીનો ઉપયોગ કરીએ છીએ. આ બધા સવાલોના જવાબો માટે આ ચચાશ કરેલ છે.

માતા અને બાળક વચ્છ્ચેના સબંધંના કુદરતી મનર્મો (Law of Mother Nature)

દરેક પશઓુની માિા કે મનષુ્યોની માિા બાળકના જન્મ પછી જ દૂધ પેદા કરે છે.

કુદરિી વાિાવરણમાાં મનષુ્યની માિા બાળકને માટે અને ગાય માિા વાછરડા માટે જ અને િેની જરૂરરયાિ પરૂત ુાં જ દૂધ પેદા કરે છે.

કુદરિી વાિાવરણમાાં કુદરિે ગાય કે મનષુ્યની માિાને બીજાઓને માટે વધારાનુાં દૂધ પેદા કરવાની કોઇ ર્ક્ક્િ આપી નર્ી.

વાછરડુ કે બાળક અમકુ મરહનાઓ સધુી માિાનુાં દૂધ પીએ છે. પછી િેઓ ધીમે ધીમે ત્તનયત્તમિ ખોરાક લેવાન ુર્રુ કરે છે. િે વખિે માિા પણ ધીમે ધીમે દૂધ પેદા કરવાનુાં ઓછ કરે છે અને છેવટે બાંધ કરે છે.

પરાંત ુઆપણને કહવેામાાં આવે છે કે આપણે વાછરડાએ પીધા પછી ગાયન ુવધારાનુાં દૂધ લઇએ છીએ. આ વાિ કુદરિી ત્તનયમોર્ી ત્તવરુધ્ધ છે. અને િદ્દન અસત્ય છે.

Page 98: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૧૫ જૈન રષ્ષ્ટએ નૈત્તિક જીવન પદ્ધત્તિ

જૈન દર્શન અને આચારની સરળ સમજ 97

પરાંત ુધાંધાકીય દૂધની પેદાર્મા આપણે ગાયોને હોમોન્સ આપીને અર્વા બીજી પધ્ધત્તિર્ી િેની પાસે ત્રણ ઘણુાં દૂધ પેદા કરાવીએ છીએ. આમ ગાય પાસેર્ી િેની કુદરિી ર્ક્ક્િ કરિા આપણે ત્રણ ઘણુાં કામ કરાવીએ છીએ. અને આ રીિે આપણે ગાય માિાને, િેના વાછરડાને અને આપણી જાિને છેિરીએ છીએ.

ભતૂકાળમા ંદૂધ વાપરવાના કારણો આપણા જીવનને ટકાવી રાખવા જૂના જમાનામાાં ગાય અત્યાંિ ઉપયોગી પ્રાણી હત ુાં િેના બળદર્ી ખેિી કરીને જ અનાજ ઉત્પન્ન કરી ર્કાત ુાં હત ુાં. અને બળદનો ઉપયોગ વાહન વ્યવહારમાાં ર્િો હિો.

વળી ભારિ, િેની વસ્ટ્િીના પ્રમાણમાાં પરૂત ુાં અનાજ પેદા કરી ર્કતુાં ન હત ુાં. એટલે દૂધનો ખોરાક િરીકેનો ઉપયોગ જરૂરી હિો (લગભગ ૬૦ ર્ી ૭૦ વષશ પહલેા પણ ભારિ પી એલ ૪૮૦ પ્રોગ્રામર્ી અમેરરકા પાસેર્ી ઘણુાં જ અનાજ ખરીદત ુહત)ુ.

આ ઉપરાાંિ ગાયન ુછાણ, ખાિર િરીકે અને બળિણ િરીકે વપરાત ુહત ુાં અને ગૌમતૂ્રનો દવા િરીકે ઉપયોગ ર્િો હિો. આ રીિે જોઇએ િો જણારે્ કે જૂના જમાનામાાં ગાય અને બળદ વગર માનવ જીવન અર્ક્ય હતુાં.

િેર્ી િેઓ ગાયોને કુટુાંબની વ્યક્ક્િ ગણીને કાળજી લેિા. વાછરડાાંના જન્મ પછી ત્રણ વીક સધુી બધુાં જ દૂધ િેને પીવા દેિાાં અને ૩ વીક પછી માત્ર

Page 99: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૩ જૈન આચાર

98 જૈન દર્શન અને આચારની સરળ સમજ

બહજુ ર્ોડુાં (ચાર આંચળમાર્ી એક જ આંચળન)ુ દૂધ લોકો વાપરિાાં અને દૂધ વેચિા ન હિા.

વતવમાન પરરન્સ્થમત

આજે ખેિ-પેદાર્નુાં ઉત્પાદન મર્ીન અને ફટીલાઇજર દ્વારા દુત્તનયામાાં ઘણુાં જ ર્ાય છે. કે દર વષે વધારાની ખેિ-પેદાર્ને અમકુ દેર્ોએ િો દરરયામાાં ફેંકી દેવુાં પડે છે.

વળી ડેરી (દૂધ) ઉત્પાદન પણ ધાંધાકીય બની ગયુાં છે. ડેરી ની ગાયોને દૂધ પેદા કરિાાં યાંત્રની જેમ રાખવામાાં આવે છે. આ ફેક્ટરીઓ ઓછામાાં ઓછા ખચે વધ ુદૂધ મેળવિા હોય છે. ગાયોને ગલુામ િરીકે રાખીને િેની પાસે િેની કુદરિી ર્ક્ક્િ કરિા ત્રણ ઘણુાં દૂધ હોરમોંનર્ી પેદા કરાવે છે.

વળી રેરિજરેટર આવવાર્ી ડેરી ઉત્પાદક ચીજોની માાંગ ઘણીજ વધવાર્ી, આજની ડેરીઓએ ઘણા પ્રમાણમાાં પ્રાણીઓની સાંખ્યા વધારી દીધી છે. પ્રાણીઓની સાંખ્યા વધારવામાાં િેઓના ખોરાકને પહોંચી વળવા નૈત્તિક અને પયાશવરણની રષ્ષ્ટએ અસમતલુા ઊભી ર્ાય છે કારણ કે કુદરિી સાધન સામગ્રી િર્ા એટલા જ પ્રમાણમાાં ઘાસ-છોડના ખોરાકનો ઉપયોગ મોટા પ્રમાણમાાં જોઈએ. આ ફેક્ટરીઓ દ્વારા પ્રાણીઓ પ્રત્યે ર્િી ક્રૂરિા અને પયાશવરણ પર ર્િી અસર કલ્પનાિીિ છે.

Page 100: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૧૫ જૈન રષ્ષ્ટએ નૈત્તિક જીવન પદ્ધત્તિ

જૈન દર્શન અને આચારની સરળ સમજ 99

આધમુનક ડરેી (દૂધ) ઉત્તપાદનની પધ્ધમત

નીચેની યાદી દૂધ ઉત્પાદકો દ્વારા પ્રાણીઓને કેવુાં દુુઃખ આપી પરોક્ષ રહિંસા કરી પોિાનુાં ઉત્પાદન વધારાય છે િે સચૂવે છે અમેરરકા િેમજ યરુોપની મોટી ફેક્ટરીમાાં અને ભારિની નાની ફેક્ટરીઓમાાં આ પરરક્સ્ટ્ર્ત્તિ જોવા મળે છે. હુ ાં અનભુવર્ી કહુાં છાં મેં (લેખકે) અમેરરકામાાં ઘણી મોટી ડેરી ફેક્ટરીઓની અને ભારિમાાં ઘણી નાની ડેરી ફેક્ટરીઓની મલુાકાિ લીધી છે અને નજરોનજર જોયુાં છે.

દૂધ આપિી ગાયોને સિિ સગભાશવસ્ટ્ર્ામાાં જ રખાય છે. િેઓને કૃત્તત્રમ ગભાશધાન કરાવાય છે અને હોરમોંનર્ી અને બીજી રીિો દ્વારા િેઓ વધમુાાં વધ ુદૂધ મળે એ પદ્ધત્તિ અપનાવે છે.

આર્રે ૮૦% વાછરડાઓને ગોમાાંસ ફેક્ટરીમાાં વેચી દેવાય છે. જ્યાાં છ મરહનાર્ી ત્રણ વષશ સધુીમા વાછરડાની કિલ કરવામાાં આવે છે.

કેટલીક વાર ભારિના ગામડાના ખેડૂિો બળદ વાછરડાાં (Male Calf) ને ભખૂ્યુાં રાખીને મરવા દે છે. (મેં આપણા પત્તવત્ર િીર્શ પાલીિાણામાાં આ જોયુાં છે).

ગાયોનુાં સામાન્ય આય ુ૨૦ વષશનુાં હોય છે. પણ દૂધ આપિી ગાયોને પાાંચ કે છ વષશની ઉંમરે (બે કે ત્રણ વખિના વાછરડાના જન્મ પછી) જ્યારે

Page 101: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૩ જૈન આચાર

100 જૈન દર્શન અને આચારની સરળ સમજ

િેઓની દૂધ આપવાની ક્ષમિા ૭૦% ર્ી ઓછી ર્ઈ જાય ત્યારે કિલખાને વેચી દેવાય છે. (ભારિમાાં ૯૫% ર્ી વધારે જગાએ આ સત્ય હકીકિ છે).

વધારે દૂધ મેળવવા હોમોન્સ અને એન્ટીબાયોટીક્સ ખોરાકમાાં અર્વા ઇન્જેક્ર્ન દ્વારા રોજ અપાય છે (ત્તસવાય કે કુદરિી ડેરી ફામશ). ભારિમાાં મોટા ભાગની બધી નાની ડેરીઓ પણ હોમોન્સ અને એન્ટીબાયોટીક્સ વાપરે છે.

ગાયને સિિ સગભાશ રખાિી હોવાર્ી અને હોમોન્સ અને એન્ટીબાયોટીક્સ અપાિા હોવાને લીધે કુદરિી રીિે ગાય જેટલુાં દૂધ આપે (લગભગ ૮૦ વષશ પહલેાાં) િેનાર્ી ત્રણ ઘણુાં વધારે દૂધ આપે છે. બીજા ર્બ્દોમાાં કહીએ િો આટલુાં બધુાં દૂધ આપવા માટે ગાયના ર્રીરને ત્રણ ઘણુાં વધારે કામ હોમોન્સ કરાવે છે.

આ રીિે દૂધ અને દૂધની બનાવટની વધિી જિી માાંગને ખેડૂિો ગાયોની સાંખ્યાને ઘણી જ વધાયાશ વગર જ પહોંચી વળવાનો પ્રયત્ન કરે છે.

િેર્ી આર્રે પાાંચેક વષશની ઉંમર સધુીમાાં ર્ારીરરક િાણ ને લીધે ગાયોનુાં ર્રીર ભાાંગી પડે છે અને િેની દૂધ આપવાની ક્ષમિા નોંધપાત્ર ઘટી જાય છે. આ વખિે િેને પત્તિમના દેર્ોમાાં કાયદેસર કિલખાનામાાં મોકલી દેવાય છે અને ભારિમાાં મોટે ભાગે ગેરકાયદેસર િેઓની કિલ કરાય છે. ભારિમાાં ઘણાાં ગેરકાયદેસર કિલખાના અક્સ્ટ્િત્વ ધરાવે છે. િેમાાંના કેટલાકની અમદાવાદમાાં અને બીજી જગાએ મેં મલુાકાિ લીધી છે. માત્ર ૧% ર્ી પણ ઓછી ગાયો ને પાાંજરાપોળમાાં જીવનભર રાખવામાાં આવે છે.

ઓગેમનક ડરેી હોમોન્સ અને એન્ટીબાયોટીક્સની દવા વગર પ્રાણીઓને (ગાયોને) ઉછેરવાની ડેરીને ઓગેત્તનક ડેરી કહ ે છે. મોટી ફેક્ટરીની ડેરી કરિાાં િે સાઇઝમાાં નાની હોય છે. િેઓ દૂધમાાં કર્ી ભેળસેળ કરિાાં નર્ી. છિાાં અહીં પણ ગાય ઉપર નીચે મજુબની રહિંસા જોવા મળે છે.

ગાયને સિિ સગભાશ રખાય છે.

Page 102: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૧૫ જૈન રષ્ષ્ટએ નૈત્તિક જીવન પદ્ધત્તિ

જૈન દર્શન અને આચારની સરળ સમજ 101

આર્રે ૮૦% જેટલા વાછરડાને માાંસની ફેક્ટરીમાાં વેચી દેવાય છે.

ગાયને પાાંચ કે છ વષે કિલખાનામાાં વેચી દેવાય છે.

િેર્ી ઓગેત્તનક ડેરીના કુદરિી દૂધની પાછળ રહલેી રહિંસા પણ સામાન્ય દૂધ પેદા કરવા જેવી જ ગણાય છે.

ડરેી ઉદ્યોગની પર્ાવવરણ અને સ્વાસ્થ્ર્ ઉપર થતી અસર

નીચેની મારહિી USDA (અમેરરકાનુાં એભગ્રકલચર રડપાટશ મેન્ટ) અર્વા િેના જેવી બીજી સાંસ્ટ્ર્ા પાસેર્ી લીધેલ છે. િે આ ત્તનદશયી કૃત્યનો ત્તવસ્ટ્િાર અને િેની પયાશવરણ પર ર્િી અસરનો ભચિાર રજૂ કરે છે.

૧. કતલખાનાનો કચરો અને પર્ાવવરણ

દરરોજ માત્ર એકલા અમેરરકામાાં, ૫,૦૦,૦૦૦ (પાાંચ લાખર્ી) વધ ુગાયો અને બીજા પાળેલા પ્રાણીઓની િર્ા ૨૪૦ લાખ મરઘાાંની કિલ ર્ાય છે.

દર સેકાંડ,ે અમરેરકાની માાંસ અને ડેરી ઉદ્યોગ દ્વારા િેનો ૨,૩૦,૦૦૦

(બે લાખ ત્રીર્ હજાર) પાઉંડ કચરો વાિાવરણમાાં ત્તનકાલ કરાય છે જે આપણી જમીન, હવા અન ેપાણીને બગાડ ેછે.

Page 103: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૩ જૈન આચાર

102 જૈન દર્શન અને આચારની સરળ સમજ

૨. ગ્રીન હાઉસ અસર

ત્તવશ્વની ૧.૩ લાખ કરોડ ગાયો વષ ેએક કરોડ ટન ત્તમર્ેઈન ગસે બહાર કાઢે છે. જે ખબૂ જ ર્ક્ક્િર્ાળી ગ્રીન હાઉસ ગેસ છે. જે સયૂશની ગરમીર્ી પદેા ર્િા કાબશન ડાયોક્સાઇડ કરિાાં પચીસ ઘણુાં હાત્તનકારક છે.

૩. પાણીનો વપરાર્

અમેરરકામાાં વપરાિા કુલ પાણીના અડધાર્ી વધારે પાણી પશધુન દ્વારા પેદા ર્િી વસ્ટ્તઓુ માટે વપરાય છે. એક પાઉંડ માાંસ િૈયાર કરવા ૨૫૦૦ ગલેન પાણી જોઈએ છે. જ્યારે એક પાઉંડ બટાકા, ઘઉં કે ચોખાન ે૫૦ ર્ી ૨૫૦ ગલેન પાણી જોઈએ.

Page 104: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૧૫ જૈન રષ્ષ્ટએ નૈત્તિક જીવન પદ્ધત્તિ

જૈન દર્શન અને આચારની સરળ સમજ 103

૪.જમીનનો વપરાર્

અમેરરકાની ત્રીજા ભાગની જમીન ગોચર માટે વપરાય છે. અમેરરકાની ખેિીલાયક કુલ જમીનનો અડધો ભાગ ડેરી અને માાંસ ઉદ્યોગના પશધુનના ખોરાક માટે વપરાય છે. અમરેરકામાાં આ માટે ૨૨ કરોડ એકર જમીન, બ્રાઝીલમાાં ૨૫0 લાખ એકર જમીન અન ે મધ્ય અમેરરકાના અડધા જ ાંગલ, ડેરી અને માાંસ પેદા કરવા વાળા પશનુા ખોરાક પેદા માટે કાપી કાઢયા છે.

૫. સ્વાસ્થ્ર્ પર તેની અસર

છેલ્લા પચાસેક વષશના િબીબી અભ્યાસ પછી િેમણે િારણ કાઢ્ુાં છે કે ત્તવશ્વના મધ્યમ અન ેસખુી વગશના લોકોના રોગ અને મતૃ્યનુ ુાં કારણ માાંસ અન ેડેરી ઉદ્યોગના વપરાર્ સારે્ સાંકળાયેલુાં છે. હૃદય રોગ,

ડાયાભબટીસ, આંિરડાનુાં કેન્સર, પ્રોસ્ટ્ટેટ કેન્સર અને હાડકાનુાં ભાાંગી જવા (િેક્ચર) માટે પણ એ કારણભિૂ છે. નવા સાયન્સના પ્રયોગોર્ી પરુવાર ર્યલે છે કે દૂધનો ઉપયોગ વધ ુકરવાર્ી િેક્ચરનુાં પ્રમાણ વધ્યુાં છે. એ માટે દૂધમાાં લેવાયેલુાં એત્તનમલપ્રોટીન અન ેકેપ્લ્ર્યમ જ જવાબદાર છે.

“માત્ર માાંસ નહીં પણ ડેરીની ખાદ્ય ચીજોમાાં ચરબી અને કોલેસ્ટ્રોલનુાં પ્રમાણ પણ ઘણુાં વધારે હોય છે જે હૃદય રોગ અને ટાઇપ-૨ પ્રકારના ડાયબીટીસનુાં મખુ્ય કારણ છે.” “ડેરી ખાદ્ય ચીજો પ્રોસ્ટ્ટેટ કેન્સર અને ટાઇપ૧ ડાયાબીટીસ સારે્ સાંકળાયેલા છે.”

સારારં્

જૈન જીવન પદ્ધત્તિ સૈદ્ધાાંત્તિક અને નૈત્તિક છે. વળી િે પથૃ્વી અને પયાશવરણને આદર આપી સાચવે છે. આપણે જે સમય, સ્ટ્ર્ળ અને સાંજોગોમાાં જીવીએ છીએ િેને ધ્યાનમાાં રાખીને આપણો વ્યવહાર હોવો જોઈએ એવુાં આપણા ધમશગ્રાંર્ો સચૂવે છે.

Page 105: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૩ જૈન આચાર

104 જૈન દર્શન અને આચારની સરળ સમજ

એક ગાય, માાંસ માટે કિલખાને જાય ત્યારે એક બીજી ગાયને (સગભાશ રાખી, હોમોન્સ અને એન્ટીબાયોટીક્સ આપી) સિિ દૂધ મેળવવા અત્યાંિ પીડા અપાય છે. ડેરીની ગાયોનુાં આયષુ્ય લગભગ ૨૦ વષશનુાં હોવા છિાાં માત્ર પાાંચ કે છ વષશમાાં કિલખાને મોકલાય છે. એ સચૂવે છે કે દૂધનુાં ઉત્પાદન માાંસના ઉત્પાદન જેટલુાં જ ક્રૂરિા ભયુું છે.

પયાશવરણની અસમતલુાને ધ્યાનમાાં લેિાાં વનસ્ટ્પત્તિજન્ય ઉત્પાદન કરિાાં પ્રાણીજન્ય ઉત્પાદન જેમકે - દૂધ, ચામડુાં, ત્તસલ્ક અને ઊન પયાશવરણને ઘણુાં જ હાત્તનકારક છે.

શ્વિેાાંબર અને રદગાંબર બાંને સાંપ્રદાય દૂધ અને દૂધની બનાવટોનો માંરદરમાાં ધાત્તમિક ત્તવત્તધ માટે ઉપયોગ કરે છે. આ ઘણી જૂની પ્રર્ા છે. આપણે ડેરી પેદાર્ોને (આરિી માટે ઘી, પજૂા માટે દૂધ અને મીઠાઈ) માંરદરની ધાત્તમિક રક્રયામાાં વાપરિાાં પહલેા ફેર ત્તવચારણા કરવી જોઈએ. આપણા ધમશ પસુ્ટ્િકો પણ સચૂવે છે કે કોઈપણ પ્રર્ા અંધશ્રદ્ધાર્ી (સમજણ વગર) અપનાવવી જોઈએ નહીં.

જૈન ધમશના મોટામાાં મોટા ત્તસદ્ધાાંિ અરહિંસામાાં અને િેમાાં પણ પાંચેંરરય પ્રાણીની રહિંસાની કોઈપણ સાંજોગોમાાં છૂટછાટ કરી ર્કાય નહીં.

જૈન આચાર પદ્ધત્તિમાાં દૂધ અને િેની બનાવટોનો ઉપયોગ કોઇ ચોક્કસ ધાત્તમિક પ્રિીક િરીકેન ુમહત્વ ધરાવે છે. આપણા ત્તવત્તધ-ત્તવધાનોનો મખુ્ય હતે ુઆપણામાાં આધ્યાજત્મકિા વધારવાનો છે. ધાત્તમિક રક્રયા ને અંિે આપણામાાં કામ, ક્રોધ, માન, લોભ અને રાગ ઘટે એ જ ઉદે્દર્ હોય છે.

માટે ધાત્તમિક ત્તવત્તધ માટે વપરાિી વસ્ટ્તઓુ અરહિંસક રીિે બનેલી હોવી જોઈએ િેનો આપણે બરાબર ખ્યાલ રાખવો જોઇએ. દૂધ અને બીજી ડેરી પેદેર્ોમાાં મોટી રહિંસા (પાંચેંરરય પ્રાણીની રહિંસા) રહલેી હોવાર્ી આપણને આધ્યાજત્મક ક્ષેતે્ર આગળ વધવામાાં મદદ કરિા નર્ી. પણ આપણે ભયાંકર પાપના ભાગીદાર ર્ઇએ છીએ.

આપણી ત્તવત્તધમાાં, આપણે દૂધની જગાએ પાણી અર્વા બદામનુાં દૂધ, કે સોયાબીનનુાં દૂધ કે દીવા માટેના ઘીની જગ્યાએ વનસ્ટ્પત્તિ િેલ, મીઠાઈની

Page 106: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૧૫ જૈન રષ્ષ્ટએ નૈત્તિક જીવન પદ્ધત્તિ

જૈન દર્શન અને આચારની સરળ સમજ 105

જગાએ સકૂો મેવો અને ધાત્તમિક પ્રસાંગે જમણ દરમ્યાન શદુ્ધ ર્ાકાહારી એટલે કે વીગન જમણ પીરસવુાં જોઈએ.

આપણે યાદ રાખવુાં જોઇએ કે જો આપણે પોિાના ઉપયોગ માટે ડેરી પેદાર્ વાપરીએ િો આપણે પોિે જ િે રક્રયાના અને િેના પરરણામ રૂપ ેબાંધાિા કમશ કે પાપ માટે જવાબદાર છીએ. પણ જો માંરદરમાાં કે ધાત્તમિક પ્રસાંગોમાાં ડેરી પેદાર્નો ઉપયોગ કરીએ િો આખા સાંઘને િેનો દોષ લાગે છે િેનો ત્તવચાર કરવો જોઈએ.

અમેરરકાની યવુાન જૈન સાંસ્ટ્ર્ા YJA (Young Jains Of America) અને YJP (Young Jains Professional) સ્ટ્વીકારે છે કે ડેરી ઉદ્યોગમાાં ગાયો ઉપર અત્યાંિ ક્રૂરિા આચરવામાાં આવિી હોવાર્ી ધાત્તમિક પ્રસાંગોમાાં ડેરી પેદાર્ોનો ઉપયોગ આપણા પાયાના ત્તસદ્ધાાંિ અરહિંસાની મોટી અવગણના ર્ાય છે. લગભગ ૧૫% યવુાન જૈનો વીગન છે. આપણી આચાર પદ્ધત્તિમાાં ર્િો આવો ફેરફાર યવુાનો આવકારે છે. ન્યયુોકશ ટાઇમ્સ નોંધે છે કે - મોટા ભાગે નીત્તિ-ધમશની રષ્ષ્ટએ અને સ્ટ્વાસ્ટ્થ્યની રષ્ષ્ટએ ૬૦ લાખ અમેરરકનો વીગન છે.

અર્ાશત ્દૂધ કે િેની બનાવટોનો સીધો ઉપયોગ માાંસાહાર નર્ી લાગિો પણ દૂધ ઉત્પાદક પશઓુની દયાજનક ક્સ્ટ્ર્ત્તિને લક્ષ્યમાાં લઈ ઉપરોક્િ કારણોની સત્યિાનો સ્ટ્વીકાર કરવો જોઈએ. અને માાંસાહાર કરવામાાં જેટલી ક્રૂરિા દેખાય છે િેટલી જ ક્રૂરિા દૂધ અને િેની બનાવટ નો ઉપયોગ કરવામાાં છે િે ખ્યાલ સિિ રાખવો જોઇએ.

Page 107: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૩ જૈન આચાર

106 જૈન દર્શન અને આચારની સરળ સમજ

૧૬. છ આવશ્ર્ક અનટુઠાનો જૈન ધમશના અનયુાયીઓને દરરોજ છ મખુ્ય અનષુ્ઠાનોન ુઆચરણ કરવાનુાં સમર્શન કરે છે. િેમાાં શ્વેિાાંબર અને રદગાંબર પ્રર્ામાાં કેટલાક િફાવિો જોવા મળે છે.

િેતાબંર પ્રથાના છ આવશ્ર્ક અનટુઠાનો ૧. સામામર્ક

૪૮ ત્તમત્તનટ સધુી ર્ાાંત્તિર્ી ક્સ્ટ્ર્રિામાાં બેસવુાં અને અરહિંસાપવૂશક પાપપ્રવતૃ્તિ રરહિ સમિાપવૂશક રહવે ુ ાં.

૨. ચઉમવસથ્થો ચોવીસ ેિીર્ુંકરોના ગણુોને યાદ કરવા અને િનેી સ્ટ્તતુ્તિ કરવી.

૩. વદંના સાધ ુમહારાજોની ઉપાસના અને વાંદનારદ કરવા.

૪. પ્રમતક્રમણ

આખા રદવસ માાં કરેલા અશભુ ત્તવચારો અને પાપરક્રયાઓનો પિાિાપ કરવો અને ફરીર્ી િે ન ર્ાય િે માટે પ્રયત્ન કરવો.

૫. કાર્ોત્તસગવ ર્રીર પ્રત્યનેા રાગ વગર ઊભા ઊભા કે બેઠાાં બેઠા ાં લાાંબા સમય સધુી ક્સ્ટ્ર્ર રહીને ધ્યાનમાાં રહવે ુ ાં. અને ભચિંિન કરવુાં કે ફરીર્ી આવા અશભુ ત્તવચારો નરહ કરુાં.

૬. પ્રત્તર્ાખ્ર્ાન

ર્ોડા સમય માટે સારીપ્રવતૃ્તિઓ કરવાની પ્રત્તિજ્ઞા લેવી અને અમકુ પ્રકારના ખોરાકનો ત્યાગ કરવાની પ્રત્તિજ્ઞા લેવી. અને વ્રિ અન ેત્તનયમર્ી ત્યાગમય જીવન જીવવાનો પ્રયત્ન કરવો.

Page 108: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૧૬ છ આવશ્યક અનષુ્ઠાનો

જૈન દર્શન અને આચારની સરળ સમજ 107

રદગબંર પ્રથાના છ આવશ્ર્ક અનટુઠાનો ૧ દેવપાૂ િીર્ુંકરોના ગણુોની સ્ટ્તતુ્તિ કરવી અને આદર આપવો.

૨ ગરુુપાસ્તી ગરુુજનોની ઉપાસના અને સેવા કરવી.

૩ સ્વાધ્ર્ાર્ પત્તવત્ર ધમશગ્રાંર્નો અભ્યાસ કરીને આત્માના ગણુોને સમજવા.

૪ તપ િપસ્ટ્યા દરરોજ કોઈ પણ પ્રકારના િપનો ત્તનયમ લેવો.

૫ દાન પરોપકાર સપુાત્ર અને અનકુાંપા દાનર્ી જીવન જીવવુાં.

૬ સરં્મ જીવન વ્રિ અને ત્તનયમોવાળ જીવવુાં.

રદગાંબર પ્રર્ાના આ છ અનષુ્ઠાનો શ્વેિાાંબર પ્રર્ાએ પણ સામાન્ય માણસોની રોજજિંદી પ્રવતૃ્તિરૂપે સ્ટ્વીકારેલા છે.

આ ઉપરાાંિ કેટલાક જૈનો આત્મસાંયમ અને ભૌત્તિક વસ્ટ્તઓુ પ્રત્યેના રાગ ઘટાડવા આહારનો સાંયમ, ઉપવાસ ત્તવગેરેનુાં આચરણ કરે છે.

Page 109: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૩ જૈન આચાર

108 જૈન દર્શન અને આચારની સરળ સમજ

૧૭. જૈન ર્ોગ

વૈત્તશ્વક રષ્ષ્ટએ યોગ આપણી ર્ક્ક્િનો ત્તનયમબદ્ધ અને પદ્ધત્તિસરનો એવો પ્રયત્ન કે જે દ્વારા માનવ પોિે પોિાના ર્રીર, મન અને આત્માની એકરુપિા સાંપણૂશિાર્ી પ્રાપ્િ કરે છે.

યોગ એ એવુાં સાધન છે જે ર્રીર, મન અને આત્મા સારે્ સાંપકશ કરવામાાં મદદ કરે છે. યોગ ર્ારીરરક, માનત્તસક, બૌદ્ધદ્ધક, નૈત્તિક અને આધ્યાજત્મક ત્તનયત્તમિિા (ત્તર્સ્ટ્િ) પર આધારરિ છે. જો વ્યક્ક્િમાાં પોિાની ર્ારીરરક,

માનત્તસક અને બૌદ્ધદ્ધક ર્ક્ક્િ પર પરેૂ પરૂો સાંયમ આવી જાય િો િે રચનાત્મક જીવન જીવી ર્કે. ત્તનયત્તમિ યોગનો અભ્યાસ રાખવાર્ી માણસ પોિાની જાિ પર પ્રભતુ્વ કેળવી ર્કે છે. યોગ આપણામાાં કાયશ, લાગણી અને બદુ્ધદ્ધની શદુ્ધિાનો આત્તવષ્કાર કરે છે.

યોગનાાં હતે ુ અને અર્શને લક્ષમાાં લેિા વિશમાનમાાં જૈન સમાજમાાં ઘણી ગેરસમજો જોવા મળે છે. જેમ કે યોગ એ રહિંદુ ધમશનો ભાગ છે, યોગ એટલે બાહ્ય ચેષ્ટાર્ી ત્તનવિૃ ર્ઈ ર્ારીરરક આસનમાાં કલાકો સધુી સળાંગ બેસી રહવે ુ ાં. યોગ માત્ર માનત્તસક ર્ાાંત્તિ અને આનાંદ આપે છે પણ િે ધાત્તમિક નર્ી એટલે કે િે મોક્ષ િરફ આપણને લઇ જત ુનર્ી.

જૈન પદ્ધમત પ્રમાણે ર્ોગનો અથવ જૈન દર્શનમાાં યોગ ર્બ્દનો અર્શ જુદી જુદી રીિે ર્યો છે.

યોગનો મળૂ અર્શ છે મન, વચન અને કાયા દ્વારા ર્િી પ્રવતૃ્તિ િે પૌદ્ગભલક યોગ. અને ભાવશદુ્ધદ્ધ, મનન અને ભચિંિન દ્વારા આત્માના કષાયો ઓછા કરવા અર્વા દૂર કરવા િે પારમાત્તર્િક યોગ.

પૌદ્ગભલક યોગ સાાંસારરક હતેરુૂપ છે જ્યારે પારમાત્તર્િક યોગ મોક્ષ હતેરુૂપ છે.

આત્માને લગિી કોઈપણ પ્રવતૃ્તિ કે હતે ુજે મકુ્ક્િ િરફ લઈ જાય િે યોગ. બીજા ર્બ્દોમાાં જે પ્રવતૃ્તિ દ્વારા રાગારદ ભાવો ઓછા કે ક્ષય ર્ાય અને િેર્ી મન શદુ્ધ ર્ાય િેને યોગ કહવેાય.

Page 110: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૧૭ જૈન યોગ

જૈન દર્શન અને આચારની સરળ સમજ 109

યોગ દ્વારા મનની શદુ્ધિાર્ી આત્માના ગણુો જાગિૃ ર્ાય છે અને કમશ નાર્ ર્ાય છે. જે સાચી શ્રદ્ધા, સાચુાં જ્ઞાન અને સાચા આચાર (સમ્યગ ્દર્શન, જ્ઞાન અને ચારરત્ર) દ્વારા મકુ્ક્િ અપાવે છે.

યોગ ર્બ્દ જૈન ધમશમાાં ધ્યાન માટે પણ વપરાય છે. આચાયશ હરરભર સરૂરએ યોગત્તવિંત્તર્કા અને આચાયશ અત્તમિગત્તિએ યોગસાર પ્રાભિૃમાાં આ યોગની ચચાશ-ત્તવચારણા કરેલ છે.

કમશના આંિર પ્રવાહના વ્યવહાર ત્તવરે્ વાિ કરિાાં આચાયશ ઉમાસ્ટ્વાત્તિજીએ કહ્ુાં છે કે ર્રીરની, મનની કે વાણીની કોઈપણ પ્રવતૃ્તિ કરિી વખિે આત્માના પ્રદેર્ો આંદોભલિ ર્ાય (કાંપન અનભુવે) િે યોગ કહવેાય. આ યોગની પ્રવતૃ્તિ દ્વારા આત્મા કામશણવગશણા સારે્ આ પ્રમાણે જોડાય છે:

જો કોઈ પ્રવતૃ્તિ કલ્યાણકારી હતે ુસારે્ જોડાઈ જાય િો પણુ્યનુાં કારણ બને છે અને પણુ્ય કમશ બ ાંધાય છે.

જો િે અશભુ હતે ુસારે્ જોડાય િો િે પાપનુાં કારણ બને છે.

જો આ જ કલ્યાણકારી પ્રવતૃ્તિ શદુ્ધ (પત્તવત્ર) હોય એટલે કે કોઇ પણ પ્રકારના ફળની આર્ા વગર અર્વા કિાશ ભાવ વગર કરેલ હોય િો આત્મામાાં કોઈ કાંપન ર્તુાં નર્ી અને િેર્ી કોઈ કમશબ ાંધ પણ નર્ી. પરાંત ુજુના કમોની ત્તનર્જરા ર્ાય છે.

ર્ોગના ંચાર પ્રાથમમક માગો ભારિીય પ્રણાલી સ્ટ્પષ્ટ પણે કહ ેછે કે યોગનાાં પ્રાર્ત્તમક ચાર માગો છે જે આત્માને ભૌત્તિકિામાાંર્ી મકુ્ક્િ િરફ લઈ જાય છે. જે આ પ્રમાણે છે.

૧. ભન્ક્તત ર્ોગ

સવોપરી પ્રેમ અને આત્માન ેઅત્યાંિ સખુના આનાંદનો અનભુવ ર્ાય એ ભક્ક્િયોગનો હતે ુ છે. િનેા કેન્રમાાં ભક્ક્િ અન ે સમપશણ દ્વારા સત્યની અનભુતૂ્તિ કરવાનુાં છે. પ્રાર્શના, આચાર પદ્ધત્તિ અને રક્રયાકમશન ેલક્ષમાાં રાખી િનેી પ્રવતૃ્તિ ર્ાય છે. કીિશન, ગાવુાં અને ભગવાનનો

Page 111: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૩ જૈન આચાર

110 જૈન દર્શન અને આચારની સરળ સમજ

જાપ કરવો એ પણ વ્યવહાર છે. આધ્યાજત્મક પ્રગત્તિની પ્રારાંભભક ભતૂ્તમકામાાં માંરદર કે િેના જેવી પત્તવત્ર જગા ભક્ક્િયોગ માટે જરૂરી છે. આખરે ભક્ક્િયોગ અંદરની શદુ્ધિાને ત્તવકસાવ ેછે અને “હુ ાં” પણાના અભભમાનને ઓગાળે છે. ભાવનાર્ીલ લોકો માટે યોગનાાં આ માગશન ેઅનસુરવુાં શ્રેષ્ઠ રૂપ છે. રહિંદુધમશ ની અમકુ ર્ાખાઓ આ માગશ ને મખુ્ય માગશ િરીકે સ્ટ્વીકારે છે

જૈન ધમશ િેને આધ્યાજત્મક પ્રગત્તિની પ્રારપ્મ્ભક ભતૂ્તમકામા સાધન િરીકે જરૂરી ગણે છે.

૨. જ્ઞાનર્ોગ

અનન્ય અન ેસવોપરી “સ્ટ્વ”ની અનભુતૂ્તિ કરાવવી એ જ્ઞાનયોગનો ઉદે્દર્ છે. બૌદ્ધદ્ધક લોકો આ માગશ પસાંદ કરે છે. કારણ કે િેમાાં અભ્યાસ,

ત્તવચાર, પ્રશ્નોિરી અન ેભચિંિનનુાં આચરણ છે. આ સષૃ્ષ્ટમાાં સાચુાં (સત્ય) શુાં છે અને ત્તમથ્યા શુાં છે િનેો ભદે કે િફાવિ સમજવા આ માગશ નમનૂા રૂપ છે. બદુ્ધદ્ધના માધ્યમ દ્વારા આ માગશ ભૌત્તિક દુત્તનયાના બાંધનોને પ્રશ્ન અન ેપરૃ્ક્કરણ દ્વારા નકારે છે. મન (બદુ્ધદ્ધ) પોિ ેજ પોિાના સ્ટ્વરૂપને એટલે કે સ્ટ્વભાવને િપાસ ેછે. આ નમનૂા રૂપ પ્રશ્નો ધ્યાન દરમ્યાન પોિાની જાિને પછૂવા - “હુ ાં કેમ અહીં છાં?” “સાચુાં શુાં છે? અને સાચુાં શુાં નર્ી?” અને સૌનો સૌર્ી મોટો પ્રશ્ન “હુ ાં કોણ છાં?” િે સત્યના આખરી મિૂશ સ્ટ્વરૂપ સધુી લઈ જાય છે. પ્રાર્ત્તમક ભતૂ્તમકામાાં સાંત્તનષ્ઠ ગરુુનુાં માગશદર્શન અર્વા ધાત્તમિક પસુ્ટ્િકનો અભ્યાસ જ્ઞાનયોગમાાં જરૂરી છે.

જૈન ધમશ અને બૌદ્ધ ધમશ બાંને મોક્ષપ્રપ્પ્િ માટે આ માગશને મખુ્ય માગશ િરીકે સ્ટ્વીકારે છે.

Page 112: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૧૭ જૈન યોગ

જૈન દર્શન અને આચારની સરળ સમજ 111

૩. કમવ ર્ોગ

કમશયોગનો હતે ુદરેક માનવીય પ્રવતૃ્તિ સવોપરરિાના સાંકેિન ેસમત્તપિિ કરવાનો છે. માનવિા અને જીવમાત્રના ભલા માટે ત્તનુઃસ્ટ્વાર્શ ભાવ ેકરાિી સેવાને કમશયોગ કહ ેછે. િેમાાં સમાજ સેવા, જીવોનો એકબીજા સાર્ેનો સાંબ ાંધ, પયાશવરણની રક્ષા, પ્રાણીની રક્ષા અને એવુાં ઘણુાં સમાઈ જાય છે. િનેો વ્યવહાર કે આચરણ કોઈપણ સમયે અને ક્યાાંય પણ ર્ઈ ર્કે છે.

આખરે વ્યક્ક્િ પોિાનુાં બધુાં કાયશ અને સેવા કોઈપણ પ્રકારના પરરણામ કે ફળની આર્ા રાખ્યા વગર ભગવાનને સમપ ેછે. િેન ેકારણે પોિાનુાં અભભમાન “હુ ાં” પદ ઓગળી જાય છે. કાયશન ેલક્ષમાાં રાખનાર લોકો માટે આ યોગનો ઉિમ પ્રકાર છે.

જૈન ધમશના જ્ઞાન માગશમાાં કમશ યોગનો સમાવેર્ ર્ાય છે. જ્ઞાનસાર્ ેર્યેલ રક્રયા જ મોક્ષ િરફ લઇ જાય છે. પરન્ત ુિે રક્રયા કિાશભાવ એટલે “હુાં” પદ વગરની હોવી જોઇએ.

૪. અટટાગં ર્ોગ (આત્તમસમામધ અને ધ્ર્ાનનો માગવ) અષ્ટાાંગ યોગનો હતે ુ માત્ર દેહની શદુ્ધદ્ધ અને મકુ્ક્િનો નર્ી પણ બદુ્ધદ્ધજીવીઓના ત્તવચાર અન ેચૈિન્યના ભાવનાત્મક અન ેલાગણીર્ીલ જીવનમાાં સાંયમ સાર્ ે ત્તનપણુિા લાવવાનો છે. િે ર્ારીરરક અન ેમાનત્તસક સાંયમનુાં ત્તવજ્ઞાન છે.

અષ્ટાાંગ યોગનાાં સ્ટ્ર્ાપનાર અને સાંર્ોધક મહાન ઋત્તષ પિાંજભલ (time

3rd - 4th century BCE) હિા. િે અષ્ટાાંગ યોગ અર્વા યોગનાાં આઠ િબક્કા અર્વા ભતૂ્તમકા િરીકે પણ ઓળખાય છે. િનેા આઠે આઠ

Page 113: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૩ જૈન આચાર

112 જૈન દર્શન અને આચારની સરળ સમજ

પગલાાં અગત્યના છે અન ેિેનુાં ક્રમબદ્ધ આચરણ અંત્તિમ સત્ય અને મોક્ષ (ભગવાન) િરફ દોરી જાય છે.

પિાંજભલ ઋત્તષ એ િેમના અત્તવનાર્ી પ્રબાંધ ગ્રાંર્ “યોગસતૂ્ર” માાં વ્યાખ્યા કરી છે કે, યોગનુાં લક્ષ્ય ત્તવચાર પ્રરક્રયાને (ભચિવતૃ્તિને) સાંયમમાાં રાખી યોગની ઉચ્ચકક્ષા પ્રાપ્િ કરવી.

મહાન ઋત્તષ પિાંજભલના િેમના “યોગસતૂ્ર”માાં આવિા યોગનાાં આઠ પગત્તર્યાાં અને ધ્યાનને શ્રી હરરભરસરૂરએ આદર સહ સ્ટ્વીકાયાશ છે. િેમણ ે યોગનાાં ચાર પસુ્ટ્િકો લખ્યા છે. (૧) યોગત્તવિંત્તર્કા પ્રાકૃિ

ભાષામાાં (૨) યોગર્િક પ્રાકૃિ ભાષામાાં (૩) યોગભબિંદુ સાંસ્ટ્કૃિમાાં અન ે(૪) યોગ રષ્ષ્ટ સમચુ્ચય સાંસ્ટ્કૃિમાાં.

શ્રી પિાંજભલ ઋત્તષ જૈન દાર્શત્તનક ન હોવા છિાાં જૈન આચાયશ શ્રી હરરભરસરૂર (7th century AD) એ અષ્ટાાંગ યોગને જૈન ધમશ માાં આધ્યાજત્મક સ્ટ્વીકૃત્તિ આપી છે જે મોક્ષ માગશ સધુી દોરી જાય છે. આ ઉપરાાંિ શ્રી હમેચાંરાચાયશએ યોગર્ાસ્ત્ર ની રચના કરી છે.

અટટાગં ર્ોગ (ર્ોગના ંઆઠ પગમથર્ા)ં

૧ - ર્મ (સરં્મમા ંરહવે ુ)ં પ્રારાંભભક ભતૂ્તમકામાાં વ્યક્ક્િએ રહિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્ચયશ અન ેઅપરરગ્રહ પર સાંયમ કેળવવો જોઈએ.

૨ - મનર્મ (અનટુઠાનોન ુપાલન કરવુ)ં બીજી ભતૂ્તમકામાાં વ્યક્ક્િએ કેટલાક સદ્ગુણો જેવા કે આંિરરક અને બાહ્ય પત્તવત્રિા, સાંિોષ, સાંયમ, ધમશનો અભ્યાસ અને પોિાની જાિન ેધમશમય વાિાવરણમાાં રાખી ત્તવકસાવવા જોઈએ. પહલેી બે ભતૂ્તમકા નૈત્તિક શદુ્ધદ્ધ માટે છે. િેના વગર આધ્યાજત્મક પ્રગત્તિ ર્ક્ય નર્ી.

Page 114: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૧૭ જૈન યોગ

જૈન દર્શન અને આચારની સરળ સમજ 113

૩ - આસન (ર્ારીરરક સમતલુા કેળવવી) ત્રીજી ભતૂ્તમકામાાં પોિાના ર્રીરન ેિાંદુરસ્ટ્િ રાખવા અને લાાંબા કલાકો સધુી ધ્યાન કરવાની િૈયારી રૂપે કરોડરજ્જુને સીધી રાખવા વ્યક્ક્િએ ર્ારીરરક સમતલુા જાળવીન ેઆસન ત્તસદ્ધ કરવુાં જોઈએ.

૪ - પ્રાણાર્ામ અથવા પ્રાણર્ોગ (તાલબદ્ધ િસનરક્રર્ા કેળવવી) ચોર્ી ભતૂ્તમકામાાં વ્યક્ક્િએ ચોક્કસ પ્રરક્રયા દ્વારા જીવનન ે માટે આવશ્યક ર્ક્ક્િ કાબમૂાાં રાખવા શ્વાસનો ત્તનયત્તમિ અભ્યાસ રાખવો જોઈએ. િાલબદ્ધ શ્વસનરક્રયા મનને ધ્યાનસ્ટ્ર્ ર્વામાાં મદદ કરે છે. સીધા બસેવાર્ી (ત્રીજી ભતૂ્તમકા) અને િાલબદ્ધ શ્વાસ (ચોર્ી ભતૂ્તમકા) લેવાર્ી અંિમુશખ ર્વા માટે મન ર્ક્ક્િમાન એટલેકે િૈયાર ર્ાય છે.

૫ - પ્રત્તર્ાહાર અથવા પ્રમતહાર્વ (પચેંષ્ન્દ્રર્ને અંતમુવખ કરવી)

પાાંચમી ભતૂ્તમકામાાં આપણી પાંચેષ્ન્રય-સ્ટ્પર્શ, રસ, ગાંધ, રષ્ષ્ટ અને શ્રવણ દ્વારા આપણને જે સખુ કે દુુઃખની લાગણી ર્ાય છે િનેાર્ી વ્યક્ક્િએ ત્તવમખુ એટલે અંિમુશખ ર્વાની ટેવ પાડવી જોઈએ. આ માનત્તસક સમતલુા અંદરર્ી ઊઠિા અન ેઉપર આવિા ત્તવચારોના પ્રવાહને ધીરે ધીરે ધીમા પાડે છે. હવે મન કોઈ એક ત્તવચાર કે વસ્ટ્ત ુઉપર ધ્યાન કેષ્ન્રિ કરવા િૈયાર ર્ઈ જાય છે.

Page 115: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૩ જૈન આચાર

114 જૈન દર્શન અને આચારની સરળ સમજ

૬ - ધારણા (મનને અંદરના મવચાર ઉપર કેષ્ન્દ્રત કરવુ)ં છઠ્ઠા િબક્કામાાં વ્યક્ક્િએ મનન ેક્યાાં િો બહારની કોઈ વસ્ટ્ત ુપર કે અંદરના ત્તવચાર ઉપર કેષ્ન્રિ કરવુાં જોઈએ. ઘત્તનષ્ઠ પ્રયત્નો કરવા છિાાં મન એક વસ્ટ્ત ુપર ચોંટત ુજ નર્ી. આંિરરક સાંસ્ટ્કાર કે કમશના કારણર્ી ધ્યાનની ધારા તટૂી જાય છે. માટે વ્યક્ક્િએ ધારણા દ્વારા વારાંવાર પ્રયત્ન કરવો જેર્ી મન ત્તવચારશનૂ્ય ર્ત ુજરે્.

૭ - ધ્ર્ાન

ત્તવચાર શનૂ્યિાની ક્સ્ટ્ર્ત્તિ (ધારણા) સહજિાર્ી ધ્યાન િરફ દોરી જર્ે. આ સાિમી ભતૂ્તમકા છે. નક્કી કરેલ બહારની વસ્ટ્ત ુકે અંદરના ત્તવચાર િરફ ત્તવચારોના અતટૂ પ્રવાહન ેબદલે કોઈ એક ત્તવષયમાાં ભચિનુાં એકાગ્ર ર્વુાં.

૮ - સમામધ

આમ સિિ અભ્યાસ દ્વારા ધ્યાન સમાત્તધમાાં ફેરવાઈ જાય છે સમાત્તધમાાં વ્યક્ક્િ પોિાની જાિ પ્રત્ય ે િદ્દન જાગિૃ અને બાહ્ય સાંયોગોર્ી મકુ્િ બન ેછે. અને ધ્યાનની વસ્ટ્ત ુપણ રષ્ષ્ટ સામેર્ી જિી રહ ેછે. પણ િેનુાં ધ્યાન સમગ્ર ચેિના પર છવાઈ જાય છે. આત્માનુાં જ્ઞાન સાંપણૂશ બન ેછે.

આ અષ્ટાાંગ યોગ જીવનના આધ્યાજત્મક ધ્યયેન ેઅનસુરે છે. વ્યક્ક્િ આ યોગના અભ્યાસર્ી અમયાશદ સમય સધુી સ્ટ્ર્ાન કે દેહારદકના

Page 116: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૧૭ જૈન યોગ

જૈન દર્શન અને આચારની સરળ સમજ 115

સાંબાંધ રરહિ શદુ્ધ ચિેનાનો સાંવેદનાત્મક અનભુવ કરે છે. અષ્ટાાંગ યોગનાાં પહલેા પાાંચ િબક્કા મનને યોગ માટે િૈયાર કરવા માટે છે. છેલ્લી ત્રણ ભતૂ્તમકા ધ્યાનનુાં પરરણમન છે. ફલશ્રતુ્તિ છે.

રહતકારી અને અરહતકારી ધ્ર્ાન

મનને ત્તવત્તવધ જગાએ ફરત ુાં અટકાવી કોઈ એક જગાએ કેષ્ન્રિ કરવાની રક્રયાને ધ્યાન કહ ેછે. જો આ ધ્યાન સખિ ઉદ્વગેર્ી ર્યુાં હોય જેમ કે રાગ, દ્વષે, અણગમો, ત્તિરસ્ટ્કાર અને વેર કે ર્ત્રિુા જેવા અસદ્ભાવો અરહિકારી ધ્યાન છે જે છોડવા યોગ્ય છે.

બીજી બાજુ જો િે ધ્યાન સત્યની ર્ોધ માટે અને ભૌત્તિક સાધનો કે સાંબ ાંધો િરફના સાંપણૂશ વૈરાગ્યમાાંર્ી ઉદ્દભ્વ્ય ુ હોય િો િે રહિકારી છે. િે આધ્યાજત્મકિા અને મકુ્ક્િનુાં પે્રરક બને છે માટે સ્ટ્વીકારવા યોગ્ય છે. આચાયશ ઉમાસ્ટ્વાત્તિજી એ મનોવૈજ્ઞાત્તનક રીિે ધ્યાનના ચાર પ્રકારો આપ્યા છે.

આતવધ્ર્ાન

ભૌત્તિક સામગ્રીના ત્તનત્તમિે ર્િા ભાવો અને િેન ુભચિંિન િે દુુઃખદાયક છે. િે અરહિકારી ધ્યાન છે.

રૌદ્રધ્ર્ાન

િીવ્ર વેગવાળા કષાય કે રહિંસકભાવો અને િેન ુભચિંિન િે દુુઃખદાયક છે. િે અરહિકારી ધ્યાન છે.

ધમવ ધ્ર્ાન ધમાશનરુક્િ કે શભુ ધ્યાનને ધમશ ધ્યાન કહ ેછે. િે રહિકારી ધ્યાન છે.

શકુ્તલ ધ્ર્ાન આધ્યાજત્મક કે શદુ્ધ ધ્યાનને શકુલ ધ્યાન કહ ેછે. િે રહિકારી ધ્યાન છે.

દુુઃખ કે ગસુ્ટ્સાયકુ્િ ધ્યાન અશભુ અને અરહિકારી ધ્યાન છે જે આત્માને સાંસારમાાં રઝળાવે છે પરરણામે િે અસાંખ્ય જન્મ મરણ કરે છે. ધાત્તમિક વતૃ્તિવાળ - ધમશધ્યાન શભુ પ્રકારનુાં રહિકારી ધ્યાન છે. આત્માને ઘણી ઊંચી

Page 117: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-૩ જૈન આચાર

116 જૈન દર્શન અને આચારની સરળ સમજ

કક્ષાએ લાવે છે. આધ્યાજત્મક ત્તવકાસ ર્ાય ત્યારે શકુ્લધ્યાન ઉદ્દભ્વે છે. જે આખરે આત્માની મકુ્ક્િ કે ત્તનવાશણનુાં કારણ બને છે.

સારારં્

અસીમ અને પરમ સખુ િર્ા મકુ્ક્િદાયક સત્યના ધ્યેયની પ્રત્તિષ્ઠા કરવી એ આધ્યાજત્મક જીવનનુાં મળૂ સ્ટ્વરૂપ છે. િે પારમાત્તર્િક યોગ દ્વારા ર્ક્ય છે.

યોગનો અભ્યાસ કરવા વ્યક્ક્િએ ભગવાનને ર્ોધવાની જરૂર નર્ી. વ્યક્ક્િને પોિાને કમશબ ાંધમાાંર્ી મકુ્િ ર્િાાં જે રોકે છે િે બાંધનમાાંર્ી છૂટવાની િીવ્ર ઈચ્છા હોવી જોઈએ. એક વખિ આ બાંધન છૂટી ગયુાં પછી િે પોિાની સાચી કાયશક્ષમિા, િેનુાં સાચુાં સ્ટ્વરૂપ અને પોિાની અંદરના આત્મા-ભગવાનને સ્ટ્પષ્ટપણે જાણી ર્કે છે.

ચારે પ્રકારના યોગ; ભરકિયોગ, જ્ઞાનયોગ, કમશયોગ અને અષ્ટાાંગયોગ માનવ વ્યક્ક્િત્વના બધા સાંસ્ટ્કારોને સમાવી લે છે. માનવ સ્ટ્વભાવમાાં પે્રમ,

જ્ઞાન અને રક્રયા આ ત્રણ દૈવી રક્રયાર્ક્ક્િ રહલેી છે. જે ત્રણ યોગો; ભક્ક્િ યોગ, જ્ઞાન યોગ અને કમશયોગ મન અર્વા હૃદયની સાંકલ્પર્ક્ક્િનો ર્રૂઆિમાાં ઉપયોગ કરીને ધ્યાન િરફ લાવે છે. જ્યારે અષ્ટાાંગ યોગ ર્રીરારદને સાંયમર્ી ધ્યાન િરફ લાવે છે.

જૈન ધમશ અને બૌદ્ધ ધમશ બ ાંને મોક્ષપ્રપ્પ્િ માટે જ્ઞાનમાગશને મખુ્ય માગશ િરીકે સ્ટ્વીકારે છે. િેમ છિા આપણા ધમશ ગ્રાંર્ોમા બીજા બધા યોગને ઘણુાં જ મહત્વ આપેલ છે. જૈન આગમ સારહત્યમાાં એમ કહવેાયુાં છે કે અગભણિ પ્રકારના જુદા જુદા યોગ દ્વારા મકુ્ક્િ પ્રાપ્િ કરી ર્કાય છે. વાસ્ટ્િવમાાં િીર્ુંકરોએ બિાવેલા માગશદર્શન પ્રમાણે અને સાંપણૂશ આત્મજાગતૃ્તિ સારે્ કરવામાાં આવિો યોગ અર્વા રક્રયા પારમાત્તર્િક છે.

યોગનાાં આ ચાર માગો દ્વારા વ્યક્ક્િ અંદરના આત્માની અનભુતૂ્તિ કરી ર્કે છે અને સાંપણૂશ મકુ્ક્િ પ્રાપ્િ ર્ાય છે. અંત્તિમ મકુ્ક્િની અવસ્ટ્ર્ાએ બધા માગો એક ર્ઈ જાય છે. એટલે કે બધા મકુ્ક્િ પામેલા આત્માઓના આધ્યાજત્મક ગણુો અને લાક્ષભણકિાઓ સરખી જ હોય છે.

Page 118: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-4 જૈન સાંપ્રદાયો અને ધમશગ્રાંર્ો

જૈન દર્શન અને આચારની સરળ સમજ 117

મવભાગ-4

જૈન સપં્રદાર્ો અને ધમવગ્રથંો

Page 119: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-4 જૈન સાંપ્રદાયો અને ધમશગ્રાંર્ો

118 જૈન દર્શન અને આચારની સરળ સમજ

૧૮. જૈન મરંદરો જૈન માંરદરો ભક્ક્િ અને ધ્યાનનુાં પત્તવત્ર સ્ટ્ર્ળ છે. જ્યાાં વ્યક્ક્િ સાંપણૂશ ર્ાાંત્તિ અને અમાપ સ્ટ્વસ્ટ્ર્િાનો અનભુવ કરે છે. આપણા આત્મા અને િેના સ્ટ્વભાવને જાણવા-જોવા માટેની એ સુાંદર-ર્ાાંિ અને સ્ટ્વસ્ટ્ર્ જગ્યા છે. માંરદરમાાં બેસી ધ્યાનર્ી ભક્ક્િ કરવાર્ી આત્મત્તનરીક્ષણ કરી ર્કાય છે અને ઘરે ગયા પછી પણ આપણામાાં એ પરમાત્માનો અંર્ છે એવો ભાવ ર્યા કરે છે. િેર્ી દરેકે

અંિરાત્માની શદુ્ધદ્ધનો માગશ અનસુરવો જોઈએ કે જે આપણને ક્રોધ, માન,

માયા અને લોભર્ી મકુ્િ કરે છે.

શ્વિેાાંબર અને રદગાંબર બાંને સાંપ્રદાયનો જનસમદુાય મહદ્ અંરે્ મતૂ્તિિ સ્ટ્ર્ાપન કરેલા માંરદરમાાં જાય છે અને ભક્ક્િ અને ધ્યાન કરે છે. મખુ્યત્વે બે પ્રકારની મતૂ્તિિઓ જૈન માંરદરમાાં જોવા મળે છે.

રદગબંર અને િેતાબંર મમૂતિઓ

રદગાંબર સાંપ્રદાયની મતૂ્તિિની આંખો અધશ બીડેલી હોય છે. જે ધ્યાનનુાં પ્રિીક છે જ્યારે શ્વિેાાંબર સાંપ્રદાયમાાં આંખો આખી ખોલેલી હોય છે. જે ઉપદેર્ આપિા િીર્શકરનુાં પ્રિીક છે.

રદગાંબરો મતૂ્તિિને ર્ણગાર (આંગી) કરિા નર્ી પણ િેના સહજ સ્ટ્વરૂપમાાં જ રાખે છે. શ્વેિાાંબરો મતૂ્તિિને ઠાઠમાઠર્ી ર્ણગારે છે. એ સચૂવે છે કે િીર્ુંકરો રાજા હિા. રજવાડી ધન હત ુાં છિાાં એ ભૌત્તિક સાંપત્તિમાાં સખુ ર્ોધી ર્ક્યા નહીં. િેમણે સમાજના લાભ માટે આ બધી સાંપત્તિનો ત્યાગ કયો અને સાંપણૂશ અપરરગ્રહનો સાંકલ્પ કયો.

Page 120: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૧૮ જૈન માંરદરો

જૈન દર્શન અને આચારની સરળ સમજ 119

િીર્ુંકરની મતૂ્તિિ ઊંડા ધ્યાનમાાં હોય િેવી ક્યાાં િો પદ્માસનમાાં બેઠેલી હોય અર્વા સીધી ઊભી હોય િેવી હોય છે. િેમના મખુ અને આંખોમાાંર્ી કરૂણા અને અંદરની ર્ાાંત્તિ ભક્િો પર વરસિી અનભુવાય છે. આ મતૂ્તિિ િીર્ુંકરોના ર્રીરનુાં નહીં પણ િેમના અંદરના ગણુોનુાં પ્રત્તિત્તનત્તધત્વ કરે છે. િેર્ી બધાાં િીર્ુંકરોની મતૂ્તિિઓ એક સરખી છે.

બાંને રદગાંબર અને શ્વેિાાંબરના જૈન માંરદરો િેમના ઝીણવટભયાશ સ્ટ્ર્ાપત્ય અને અજોડ કલાને લીધે પ્રખ્યાિ છે. દરેક િીર્ુંકરને િેમનુાં આગવુાં પ્રિીક કે લાાંછન હોય છે કે જે બીજા િીર્ુંકરર્ી િેમને જુદા પાડે છે. આ લાાંછન મતૂ્તિિના નીચેના ભાગમાાં હોય છે.

માંરદરમાાં દાખલ ર્િાાં પહલેાાં દરેકે પોિાના પગરખાાં ઉિારી દેવા પડે છે. ત્યાાં કાંઈ પણ ખાવાનુાં, પીવાનુાં કે ચ્યુાંઈંગમ ખાવાની કે દોડાદોડી કરવાની, બમૂો પાડવી, વાિો કરવી કે સાાંસારરક વાિો ચચશવાની મનાઈ હોય છે.

માંરદરમાાં દાખલ ર્િી વખિે “ત્તનક્સ્ટ્સહી” એવુાં બોલવામાાં આવે છે. એટલે કે મનના કુત્તવચારો અને સાંસારની વાિો બહાર મકૂી દો. એટલે કે મન, વચન અને કાયશર્ી સાાંસારરક સાંબ ાંધો, વળગણ બધ ુબહાર છે. આપણા ક્રોધ, માન,

માયા લોભ જેવા કષાયો આપણે બહાર છોડીને આવ્યા છીએ એવો ગભભિિ અર્શ ર્ાય છે.

દેરાસરના ભાંડારમાાં મકેૂલા પૈસા એ ગપુ્િદાન છે અને આપણે હાંમેર્ા ગપુ્િદાન કરવુાં જોઇએ એ પે્રરણા આપે છે.

મરંદરના નૈવેદ્ય અંગેના સચૂનો ધાત્તમિક રક્રયા વખિે અપશણ કરાિી વસ્ટ્તઓુમાાં અરહિંસાનુાં ત્તવવેક પવૂશક પાલન કરવુાં જોઈએ. સ્ટ્ર્ળ, સમય અને સાંજોગોને ધ્યાનમાાં રાખીને ધમશનો આચાર કરવો.

જૂના સમયમાાં ગાય, વાછરડાાં કે બીજા પ્રાણીઓના દૂધ અને િેની બનાવટનો ઉપયોગ ધાત્તમિક રક્રયાઓમાાં ર્િો હિો કારણ કે િેઓ ગાયને કૌટુાંભબક સભ્ય િરીકે ગણીને િે પાળિા હિા. િે કાળે પ્રાયુઃ આ પ્રર્ામાાં ઘણી જ ત્તનદોષિા

Page 121: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-4 જૈન સાંપ્રદાયો અને ધમશગ્રાંર્ો

120 જૈન દર્શન અને આચારની સરળ સમજ

હિી. પરાંત ુ વિશમાન કાળમાાં વૈજ્ઞાત્તનક પ્રગત્તિર્ી દૂધ, ઘી આરદમાાં ઘણી ત્તવકૃત્તિઓ િેમ જ ભયાંકર રહિંસા દાખલ ર્ઈ છે.

દૂધ આપિી ગાય પ્રજનન ક્ષમ હોય ત્યાાં સધુી સિિ િેને સગભાશ રખાય છે.

પાાંચ વષશ પછી ગાય દૂધનુાં ઉત્પાદન ઘટાડી દે છે એટલે િેને કિલખાને મોકલી દેવાય છે. જ્યારે ગાયોનુાં સામાન્ય આયષુ્ય ૨૦ વષશ જેટલુાં હોય છે. ૯૦% ર્ી વધારે બળદ વાછરડાને જન્મિાની સારે્ અર્વા ૬ મરહનામાાં િેઓની કિલ કરવામાાં આવે છે.

િેર્ી આપણે પજૂા વખિે દૂધ કે મીઠાઈનો અને દીવા માટે ઘીનો ઉપયોગ કરવો નહીં. કારણ કે અત્યારની બધી ડેરી ઉત્પાદક ચીજો ગાયોને અને બીજા પ્રાણીઓને ખબુ જ ત્રાસ અને પીડા આપીને બનાવાિી હોય છે.

પજૂા કરિી વખિે પક્ષાલમાાં પણ દૂધ પાણીનો ભેગો પક્ષાલ કરવાને બદલે ચોખ્ખા પાણીનો ઉપયોગ કરવો જોઈએ. અર્વા િેમાાં બદામનુાં દૂધ ભેગ ુકરવુાં જોઇએ મીઠાઈની જગાએ સકૂો મેવો અને ઘીની જગાએ રદવેલના દીવા કરવા જોઈએ. લગભગ ૧૦૦ વષશ પહલેાાં બધા જૈન માંરદરોમાાં રદવેલના દીવા ર્િા હિા.

વળી મતૂ્તિિની આંગી માટે વરખનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે વરખને બનાવવા માટે ગાયના આંિરડાનો ઉપયોગ કરવામાાં આવે છે. ઉપરાાંિ મોિી, સીલ્ક, ફર અને ચામડાનો પહરેવેર્માાં ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે િે બધુાં ઑઇસ્ટ્ટર, કોરે્ટા અને પ્રાણીઓને મારીને મેળવવામાાં આવે છે. ઉપકરણ જેમકે કટાસણામાાં વપરાિા ઊનના બદલે કોટનના કટાસણા વાપરવા. આ રીિે આપણે જો ધાત્તમિક રક્રયામાાં ફેરફાર કરીશુાં િો જ આપણે અરહિંસા નુાં સાચા અર્શ માાં ત્તવવેક પવૂશક પાલન કયુશ કહવેારે્.

Page 122: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૧૯. જૈન પ્રિીકો

જૈન દર્શન અને આચારની સરળ સમજ 121

૧૯. જૈન પ્રતીકો

Fig 1 Fig 2 Fig 3

હાથનો પજંો (ણચત્ર ૧) હાર્માાં ચક્ર સારે્ના પાંજાનુાં પ્રિીક અરહિંસાને રજૂ કરત ુાં જૈન પ્રિીક છે. હાર્ના પાંજાનુાં પ્રિીક “ભયભીિ ર્ર્ો નહીં” નો આત્મત્તવશ્વાસ આપે છે. જેઓ કમશના ઉદયર્ી પીડાિા હોય િેવા માનવ માત્રને નાસીપાસ ન ર્વાનુાં સચૂવે છે. અરહિંસા એ ૨૪ િીર્ુંકરોએ આપેલા બોધનુાં પ્રિીક છે. જે અરહિંસા, કરુણા, અનેકાન્િવાદ, અપરરગ્રહ અને જીવમાત્રમાાં સમાન આત્મા છે એવુાં સચૂવે છે.

વ્ર્ાપક અવકાર્વાળા ચૌદ રાજલોક (ણચત્ર ૨ અને ૩) ત્તવર્ાળ અવકાર્વાળા જૈન પ્રિીકની અંદર બીજા પ્રત્તિકો સમાવી લેવામા આવ્યા છે; બીજનો ચાંર, ત્રણ ટપકાાં સાત્તર્યો અર્વા ઓમ, હાર્નો પાંજો અને આ બધા પ્રિીકોને આવરી લેિી આકૃત્તિ જેને લોકાકાર્ કહ ેછે.

Page 123: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-4 જૈન સાંપ્રદાયો અને ધમશગ્રાંર્ો

122 જૈન દર્શન અને આચારની સરળ સમજ

ત્રણ ટપકા ંમકુ્ક્િનો માગશ (રત્નત્રયી) - સાચીશ્રદ્ધા (સમ્યગ ્દર્શન) સાચુાં જ્ઞાન (સમ્યગ ્જ્ઞાન) અને શદુ્ધ ચારરત્ર (સમ્યક્ ચારરત્ર) જે ત્રણેયન ુએક સારે્ આચરણ કરવાર્ી (રત્નત્રય) િે માગશ આપણને મકુ્ક્િ િરફ લઈ જાય છે.

બીજનો ચદં્ર મોક્ષના પ્રદેર્નુાં પ્રિીક છે. આ પ્રદેર્ લોકાકાર્ની સૌર્ી ઉપર છે. જ્યાાં ત્તસદ્ધ આત્માઓ વસે છે.

સામથર્ો સાત્તર્યો એ જૈન ધમશનુાં પત્તવત્ર પ્રિીક છે. િેની ચાર બાજુઓ આત્માની ચાર ગત્તિ સચૂવે છે. દેવગત્તિ, મનષુ્યગત્તિ, ત્તિયુંચગત્તિ (પશ,ુ પક્ષી, માછલી અને બધા એકેષ્ન્રય જીવો; જેમ કે વનસ્ટ્પત્તિ, હવા, અક્ગ્ન પાણી અને પથૃ્વી). અને નારકી જીવો એ સચૂવે છે. આ દુન્યવી જીવો જન્મ, દુુઃખ અને મતૃ્યનુા ચાર ગત્તિના ચકરાવામાાં સિિ ફરે છે. િેર્ી દરેકે સાચા ધમશને અનસુરી જન્મ-મરણના દુુઃખમાાંર્ી મકુ્ક્િ મેળવવી જોઈએ.

ઓમ

ઓમનુાં પ્રિીક એ પાાંચ અક્ષરોનુાં બનેલુાં છે. અ, અ, આ, ઉ અને મ

પ્રર્મ અક્ષર “અ” એટલે અરરહાંિ. અરરહાંિ એટલે જેમણે આત્માને ઓળખ્યો અને ઉત્કટ મનોત્તવકાર સામે લડયા. િેમણે ચાર ઘાિી કમોનો નાર્ કયો અને ધમશની આચાર સાંરહિા સ્ટ્ર્ાપી. અરરહાંિના બીજા નામો; િીર્ુંકર, જીન,અહશિ છે.

બીજો અક્ષર “અ” એટલે અર્રીરી. અર્રીરી એટલે પૌદ્ગભલક દેહ અને કમશના બાંધન વગરનો આત્મા, મકુ્િ આત્મા અર્વા ત્તસદ્ધ અર્વા શદુ્ધ અક્સ્ટ્િત્વ.

ત્રીજો અક્ષર “આ” એટલે આચાયશ, આચાયશ એટલે સાધ ુજેઓ સાંઘના વડા છે.

ચોર્ો અક્ષર “ઉ” એટલે ઉપાધ્યાય. ઉપાધ્યાય એટલે ધમશગરુુ જેઓ જ્ઞાની છે અને બીજાઓને જ્ઞાન આપવાનુાં અને ભણાવવાનુાં કામ કરે છે.

Page 124: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૧૯. જૈન પ્રિીકો

જૈન દર્શન અને આચારની સરળ સમજ 123

પાાંચમો અક્ષર “મ” એટલે મતુ્તન. મતુ્તન એટલે બધા સાધ-ુસાધ્વી જે પાાંચ મહાવ્રિોનુાં પાલન કરે છે.

આમ જૈનધમશમાાં “ઓમ” ર્બ્દ દ્વારા પાાંચ ત્તવત્તર્ષ્ટ વ્યક્ક્િઓને આદરભાવે નમન કરાય છે. ઓમ એ જૈનધમશની પત્તવત્ર પ્રાર્શના - નમસ્ટ્કાર માંગલસતુ્રનુાં સ ાંભક્ષપ્િ રૂપ છે.

લોકાકાર્

બાહ્ય આકૃત્તિ કમર પર હાર્ મકૂી ઊભા રહલેા માણસ જેવી લાગે છે. જે જૈન માન્યિા પ્રમાણે આ સષૃ્ષ્ટનો આકાર (લોકાકાર્) સચૂવે છે. પ્રિીકની નીચેન ુાં લખાણ “પરસ્ટ્પરોપગ્રહો જીવાનામ”્ એટલે “જીવ માત્રનો પરસ્ટ્પર ઉપકાર” કરવો. (સેવા કરવી). જે દયામય જીવનની જૈન ભાવના રજૂ કરે છે.

ટૂાંકમાાં આખુાં પ્રિીક સચૂવે છે કે સ્ટ્વગશ, નકશ અને ધરિી પરના સવશ જીવો એક ગત્તિમાાંર્ી બીજી ગત્તિમાાં જવાનુાં દુુઃખ ભોગવે છે. િેઓ ધમશમાાં શદુ્ધ જ્ઞાન,

પણૂશ શ્રદ્ધા અને શદુ્ધ ચારરત્ર જે િીર્ુંકરોએ બિાવ્યા છે િેને અનસુરે, િો પત્તવત્રિાની સારે્ પણૂશ અવસ્ટ્ર્ા પ્રાપ્િ ર્રે્ અને પછી િેઓ ર્ાશ્વિકાળ સધુી મોક્ષનુાં સખુ ભોગવરે્.

જૈન સમાજે મહાવીરના ત્તનવાશણના ૨૫૦૦ વષે ૧૯૭૪ માાં (ભચત્ર ૨) એ પ્રિીક સ્ટ્વીકાયુું. અમેરરકાની જૈના ફેડરેર્ને (જૈન માંડળો નુાં સ ાંગઠન) આકૃત્તિ નાં. ૩ પ્રમાણે સાત્તર્યાની જગાએ ઓમ રાખ્યો કારણ કે પત્તિમી દેર્ોમાાં સ્ટ્વક્સ્ટ્િક ધાત્તમિક પ્રિીક િરીકે જોવામાાં આવતુાં નર્ી.

જૈન ધમશમાાં આ દરેક પ્રિીકો અલગ અલગ રીિે પણ વપરાય છે.

Page 125: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-4 જૈન સાંપ્રદાયો અને ધમશગ્રાંર્ો

124 જૈન દર્શન અને આચારની સરળ સમજ

૨૦. ધામમિક તહવેારો ધાત્તમિક િહવેારો િીર્ુંકરોના જીવનની નોંધપાત્ર ઘટનાઓને ઉજવીને મનાવાય છે. દરેક િીર્ુંકર ના જીવનની પાાંચ મખુ્ય ઘટનાઓ; ચ્યવન,

જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન, અને ત્તનવાશણ આવા િહવેારો માાં ઉજવાય છે. ધાત્તમિક િહવેારો ચાંરની ક્સ્ટ્ર્ત્તિ ઉપરર્ી બનેલા પાંચાાંગ પર આધારરિ હોય છે (એક વષશના આર્રે ૩૫૪ રદવસ).

જૈન સમાજ આ પ્રસાંગોના િપ કરીને, પત્તવત્ર સતુ્રો બોલીને, ધાત્તમિક વ્યાખ્યાનો સાાંભળીને, ર્સ્ત્રોનો અભ્યાસ કરીને, મનને કાબમૂાાં રાખવા ર્પર્ લઈને અને કરુણા અને ધ્યાનની પ્રવતૃ્તિ કરીને આ િહવેારો ઉજવે છે.

મખુ્ય ધાત્તમિક િહવેારો આ પ્રમાણે છે.

પયુવષણ અને દર્લક્ષણા પવવ આ વષશના સૌર્ી પત્તવત્ર રદવસો ગણવામાાં આવે છે. જેમાાં આઠ કે દસ રદવસના ઉપવાસ, ત્તવત્તવધ પ્રકારના રક્રયાકમશ, જૈન ત્તસદ્ધાાંિોની સમાલોચના અને જીવમાત્રને ક્ષમાપનાની પ્રાર્શના કરવામાાં આવે છે. આ િહવેાર લગભગ ઑગસ્ટ્ટ-સપ્ટેમ્બરમાાં આવે છે. અંિમાાં આત્મભચિંિન દ્વારા બીજાને ક્ષમા આપીને અને બીજા પાસે ક્ષમા યાચીને અને જાણિાાં કે અજાણિાાં મન વચન,

કાયાર્ી કોઈને પણ દુુઃખ પહોંચાડ્ુાં હોય િો ક્ષમા માાંગીને િેનુાં સમાપન ર્ાય છે.

મહાવીર જન્મ કલ્ર્ાણક (જર્તંી) પવવ લગભગ માચશ કે એત્તપ્રલ મરહનામાાં ભગવાન મહાવીરનો જન્મ રદવસ ઉજવાય છે. જુદા જુદા ઉત્સવો અને સાાંસ્ટ્કૃત્તિક કાયશક્રમો કરીને આ રદવસ ઉજવાય છે. મોટે ભાગે આખો રદવસ સાાંસ્ટ્કૃત્તિક પ્રવતૃ્તિઓમાાં જાય છે.

અક્ષર્ તતૃીર્ા (વષીતપ પારણા) પ્રર્મ િીર્ુંકર ઋષભદેવ ભગવાનની યાદમાાં આ રદવસે આખા વષશના એકાાંિર રદવસે કરેલા ઉપવાસ િપના પારણાાં કરવામાાં આવે છે. જૈનો આ પારણુાં રે્રડીનો રસ પીને કરે છે.

Page 126: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૨૦ ધાત્તમિક િહવેારો

જૈન દર્શન અને આચારની સરળ સમજ 125

દીપાવલી (રદવાળી) આ રદવસે મહાવીર ભગવાને મકુ્ક્િ મેળવી જે મહાવીર ત્તનવાશણ રદવસ િરીકે ઓળખાય છે અને વષશ નો અંત્તિમ રદવસ ગણાય છે.

જ્ઞાન પચંમી (કામતિકી સદુ પાચંમ) આ રદવસ જ્ઞાન રદવસ િરીકે ઓળખાય છે. જુદા જુદા ધમશસ્ટ્ર્ળોએ ધમશગ્રાંર્ો ગોઠવવામાાં આવે છે. લોકો આ સ્ટ્ર્ળોએ જઈ ધમશગ્રાંર્ોની પજૂા કરે છે અને જ્ઞાનની આરાધના કરે છે.

મૌન એકાદર્ી (અણગર્ારર્) આખા વષશનો આ સૌર્ી ધમશત્તનષ્ઠ પત્તવત્ર રદવસ છે. આ રદવસે જુદા જુદા પાાંચ િીર્ુંકરોના જીવનમાાં નોંધપાત્ર ઘટનાઓ એટલે કે કલ્યાણકો ર્યેલ છે. િે રદવસે િીર્ુંકરોના જન્મ, િેમનો બોધ અને ત્તનવાશણના ભક્ક્િસભર પ્રસાંગોના ગણુો નુાં ધ્યાન કરાય છે. આ મૌનનો રદવસ છે અને ઘણા લોકો ઉપાશ્રયમાાં રહીને સાધ ુજેવુાં જીવન જીવે છે. િેને પૌષધ વ્રિ કહવેાય છે.

જૈન શભેુચ્છ્છાઓ

જર્ જજનેન્દ્ર

જ્યારે આપણે બીજા જૈનને મળીએ ત્યારે આવકાર આપિા “જય જજનેન્ર”ર્ી અભભવાદન કરીએ છીએ એટલે કે સવોપરી જૈન (િીર્ુંકર) ને પ્રણામ કરીએ છીએ. િેનો અર્શ એટલે કે િમારા શધુ્ધ આત્માને હુાં પ્રણામ કરુાં છાં. શધુ્ધ આત્માને જૈનો ભગવાન ગણે છે.

મમચ્છ્છામમ દુક્કડમ ્

મારા દુષ્કૃત્યો ત્તમથ્યા ર્ાઓ. ત્તમચ્છાત્તમ દુક્કડમ ્એ ક્ષમા માગવા માટે બોલાિા ર્બ્દો છે. જે ક્ષમાપનાના રદવસે - સાંવત્સરી પ્રત્તિક્રમણ વખિે આખા વષશ દરમ્યાન જાણિાાં-અજાણિાાં, મન, વચન, કાયાર્ી કોઈ દુુઃખ પહોંચાડ્ુાં હોય િેની ક્ષમા માંગાય છે અને આપણે બીજાને ક્ષમા આપીએ છીએ. ખરેખર િો જેવી આપણી ભલૂ ર્ઈ છે િેવી ખબર પડે કે િરિ જ માફી માગવી જોઈએ.

Page 127: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-4 જૈન સાંપ્રદાયો અને ધમશગ્રાંર્ો

126 જૈન દર્શન અને આચારની સરળ સમજ

૨૧. મખુ્ર્ સપં્રદાર્ો ગરીબ અને િવાંગર, રાજા અને પ્રજા, પરુુષ અને સ્ત્રી, પરુોરહિ કે પજૂારી, છૂિ-અછૂિ સવશ કોમ અને કક્ષાના લોકો ભગવાન મહાવીરના પાંર્માાં જોડાયા હિા. ભગવાન મહાવીરે સ્ટ્પષ્ટ પણે જાહરે કરેલ કે આધ્યાજત્મક ઉન્નત્તિના માગે દરેક પરુુષ અને સ્ત્રી સમાન છે અને દરેક વ્યક્ક્િ ઊંચ િર્ા નીંચના ભેદ વગરની છે. ઘણી સ્ત્રીઓ ભગવાન મહાવીરના પાંર્ને અનસુરી સાંસાર છોડી અનાંિ સત્ય અને ર્ાશ્વિ સખુની ર્ોધમાાં નીકળી પડી. જૈન ધમશનુાં નોંધપાત્ર યોગદાન જો કોઈ હોય િો િે સમાજનાાં ચારે વગોમાાં વણશભેદ દૂર કરી સમાનિા સ્ટ્ર્ાપી. બ્રાહ્ણ, ક્ષત્તત્રય, વૈશ્ય અને શરૂ ઉપરાાંિ સમાજનાાં અછૂિોને પણ િેમણે સમાન ગણ્યા.

ભગવાન મહાવીરે િેમના અનયુાયીઓને ચાર ગ્રપુમાાં ગોઠવ્યા. સાધ,ુ સાધ્વી, શ્રાવક અને શ્રાત્તવકા. આ સામાજજક વગશ જૈન ચતતુ્તવિધ સાંઘર્ી ઓળખાયો. ચોમાસાના ચાર મરહના બાદ કરિાાં સાધ-ુસાધ્વીઓ એક જ સ્ટ્ર્ળે ૩૦ રદવસર્ી વધારે રદવસ રહિેા નર્ી. િેઓ ઉઘાડા પગે એક જગાએર્ી બીજી જગાએ જિાાં, વાહન-વ્યવહારનો ઉપયોગ કરિાાં નર્ી. સાધ ુમતુ્તનઓ સ્ત્રીઓને િેમજ સાધ્વીઓ ને સ્ટ્પર્શ કરિાાં નર્ી એજ પ્રમાણે સાધ્વીઓ પણ સાધઓુને કે પરુુષોને સ્ટ્પર્શ કરિા નર્ી અને સાધ ુિેમજ સાધ્વીઓ રાત્તત્રભોજન ત્યાગ કરેછે.

ભગવાન મહાવીરના ત્તનવાશણ પછી ર્ોડી સદીઓમાાં બે મખુ્ય સાંપ્રદાયની સ્ટ્ર્ાપના ર્ઈ. રદગાંબર અને શ્વેિાાંબર.

િેતાબંર સપં્રદાર્

સાધ ુઅને સાધ્વી સફેદ કપડા પહરેે છે. િેઓ સવારની ગોચરી અને સાાંજની ગોચરી (જમણ) માટે ઘણાાં ઘરોમાાં ફરી દરેક ઘેરર્ી ર્ોડી ગોચરી લેવાનુાં સ્ટ્વીકારી ઉપાશ્રયમાાં વાપરે છે. સમય જિાાં િેઓ ત્રણ મખુ્ય સાંપ્રદાયમાાં ત્તવભાજજિ ર્યા.

Page 128: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૨૧ મખુ્ય સાંપ્રદાયો

જૈન દર્શન અને આચારની સરળ સમજ 127

િેતાબંર મમૂતિપજૂક

િેઓ માંરદરમાાં િીર્ુંકરની મતૂ્તિિની સ્ટ્ર્ાપના કરી િેની પજૂા કરે છે. ભક્ક્િ કરે છે. િેઓ માંરદરમાગી િરીકે પણ જાણીિા છે.

સ્થાનકવાસી - મમૂતિપાૂમા ંન માનનારા મતૂ્તિિપજૂાનો ત્તવરોધ કરનાર સાંપ્રદાય શ્વિેાાંબર મતૂ્તિિપજૂક સાંપ્રદાયમાાંર્ી છૂટો પડયો. આ સાંપ્રદાય આર્રે ઈ. ૧૪૫૦ માાં લોકાર્ાહ નામના સાંસારી ત્તવદ્વાન ેસ્ટ્ર્ાપ્યો.

તેરાપથંી - મમૂતિપાૂમા ંન માનનારા મતૂ્તિિપજૂામાાં ન માનનારા સ્ટ્ર્ાનકવાસી સાંપ્રદાયમાાંર્ી બીજો િેરાપાંર્ી સાંપ્રદાય છૂટો પડયો. જેમણે દયા અને દાનનુાં અર્શઘટન જુદુાં કયુું. આર્રે ઈ. ૧૬૦૦માાં આચાયશ ભભક્ષએુ આ સાંપ્રદાયની સ્ટ્ર્ાપના કરી.

રદગબંર સપં્રદાર્

રદગાંબર સાધ ુ કોઈ જ વસ્ત્ર ધારણ કરિા નર્ી. િેઓ જેમના ઘરે ભભક્ષા માટે જાય ત્યાાં જ એક જ વખિ જમે છે. િેઓ હાર્માાં જ ખાવાનુાં લ ે(વ્હોરે) છે અને ઊભા ઊભા જ ખાઈ લે છે. રદગાંબર સાધ્વીઓ યોગ્ય (જરૂરી) કપડાાં પહરેે છે. રદગાંબર સાંપ્રદાય બીજા ત્રણ પેટા સાંપ્રદાયમાાં ત્તવભાજજિ ર્યો છે.

બીસ પથં - મમૂતિપજૂક સપં્રદાર્

િેઓ િીર્ુંકરની પ્રત્તિમા માંરદરમાાં સ્ટ્ર્ાપી પજૂે છે. ભટ્ટારક આ માંરદરના માભલક અને વ્યવસ્ટ્ર્ાપક ગણાય છે. જેઓ જુદી જુદી ધાત્તમિક ત્તવત્તધઓ કરે છે. િેઓ લાલ કપડાાં પહરેે છે. િેઓ માંરદરમાાં જ રહ ેછે અને વાહનોનો ઉપયોગ પણ કરે છે. િેઓ બ્રહ્ચયશનુાં પાલન કરે છે અને એક જ વખિ જમે છે.

Page 129: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-4 જૈન સાંપ્રદાયો અને ધમશગ્રાંર્ો

128 જૈન દર્શન અને આચારની સરળ સમજ

તેરહ પથં - મમૂતિપજૂક સપં્રદાર્

િેઓ પણ માંરદરમાાં િીર્ુંકરની પજૂા કરે છે, પણ િેઓ ભટ્ટારકની સિાને કે અત્તધકારને સ્ટ્વીકારિા નર્ી. બનારસીદાસ આ સાંપ્રદાયના સ્ટ્ર્ાપક છે. િેઓ માંરદરમાાં ફૂલો કે ફળો જેવા જીવાંિ રવ્ય ધરાવિા નર્ી.

તારણ પથં - મમૂતિપાૂમા ંન માનનારા િેઓ મતૂ્તિિપજૂામાાં માનિા નર્ી. િરણ િારણ સ્ટ્વામી આ પાંર્ના સ્ટ્ર્ાપક છે.

ઉપરના દરેક સાંપ્રદાયમાાં બીજા ઘણા પેટા ત્તવભાગો કે પાંર્ છે.

રદગબંર અને િેતાબંર સપં્રદાર્ વચ્છ્ચેનો ભેદ

રદગાંબર સાંપ્રદાય માને છે કે આગમ સતૂ્રો (મળૂ જૈન ધાત્તમિક ગ્રાંર્ો) મહાવીરના ત્તનવાશણ પછી લગભગ એક હજાર વષશ પછી પહલેી વાર ગ્રાંર્સ્ટ્ર્ ર્યા િે પ્રમાણભિૂ નર્ી. જ્યારે શ્વેિાાંબર સાંપ્રદાય િેને પ્રમાણભિૂ ધમશગ્રાંર્ો માને છે.

રદગાંબર ત્તવદ્વાન આચાયો જે ઈ.સ. ૧૦૦ ર્ી ૧૦૦૦ ની વચ્ચે ર્ઈ ગયા, િેમણે જે જૈન સારહત્યનુાં સ ાંકલન કયુું િે પસુ્ટ્િકો ને પ્રમાણ ભિૂ ધમશ ગ્રાંર્ો રદગાંબર સાંપ્રદાય સ્ટ્વીકારે છે.

રદગાંબર પરુુષ સાધઓુ વસ્ત્ર ધારણ કરિા નર્ી, જ્યારે શ્વિેાાંબરના બધા જ સાધઓુ વસ્ત્ર ધારણ કરે છે.

રદગાંબર માને છે કે સ્ત્રીઓ મકુ્ક્િ મેળવી ર્કે નહીં. કારણ કે િેઓ પાાંચમાાં મહાવ્રિ અપરરગ્રહનુાં (વસ્ત્રો નરહ રાખવાન)ુપણૂશ પાલન કરી ર્કે નહીં. શ્વિેાાંબરો માને છે કે ઓછામાાં ઓછા કપડાાં જે ર્રીરને ઢાાંકે િે પરરગ્રહ નર્ી િેર્ી સ્ત્રીઓ મકુ્ક્િ મેળવી ર્કે છે.

રદગાંબર માંરદરોમાાં િીર્ુંકર પ્રભનુી મતૂ્તિિ કોઈપણ ર્ણગાર કે આંગી વગરની સહજ હોય છે. િેમની આંખો ધ્યાનમાાં બેઠા હોય િેવી અધશબીડેલી હોય છે. િે સચૂવે છે કે િીર્ુંકર રાગ કે ગમા-અણગમાર્ી મકુ્િ છે.

શ્વિેાાંબર સાંપ્રદાયના માંરદરોમાાં ભગવાનની પ્રત્તિમાને ભવ્યિાર્ી ર્ણગારેલી હોય છે. િેમની આંખો ર્ાાંત્તિ, પે્રમ અને કરુણાનો આબેહબૂ સાંદેર્ આપે છે. િેઓની મતૂ્તિિ, ઉપદેર્ આપિા િીર્ુંકરનુાં પ્રિીક છે.

Page 130: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૨૧ મખુ્ય સાંપ્રદાયો

જૈન દર્શન અને આચારની સરળ સમજ 129

િીર્ુંકર આપણી પાંચેષ્ન્રયો દ્વારા ર્િા કમો અને અંિરાંગ કષાયોના સવોપરર ત્તવજેિા અને આધ્યાજત્મક ગરુુનુાં ભચત્ર ખડુાં કરે છે. રદગાંબરો માને છે કે ચોવીસે િીર્ુંકરો પરુુષ હિા, જ્યારે શ્વિેાાંબર માને છે કે ઓગણીસમા િીર્ુંકર મપ્લ્લનાર્ સ્ત્રી હિા અને બાકીના િેવીસ િીર્ુંકરો પરુુષ હિા.

રદગાંબરો માને છે કે ચોવીસમા િીર્ુંકર મહાવીર પરણેલા ન હિા જ્યારે શ્વિેાાંબર માને છે કે િે યર્ોદાને પરણ્યા હિા અને સાંસારનો ત્યાગ કયો િે પહલેાાં િેમને ત્તપ્રયદર્શના નામની દીકરી પણ હિી.

ઉપર છલ્લા ભેદ દેખાિા હોવા છિાાં નીત્તિ અને દર્શનની રષ્ષ્ટએ બધા સાંપ્રદાયો સરખા છે. બને્ન સાંપ્રદાય ૨૪ િીર્ુંકરોમાાં માને છે. બને્નમાાં કમશની રફલોસોફી અને મકુ્ક્િનો માગશ સરખા છે. નમસ્ટ્કાર માંગલ સતૂ્ર, ખબૂ જ જાણીત ુાં િત્વાર્શ સતૂ્ર, ભક્િામર સ્ટ્િોત્ર અને બીજા ઘણા સતૂ્રો બાંને સાંપ્રદાયોમાાં સમાન છે.

Page 131: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-4 જૈન સાંપ્રદાયો અને ધમશગ્રાંર્ો

130 જૈન દર્શન અને આચારની સરળ સમજ

૨૨. જૈન ધમવગ્રથંો અને સારહત્તર્

ભગવાન મહાવીરના ઉપદેર્ને િેમના ત્તર્ષ્યોએ યાદ રાખી, િેનુાં સતૂ્રોમાાં સ ાંકલન કયુું. આ સતૂ્રો જૈન આગમ સતૂ્રો િરીકે જૈન ધમશમાાં જાણીિા છે. આ આગમ સતૂ્રો જીવન પ્રત્યેનો આદરભાવ, સાંયમ, કરુણા, અરહિંસા અને યદુ્ધત્તવરોધી ભાવનાની વદૃ્ધદ્ધ કરે છે. ભિૂકાળમાાં આ આગમ સતૂ્રો કોઈ જગાએ લખાયેલા ન હિા પણ જ્ઞાની સાધઓુ િે સતૂ્રોને યાદ રાખી ત્તર્ષ્યોને ર્ીખવિા હિા.

સમય જિાાં ઘણાાં આગમ સતૂ્રો ભલૂાઈ ગયાાં, કેટલાકનાાં ફેરફાર ર્યા અને કેટલાક સતૂ્રો નવા ઉમેરાયા. ભગવાન મહાવીરના ત્તનવાશણના લગભગ એક હજાર વષશ પછી આ આગમ સતૂ્રો િાડપત્રી પર લખાયા. િે સમયે આગમ સતૂ્રનુાં બારમુાં અંગસતૂ્ર રષ્ષ્ટવાદ કોઈ સાધ ુસાંિને યાદ ન હોવાર્ી ભલૂાઈ ગયેલ છે િેમ નક્કી ર્યેલ છે.

આગમ સતૂ્રો આગમ સતૂ્રો બે મખુ્યભાગમાાં વહેંચાયેલા છે.

અંગ પ્રમવટટ અથવા અંગ આગમ સતૂ્રો અંગ પ્રત્તવષ્ટ આગમ સતૂ્રો અર્વા અંગ આગમ સતૂ્રોમાાં ભગવાન મહાવીરના ઉપદેર્ ઉપરર્ી િેમના મખુ્ય ત્તર્ષ્યો ગણધરના નામ ર્ી ઓળખાિા જેમણે િેમની દેર્નાનુાં એટલે કે ઉપદેર્નુાં સ ાંકલન કયુું છે જેને ૧૨ ત્તવભાગ માાં વહચેવામાાં આવેલ છે. બારમો ત્તવભાગ રષ્ષ્ટવાદના નામે જાણીિો છે. જેમાાં ૧૪ પવૂો ના સતૂ્રો નુાં સ ાંકલન કરવામાાં આવેલ હત ુાં. આ ૧૨ અંગ આગમમાાંર્ી અત્યારે પ્રર્મ ૧૧ અંગ આગમ ના અમકૂ સતૂ્રો મળે છે. જૈન ધમશના જુદા જુદા ધમશપાંર્ો અને પરાંપરામાાં આ ૧૧ અંગ આગમ સતૂ્રોના નામ અને મારહિી સવાશનમુિે સ્ટ્વીકારાયેલ છે. પણ સતૂ્રોમાાં ર્ોડોક ફેરફાર જોવા મળે છે.

આ ૧૧ અંગ આગમ સતૂ્રો માાં આચારાાંગ, સતૂ્રકૃિાાંગ, ભગવિી, સ્ટ્ર્ાનાાંગ અને સમવાયાાંગ સતૂ્ર મખુ્ય સતૂ્રો છે.

Page 132: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૨૨ જૈન ધમશગ્રાંર્ો અને સારહત્ય

જૈન દર્શન અને આચારની સરળ સમજ 131

અંગબાહ્ય આગમ સતૂ્રો ભગવાન મહાવીરના ત્તનવાશણ કેવલજ્ઞાની સાધઓુ હિા અને િેમના પછી જે શ્રિુ કેવલી સાધઓુ ર્યા જેઓને બારેય અંગ આગમનુાં જ્ઞાન હત ુ િેમણે અંગબાહ્ય આગમ સતૂ્રોની રચના કરી અને િે દ્વારા અંગ આગમ સતૂ્રોની વધારે સમજ આપવાનો પ્રયત્ન કરેલ છે. ભગવાન મહાવીરના ત્તનવાશણના ૧૬૦ વષશ સધુીમાાં આ સતૂ્રોનુાં મૌભખક સાંકલન ર્યેલ છે એવી એક માન્યિા છે. હકીકિમાાં અમકુ સતૂ્રો પછીના આચાયોના છે અને િે સતુ્રોને પણ અંગબાહ્ય આગમમાાં સમાવેર્ કરેલ છે.

આ અંગબાહ્ય આગમ સતૂ્રોને ધાત્તમિક ગ્રાંર્ િરીકે જુદા જુદા સાંપ્રદાયોએ નીચે પ્રમાણે સ્ટ્વીકારેલ છે.

૩૪ અંગબાહ્ય આગમ સતૂ્રોના ધમશગ્રાંર્ો શ્વિેાાંબર મતૂ્તિિપજૂક સાંપ્રદાયે માન્ય રાખ્યા છે.

૨૧ અંગબાહ્ય આગમ સતૂ્રોના ધમશગ્રાંર્ો સ્ટ્ર્ાનકવાસી અને િેરાપાંર્ી સાંપ્રદાયે માન્ય રાખ્યા છે.

૧૪ અંગબાહ્ય આગમ સતૂ્રોના ધમશગ્રાંર્ો રદગાંબર સાંપ્રદાયે માન્ય રાખ્યા હિા.

મખુ્ય અંગબાહ્ય આગમસતૂ્ર; - દર્વૈકાભલક, આવશ્યક, દસશ્રિુસ્ટ્કાંઘ (ક્લ્પસતૂ્ર િેનુાં એક પ્રકરણ છે) અને ઉિરાધ્યયન સતૂ્ર છે.

આ અંગબાહ્ય આગમ સતૂ્રો અને ૧૧ અંગ પ્રત્તવષ્ટ આગમ સતૂ્રો એ બધા આગમ સતૂ્રોને ધાત્તમિક ગ્રાંર્ો ગણવામાાં આવે છે.

િેતાબંર સારહત્તર્

શ્વિેાાંબર જૈનોએ ઉપર જણાવેલ ભગવાન મહાવીરના ઉપદેર્વાળા આગમ સતૂ્રો (૧૧ અંગ આગમ અને ૩૪ અર્વા ૨૧ અંગબાહ્ય સતૂ્રો) ને પ્રમાણભિૂ િરીકે સ્ટ્વીકાયાશ છે. આગમ સતૂ્રો ઉપરાાંિ િેઓ ઉમાસ્ટ્વાત્તિજીનુાં િત્વાર્શસતૂ્ર,

ત્તસદ્ધસેનનુાં સન્મત્તિ-િકશ અને કમશગ્રાંર્ના છ પસુ્ટ્િકોને પણ પ્રમાણભિૂ ધમશ ગ્રાંર્ો માને છે.

Page 133: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-4 જૈન સાંપ્રદાયો અને ધમશગ્રાંર્ો

132 જૈન દર્શન અને આચારની સરળ સમજ

રદગબંર સારહત્તર્

રદગાંબર જૈનો માને છે કે જૂના સમયમાાં ૧૨ કે ૧૧ અંગ આગમ અને ૧૪ અંગબાહ્ય આગમ િેઓના સાધઓુને યાદ હિા. િેમ છિાાં સમય જિાાં િે મળૂ સ્ટ્વરૂપમાાં કોઈને યાદ ન રહવેાર્ી લપુ્િ ર્ઈ ગયા છે. િેર્ી અત્યારના આગમ સતૂ્રો જેઓને શ્વિેામ્બર સાંપ્રદાય માને છે િે ગ્રાંર્ો િેમણે સ્ટ્વીકાયાશ નર્ી.

ખાિરી પવૂશકના આગમસતૂ્રની ગેરહાજરીમાાં, રદગાંબરો ઈ. ૧૦૦ ર્ી ૧૦૦૦ સધુીમાાં ર્ઈ ગયેલા મહાન આચાયોએ લખેલા જૈન ધમશના અમકુ સારહત્યને િેઓ પ્રમાણભિૂ ગ્રાંર્ માને છે અને િે ગ્રાંર્ોને અનસુરે છે. િેમાાં મખુ્ય પણે નીચેના ગ્રાંર્ોનો સમાવેર્ ર્ાય છે.

ષટખાંડ આગમ (પહલે ુાં મખુ્ય પસુ્ટ્િક) અને

કષાય પાહડુ (બીજુ ાં મખુ્ય પસુ્ટ્િક)

ચાર અનયુોગો (પ્રર્માનયુોગ, ચરણાનયુોગ, ગભણિાનયુોગ અર્વા કરુણાનયુોગ, અને રવ્યાનયુોગ) કે જેમાાં મખુ્ય ૨૦ જેટલા પસુ્ટ્િકોને ગણવામાાં આવે છે. જેમકે આચાયશ કુાંદકુાંદાચાયશન ુાં સમયસાર,

પાંચાક્સ્ટ્િકાય પ્રવચનસાર, ઉમાસ્ટ્વામીનુાં િત્વાર્શસતૂ્ર, અને બીજા આચાયોએ લખેલા પદ્મપરુાણ, આરદપરુાણ, મળૂાચાર અને ગોમ્મટસારનો સમાવેર્ ર્ાય છે.

સમણ સતૂ્તમ

આ સમણ સિૂમ ગ્રાંર્, જે જૈન ધમશના િાપ્ત્ત્વક ત્તસદ્ધાાંિોનુાં અને જૈન દર્શનનુાં સ ાંભક્ષપ્િ સાંકલન છે. ભગવાન મહાવીરના ત્તનવાશણના ૨૫૦૦ વષે (૧૯૭૪) િેન ુસાંકલન કરવામાાં આવ્યુાં આ સાંકલન શ્વિેાાંબર જૈન આગમો, રદગાંબર ર્ાસ્ત્રો અને કેટલાક જૂના ગ્રાંર્ો પર આધારરિ છે.

િેમાાં ૭૫૬ સતૂ્રો કે પદો છે. આ પસુ્ટ્િકમાાં મખુ્ય ચાર ત્તવભાગો છે અને ૪૪ પેટાત્તવભાગો છે. જૈન ધમશના ત્તસદ્ધાાંિોનો સામાન્ય પરરચય આપવાના હતેરુ્ી

Page 134: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૨૨ જૈન ધમશગ્રાંર્ો અને સારહત્ય

જૈન દર્શન અને આચારની સરળ સમજ 133

આ ગ્રાંર્માાં જીવનમાાં ક્રમે-ક્રમે આધ્યાજત્મક પ્રગત્તિ કરવાની પદ્ધત્તિ, નીત્તિમય આચાર અને પરાંપરાગિ ભક્ક્િમય રીિભાિને વ્યાપક સ્ટ્ર્ાન આપેલ છે.

આ ગ્રાંર્નુાં સ ાંકલન ૧૯૭૪ માાં રહિંદુ સાંિ આચાયશ ત્તવનોબાભાવેની પે્રરણાર્ી, શ્રી જજનેંરપ્રસાદ વણીજીએ કરેલ છે. અને જૈન ધમશના ચારેય પાંર્ ના આચાયોએ માન્ય કરેલ છે.

તત્તત્તવાથવ સતૂ્ર

આચાયશ શ્રી ઉમાસ્ટ્વાત્તિ અર્વા ઉમાસ્ટ્વામીની (આર્રે ઈ.સ. ૨૦૦-૪૦૦) િત્વાર્શ સતૂ્રની રચના જૈનોને મળેલી મહાન ભેટ છે. અને બધા જ જૈનોએ િે માન્ય રાખ્યુાં છે. જૈનોનુાં આગમ સારહત્ય અધશમાગધી-પ્રાકૃિ ભાષામાાં લખાયુાં છે. પણ િત્ત્વાર્શસતૂ્ર એ પહલેો જૈન ગ્રાંર્ છે કે જે મદુ્દાસર સતૂ્રમય કર્નમાાં સાંસ્ટ્કૃિ ભાષામાાં છે. આ પસુ્ટ્િકમાાં દસ પ્રકરણ છે જેમાાં ૩૪૪ ર્ી ૩૫૭ જેટલા સતૂ્રો

છે. િે જૈન પદ્ધત્તિના બધા િાજત્વક અને વ્યાવહારરક હતેઓુને સાંબ ાંત્તધિ છે.

િેતાબંર ૪૫ આગમના સસં્કૃત તથા પ્રાકૃત નામ

અંગ-આગમ ૧૧ (૧૨મ ુશ્રીદૃષ્ટટવાદસતૂ્ર ઉપલબ્ધ નથી) ક્રમ સસં્કૃત નામ પ્રાકૃત નામ

૧ આચારાાંગસતૂ્ર આયારાંગસિુ

૨ સતૂ્રકૃિાાંગસતૂ્ર સયૂગડાાંગસિુ

૩ સ્ટ્ર્ાનાાંગસતૂ્ર ઠાણાાંગસિુ

૪ સમવાયાાંગસતૂ્ર સમવાયાાંગસિુ

૫ ભગવિીસતૂ્ર / વ્યાખ્યાપ્રજ્ઞપ્પ્િસતૂ્ર

ભગવઈ સિૂ /વક્ખા પન્નિી

Page 135: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-4 જૈન સાંપ્રદાયો અને ધમશગ્રાંર્ો

134 જૈન દર્શન અને આચારની સરળ સમજ

૬ જ્ઞાિાધમશકર્ાસતૂ્ર ણાયધમ્મકહાસિુ

૭ ઉપાર્કદર્ાાંગસતૂ્ર ઉવાસગ દસાાંગસિુ

૮ અંિકૃદદર્ાાંગસતૂ્ર અંિગડ દસાાંગસિુ

૯ અનિુરોપપાત્તિકસતૂ્ર અનિુરોવવાઇસિુ

૧૦ પ્રશ્નવ્યાકરણસતૂ્ર પણ્હવાગરણસિુ

૧૧ શ્રીત્તવપાકસતૂ્ર ત્તવવાગસિુ

૧૨ શ્રીદૃષ્ષ્ટવાદસતૂ્ર રદટ્ઠીવાયસિુ

ઉપાગં-આગમ – ૧૨ ક્રમ સસં્કૃત નામ પ્રાકૃત નામ

૧ શ્રી ઔપપાત્તિકસતૂ્ર ઉવવાઇસિુ

૨ શ્રી રાજપ્રજ્ઞપ્પ્િસતૂ્ર રાયપસેણીસિુ

૩ શ્રી જીવાભભગમસતૂ્ર જીવાભભગમસિુ

૪ પ્રજ્ઞાપનાસતૂ્ર પન્નવણાસિુ

૫ સયૂશપ્રજ્ઞપ્પ્િસતૂ્ર સરૂરયપન્નિીસિુ

૬ ચાંરપ્રજ્ઞપ્પ્િસતૂ્ર ચાંદપન્નિીસિુ

૭ જ ાંબદૂ્વીપપ્રજ્ઞપ્પ્િસતૂ્ર જ ાંબદૂીવપન્નિીસિુ

૮ શ્રી ત્તનરયાવલી ત્તનરયાવલી

૯ કલ્પાવિાંત્તસકાસતૂ્ર કલ્લાવિાંત્તસઆસિુ

૧૦. પકુ્ષ્પકાસતૂ્ર પષુ્પ્ફઆસિુ

૧૧. પષુ્પચભુલકાસતૂ્ર પપુ્ફચભુલઆસિુ

૧૨. વકૃ્ષ્ણદર્ાસતૂ્ર વષ્ન્હદસાસિુ

Page 136: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

૨૨ જૈન ધમશગ્રાંર્ો અને સારહત્ય

જૈન દર્શન અને આચારની સરળ સમજ 135

છેદસતૂ્ર આગમ - ૬

ક્રમ સસં્કૃત નામ પ્રાકૃત નામ

૧ ત્તનર્ીર્સતૂ્ર ત્તનસીહસિુ

૨ બહૃદ્પ્કલ્પસતૂ્ર બુાંહકપ્પસિુ

૩ *વ્યવહારસતૂ્ર વવહારસિુ

૪ દર્ાશ્રિુસ્ટ્કાંધસતૂ્ર દસાસયુકખાંધસિુ

૫ *પાંચકલ્પસતૂ્ર અર્વા જીિકલ્પ

પાંચકલ્લસિુ અર્વા જીિકલ્પ

૬ મહાત્તનર્ીર્સતૂ્ર મહાત્તનસીહસિુ

મલૂ સતૂ્ર - ૪

ક્રમ સસં્કૃત નામ પ્રાકૃત નામ

૧ આવશ્યકસતૂ્ર આવસ્ટ્સયસિુ

૨ દર્વૈકાભલકસતૂ્ર દસવેયાભલઅસિુ

૩ ઉિરાધ્યયનસતૂ્ર ઉિરજ્ઝયણસિુ

૪ *ઓઘત્તનયુશક્ક્િ અર્વા ત્તપિંડત્તનયુશક્ક્િ

ઓહત્તનજ્જુત્તિ અર્વા ત્તપિંડત્તનજ્જુત્તિ

ચૌણલકા-સતૂ્ર - ૨

ક્રમ સસં્કૃત નામ પ્રાકૃત નામ

૧ નાંદીસતૂ્ર નાંદીસિુ

૨ અનયુોગદ્વારસતૂ્ર અણઓુગદ્દારસિુ

પ્રકીણવ-આગમ – ૧૦

ક્રમ સસં્કૃત નામ પ્રાકૃત નામ

Page 137: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન

ત્તવભાગ-4 જૈન સાંપ્રદાયો અને ધમશગ્રાંર્ો

136 જૈન દર્શન અને આચારની સરળ સમજ

૧ *ચતુુઃર્રણસતૂ્ર ચઉસરણસિુ

૨ *આતરુપ્રત્યાખ્યાન આઉરપચ્ચક્ખાણ

૩ *ભક્િપ્રત્તિજ્ઞા ભિપરરણ્ણા

૪ *સાંસ્ટ્િારક સાંર્ારય

૫ *િાંદુલવૈિાભલક િાંદુલવેયાભલય

૬ *ચાંરવેધ્યક ચાંદવેજ્ઝય

૭ *દેવેન્રસ્ટ્િવ દેત્તવિંદત્ર્ય

૮ *ગભણત્તવદ્યા ગભણત્તવજ્ઝા

૯ *મહાપ્રત્યાખ્યાન મહાપચ્ચક્ખાણ

૧૦ *વીરસ્ટ્િવ વીરત્ર્વ

નોંધ - * આ ૧૩ આગમ ગ્રાંર્ો સ્ટ્ર્ાનક્વાસી અને િેરાપાંર્ી સમ્પ્રદાયને માન્ય નર્ી.

Page 138: Jain Education, Jain Library, Jain literature - ૈન દર્શન અન ... · 2016. 6. 20. · Federation of Jain Associations in North America . 2 ૈન દર્શન અન